વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝ વચ્ચે આજે થયેલી મુલાકાત બાદ ભારત સરકારના વિદેશ મંત્રાલયના સચિવ પશ્ચિમ તન્મય લાલ, જોઇન્ટ સેક્રેટરી પિયુષ શ્રીવાસ્તવ અને પ્રવક્તા રણધિર જયસ્વાલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. ભારત સરકારના વ
.
મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર થશે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું સપનું સાકાર થશે. 50 ઉધોગપતિઓને બંને દેશના વડાપ્રધાન આજે મળ્યા હતા. આવતીકાલે બંને દેશના વડાપ્રધાન મુંબઈ ખાતે ઇન્ડીયા સ્પેઇન બિઝનેસ સમિટમાં ભાગ લેશે. જેમાં નીતિન ગડકરી પણ હાજર રહેશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના ગવર્નર સી.પી. રાધાકૃષ્ણન્ સાથે પણ બેઠક અને ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.
બે વર્ષ બાદ એરક્રાફટની ડિલિવરી કરવામાં આવશે
બે વર્ષ બાદ એરક્રાફટની ડિલિવરી કરવામાં આવશે તેઓએ ઉમેર્યું હતું કે, આર્ટ, મ્યુઝિક, ફિલ્મ, હેરિટેજ, ભાષા, યોગા અને ભારતીય ભોજન સહિત અનેક કલ્ચરલ એજન્ડા સાથે આગળ વધીશું. MOUમાં C-295 પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે. 2021માં ટાટા એરબસ અને સ્પેન વચ્ચે કરાર થયો હતો. 40 સંપૂર્ણ વિમાન ભારતીય બનાવટના છે. પ્લાન્ટ તૈયાર કરવામાં બે વર્ષ લાગ્યા હતા. હજી બે વર્ષ બાદ એરક્રાફટની ડિલિવરી કરવામાં આવશે. 80 હજાર સ્પેરપાર્ટનો ઉપયોગ કરવામાં આવનાર છે. હૈદરાબાદ અને નાગપુરમાં સ્પેરપાર્ટ્સ બને છે. વડોદરામાં આશરે 30 હજાર લોકોને રોજગારી મળશે. કઈ સ્પેનિશ કંપની ગુજરાતમાં રોકાણ કરવા માંગે છે અને કઈ ભારતીય કંપની સ્પેનમાં રોકાણ કરવા માંગે છે, તેના પર આધાર છે. કેમિકલ ફાર્મા સહિત અનેક ઉદ્યોગ સાહસિકો માટે દ્વાર ખુલ્લા છે. આગામી દિવસોમાં 10 મિલિયન ડોલર એટલે કે અંદાજે 80 કરોડથી વધુના રોકાણની શક્યતાઓ છે.
એરક્રાફ્ટમાં 80 હજાર સ્પેરપાર્ટનો ઉપયોગ કરવામાં આવશે
દર વર્ષે 40 હજાર સ્પેનના લોકો ફરવા માટે ભારત આવે છે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ડિફેન્સ એક્સપોઝર તરીકે સ્પેન ટોપમાં આવે છે. 80 ભારતીય કંપની સ્પેનમાં હાલ કાર્યરત છે. એવી જ રીતે અનેક સ્પેનિશ કંપનીઓ ભારતમાં કાર્યરત છે. દર વર્ષે 40 હજાર સ્પેનના લોકો ફરવા માટે ભારત આવે છે. સ્પેનના વિદેશ મંત્રી ગત વર્ષે જ G-20માં ભાગ લેવા ભારત આવ્યા હતા. જેમાં રેલવે, ટેકનોલોજી, સાંસ્કૃતિક સહિત અનેક કરાર કરવામાં આવ્યા હતા. 2026 સુધીમાં ભારત અને સ્પેન બંને એકબીજાના પ્રવાસન પર્યાય બને એવો આશાવાદ છે.