Updated: Apr 28th, 2024
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા અયોજીત પી.એસ.ઇ અને એસ. એસ. ઇ.ની સ્કોલરશીપ પરીક્ષા આજે લેવા મા આવી હતી. જામનગર મા 5540 પરિકક્ષાર્થીઓ એ શાંતિપૂર્ણ માહોલ મા પરીક્ષા આપી હતી.
રાજ્ય નાં પરીક્ષા બોર્ડ દ્વારા આજ રોજ પી એસ ઇ અને એસ એ ઇ ની સ્કોલરશીપ પરીક્ષા લેવા મા આવી હતી.જે શહેર ની અલગ અલગ સકુલમાં લેવાઈ હતી. ગુ.શા.મહેતા ગર્લ્સ સ્કૂલમા પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને આવકાર આપવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ , શિક્ષક સંઘ ના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, શિક્ષક સંઘના હોદેદારો સંજયભાઈ મેશિયા , હેતલબેન પંચમતિયા, પ્રિન્સિપાલ હીનાબેન તન્ના શિક્ષક સંઘના ખજાનચી દિપકભાઈ ગલાની, હેતલબેન શિરા ,પ્રીતિબેન જગડ, સહિત આચાર્ય અને શિક્ષકો હાજર રહી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
જામનગરમાં પી એસ ઈમાં 5489 વિદ્યાર્થી નોંધાયા હતા, તેમાંથી 4609 અને 880 વિદ્યાર્થી ગેર હાજર રહયા હતા. જયારે એસ એસ ઇ ની પરીક્ષામા કુલ 1044 માંથી 931 હાજર અને 113 પરિક્ષાર્થીઓ ગેર હાજર રહયા હતા.
આમ આજની પરીક્ષામાં કુલ 6533માંથી 5540 હાજર અને 993 પરિક્ષાર્થીઓ ગેર હાજર રહ્યા હતા.