પેરિસ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
બાળકોને 13 વર્ષની વય સુધી સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઇએ નહીં. આ ઉપરાંત તેમના ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવો જોઇએ. આ વાત રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રો દ્વારા રચવામાં આવેલી નિષ્ણાંતોની ટીમ દ્વારા કરવામાં આવી છે.
નિષ્ણાતોની ટીમ દ્વારા કેટલીક મહત્ત્વપૂર્ણ ભલામણ પણ કરવામાં આવી છે. સમિતિએ ત્રણ મહિના સુધી કરવામાં આવેલી શોધના આધાર પર પોતાના અહેવાલને તૈયાર કર્યો છે. તેના મુજબ ત્રણ વર્ષ સુધીના બાળકોને ટેલિવિઝન સહિત કોઇ પણ પ્રકારના સ્ક્રીનના સંપર્કથી દૂર રાખવા માટેની જરૂર છે.
11 વર્ષ સુધીના બાળકોને કોઇ પણ પ્રકારના ફોન ઉપલબ્ધ કરાવવા જોઇએ નહીં. જો 11થી 13 વર્ષના બાળકોને ફોન આપવાની જરૂર છે તો તેમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી હોવી જોઇએ નહીં. માત્ર 13 વર્ષની વય બાદ જ બાળકોને ઇન્ટરનેટ સાથે સંબંધિત સ્માર્ટફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવી જોઇએ. રિપોર્ટમાં 18 વર્ષ સુધીની વયના કિશોરોને સોશિયલ મીડિયાથી દૂર રાખવા માટે પણ કહેવામાં આવ્યુ છે.
નર્સરી સ્કૂલોમાં કોઇ પણ સ્ક્રીન હોવી જોઇએ નહીં
ન્યુરોલોજિસ્ટ , મનોવૈજ્ઞાનિક અને અન્ય નિષ્ણાંતોની સમિતિએ રિપોર્ટમાં કહ્યુ છે કે નર્સરી સ્કુલમાં સ્ક્રીન પર પૂર્ણ રીતે પ્રતિબંધ મુકવાની જરૂરછે. વાર્તા કહેવા માટે ઉપયોગ કરવામાં આવતા ઉપકરણો સિવાય ઇન્ટરનેટ સાથે સંબંધિત તમામ રમકડાં પર પણ પ્રતિબંધ મુકવાની ભલામણ કરવામાં આવી છે.
ટેકનિકના બજારમાં બાળકો વસ્તુ બની રહ્યા છે : સમિતિ
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે બાળકોને ટેકનિકલ ઉદ્યોગના ફાયદા માટે વસ્તુની જેમ ઉપયોગ કરવાથી બચવાની જરૂર છે. કંપનીઓ પોતાના લાભ માટે બાળકોને આની તરફ આકર્ષિત કરે છે. આનાથી બાળકોને બચાવી લેવાની જરૂર છે. આ નવા ટેકનિકલ બજારમાં બાળકો વસ્તુ બની રહ્યા છે. ટેકનિકલ કંપનીઓ પોતાના લાભ માટે બાળકોને સ્ક્રીન સાથે જોડીને રાખવા માંગે છે. કંપનીઓ પોતાની રીતે ચીજોને નિયંત્રિત કરી રહી છે.