રાજકોટ2 કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટની જાણીતી સહકારી રાજકોટ નાગરિક બેન્કને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ 43.30 લાખની પેનલ્ટી ફટકારતા સહકારી જગત તથા થાપણદારોમાં ખળભળાટ મચી ગયો છે. બેન્કના ડાયરેક્ટરોનુ હિત ધરાવતી પેઢીઓ તેમજ પરિવારજનોના નામે લોન આપવા ઉપરાંત સેવીંગ ખાતા ખોલવામાં ગોટાળા તથા ઇન ઓપરેટીવ ખાતાઓમાં પેનલ્ટી લાગુ કરવા સહિતની ગેરરીતિ આચરી હોવાનું ખૂલતા પેનલ્ટી ફટકારવામાં આવી છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાગરિક બેન્કને 18 એપ્રિલે પાઠવેલા પેનલ્ટી પત્રમાં એમ કહ્યું છે કે, 31 માર્ચ, 2022ના રોજ કાનૂની ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં રીઝર્વ બેન્કના દિશા નિર્દેશોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું માલુમ પડ્યું હતું જેના આધારે બેન્કને તાકિદ કરીને શોકોઝ નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. બેન્ક દ્વારા નોટીસનો જવાબ આપવામાં આવ્યા ઉપરાંત રૂબરૂ સુનાવણીમાં બચાવ રજુ કરવામાં આવ્યો હતો પરંતુ રિઝર્વ બેંકના નિયમોનો ભંગ થતો જ હોવાનું સ્પષ્ટ થતાં પેનલ્ટી ફટકારવામાં આવી છે.
રિઝર્વ બેન્કના નિયમોનો ભંગ કરતા પેનલ્ટી ફટકારી રાજકોટ