અમદાવાદ18 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર સમર શેડયુલ લાગુ થયા બાદ ફલાઈટની અવરજવરમાં પણ વધારો થયો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદ એરપોર્ટ પર આવતી અને જતી વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ વિલંબિત થતાં અથવા રદ થતાં મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારબાદ આજરોજ વિવિધ શહેરોમાંથી અમદાવાદ એરપોર્ટ પર આવતી વિસ્તારા એરલાઇન્સની ફ્લાઇટ ખૂબ જ ઓછા સમય માટે વિલંબિત થઇ હતી, પરંતુ તે સિવાય અન્ય એરલાઈન્સની ફ્લાઈટ 1 કલાક સુધીના સમય માટે વિલંબિત થઇ હતી. આજે એટલે કે બુધવારે બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ પર મેન્ટેનન્સ કાર્ય થતું હોવાથી રન વે થોડા સમય માટે બંધ રાખવામાં આવે છે તેથી આજરોજ અમદાવાદથી ઉડાન ભરતી કુલ ફ્લાઇટની 45% જેટલી ફ્લાઇટ વિલંબિત થઇ હતી.
ઇન્ડિગોની ફ્લાઇટ 1 કલાક વિલંબિત થઇ હતી અમદાવાદના સરદાર