બેઇજિંગ1 કલાક પેહલા
- કૉપી લિંક
PM મોદીની અરુણાચલની મુલાકાત બાદથી ચીન સતત અરુણાચલ પ્રદેશ પર પોતાનો હિસ્સો હોવાનો દાવો કરી રહ્યું છે.
ચીને ફરી એકવાર અરુણાચલ પ્રદેશને પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યું- 1987માં ભારતે ગેરકાયદેસર રીતે ચીનની જમીન પર અરુણાચલ પ્રદેશ વસાવ્યું હતું. અમે ત્યારે પણ તેનો વિરોધ કર્યો હતો અને આજે પણ અમે અમારા નિવેદન પર કાયમ છીએ.
જિયાને કહ્યું- ચીન અને ભારત વચ્ચેની સરહદનું ક્યારેય સીમાંકન નથી થયું. તે પૂર્વીય સેક્ટર, વેસ્ટર્ન સેક્ટર અને સિક્કિમ સેક્ટરમાં વહેંચાયેલું છે. પૂર્વીય ક્ષેત્રમાં જાંગનાન (અરુણાચલ પ્રદેશ) અમારો ભાગ છે. ભારતના કબજા પહેલા ચીને હંમેશા અહીં અસરકારક રીતે શાસન કર્યું છે. આ એક મૂળભૂત હકીકત છે જેને નકારી શકાય તેમ નથી.
આ સાથે આ મહિનામાં ચોથી વખત છે જ્યારે ચીને અરુણાચલને પોતાનો વિસ્તાર જાહેર કર્યો છે. ખરેખરમાં શનિવારે (23 માર્ચ), વિદેશ મંત્રી એસ જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું – ચીને અરુણાચલ પર સતત દાવો કર્યો છે. આ દાવાઓ શરૂઆતથી જ વાહિયાત હતા અને આજે પણ વાહિયાત છે. ચીન સરહદી સમજૂતીઓને સ્વીકારતું નથી.
સિંગાપોરમાં એક કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે ભારત-ચીન સંબંધો અને સરહદ વિવાદ પર વાત કરી હતી.
સૌથી મોટો પડકાર ભારત અને ચીન વચ્ચે સંતુલન બનાવવાનો છે
જયશંકરે સિંગાપોરમાં કહ્યું હતું – મારા માટે સૌથી મોટો પડકાર એ છે કે ભારત અને ચીન વચ્ચે સંતુલન કેવી રીતે બનાવવું, બંને દેશ બે મોટી શક્તિઓ છે જે એકબીજાના પડોશીઓ પણ છે. બંને દેશોનો ઈતિહાસ અને તેમની ક્ષમતાઓ તેમને દુનિયાથી અલગ પાડે છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ રાખવી જરૂરી છે.
વિદેશ મંત્રીએ કહ્યું કે અમે 2020માં પરેશાન થઈ ગયા, જ્યારે ચીને સરહદ પર કંઈક કર્યું જે બંને દેશો વચ્ચેના કરારનું ઉલ્લંઘન હતું. ચીને બંને દેશો વચ્ચે સંતુલન બનાવવાને બદલે બગાડી દીધુ.
સેલા ટનલના ઉદઘાટન પર ચીને કહ્યું હતું- PM મોદીની મુલાકાતથી મુશ્કેલીઓ વધશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 9 માર્ચે અરુણાચલમાં સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું હતું. 13 હજાર ફૂટની ઉંચાઈ પર બનેલી આ દુનિયાની સૌથી લાંબી ડબલ લેન ટનલ છે. ચીન સરહદે બનેલી આ ટનલની લંબાઈ 1.5 કિલોમીટર છે.
ટનલના ઉદ્ઘાટન બાદથી ચીને તેનો સતત વિરોધ કર્યો છે અને અરુણાચલને પોતાનો વિસ્તાર હોવાનો દાવો કર્યો છે. લગભગ 15 દિવસ પહેલા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું – ભારતના પગલાથી LAC પર તણાવ વધશે. અમારી સરકારે ગેરકાયદેસર રીતે વસેલા અરુણાચલ પ્રદેશને ક્યારેય માન્યતા આપી નથી. આજે પણ અમે તેનો વિરોધ કરીએ છીએ.
ચીને કહ્યું- અરુણાચલ અમારો હિસ્સો છે અને ભારત અહીં મનસ્વી રીતે કંઈ કરી શકે નહીં. અમે પૂર્વ વિસ્તારમાં પીએમ મોદીના આ પ્રવાસના વિરોધમાં છીએ. અમે ભારત સમક્ષ પણ અમારો વિરોધ વ્યક્ત કર્યો છે.
આ ટનલ ચીનની સરહદ પર આવેલ તવાંગને તમામ હવામાનમાં રોડ કનેક્ટિવિટી પ્રદાન કરશે. LACની નજીક હોવાથી આ ટનલ ખરાબ હવામાનમાં સેનાની અવરજવરને વધુ સારી બનાવશે. આ ટનલના નિર્માણથી ચીન સરહદ સુધીનું અંતર 10 કિલોમીટર ઘટી ગયું છે.
સેલા ટનલ શા માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે?
સંરક્ષણ નિષ્ણાત મનોજ જોષી કહે છે કે સેલા ટનલ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ‘સેલા પાસ’ નજીક બનાવવામાં આવી છે. LAC પરથી આ વિસ્તાર ચીની સેનાને સ્પષ્ટપણે જોઈ શકાય છે. 1962ના ભારત-ચીન યુદ્ધ દરમિયાન ચીનની સેના આ સેલા પાસમાંથી ઘૂસીને તવાંગ પહોંચી હતી. આટલું જ નહીં, 9 ડિસેમ્બર 2022ના રોજ ચીનના સૈનિકોએ તવાંગ સેક્ટરમાં જ ઘૂસણખોરી કરી હતી, ત્યારબાદ ભારતીય સેના સાથે તેમની અથડામણ થઈ હતી.
અરુણાચલ પ્રદેશ ઉપરાંત ચીન અક્સાઈ ચીન અને લદ્દાખને પણ પોતાનો હિસ્સો હોવાનો દાવો કરે છે. ગયા વર્ષે 28 ઓગસ્ટે ચીને પોતાનો સત્તાવાર નકશો જાહેર કર્યો હતો. જેમાં તેણે અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સાગરને પોતાનો વિસ્તાર જાહેર કર્યો હતો.
આ સમાચાર પણ વાંચો…
ચીનના દાવા પર અમેરિકાએ કહ્યું- અરુણાચલ ભારતનો ભાગ છેઃ ચીને અહીં સેલા ટનલનો વિરોધ કર્યો હતો, તેને પોતાનો વિસ્તાર ગણાવ્યો હતો
અરુણાચલ પ્રદેશ પર ચીનના નિવેદન સામે અમેરિકાએ ભારતનું સમર્થન કર્યું છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તાએ કહ્યું કે અરુણાચલ ભારતનો એક ભાગ છે અને તેઓ એલએસીને પાર કોઈપણ ક્ષેત્ર પર ચીનના દાવાનો વિરોધ કરે છે.