- Gujarati News
- International
- In America, 25 Percent Of People Are Deliberately Delaying Marriage Because Of Their Close Relationship With Their Pets
ન્યૂયોર્ક6 કલાક પેહલા
- કૉપી લિંક
- પાલતુ પ્રાણી સુરક્ષા-સ્વીકૃતિની ભાવનાઓને સારી રીતે સમજે છે
પાલતુ પ્રાણીઓ ખાસ કરીને શ્વાન અને બિલાડીઓ પ્રત્યે પ્રેમ સમયની સાથે વિકસિત અને મજબૂત થતાં જઈ રહ્યા છે. પાલતુ પ્રાણી આજે પરિવારના સભ્યો જેટલું જ મહત્ત્વ આપવામાં આવે છે. તેમની સાથેનો નાતો કોઈપણ સ્વાર્થ વગરનો હોય છે. માનવજીવન સાથે પશુ પંખીઓ આદી કાળથી જોડાયેલ છે. તેના વગર માનવ જીવન શકય નથી. પર્યાવરણની સુરક્ષા માટે પણ પાલતું પ્રાણી હોવા જરૂરી છે.
પરંતુ તાજેતરમાં અમેરિકામાં હાથ ધરાયેલા એક સરવેમાં ચોંકાવનારા દાવા કરાયા છે. જેમાં શ્વાન કે બિલાડીના 25 ટકા માલિકો તેમના પાલતુ પ્રાણીઓ સાથેના ગાઢ સંબંધને કારણે લગ્ન અને ડેટિંગમાં ઇરાદાપૂર્વક વિલંબ કર્યો હતો.
ઈન્ડિયાના યુનિવર્સિટીની કિન્સે ઈન્સ્ટિટ્યૂટના રિસર્ચ સ્કોલર અને માનવશાસ્ત્રી હેલેન ફિશરનું કહેવું છે કે જ્યારે જીવન સાથી પસંદ કરવાની વાત આવે છે ત્યારે આપણું મન ઘનિષ્ઠ નાતા અને પ્રેમને ઝંખે છે. જ્યારે આપણે પાલતુ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ દર્શાવીએ છીએ અને તેમને સ્નેહ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં ઓક્સિટોસિન અને ડોપામાઈનનું સ્તર વધે છે. જેના લીધે પ્રેમ-લાગણી અનુભવીએ છીએ.
પાલતુ પ્રાણી આપણી ભાવનાત્મક સ્થિતિ, સુરક્ષા અને સ્વીકૃતિ ભાવના અને જીવન પ્રત્યેના આપણા સકારાત્મક દૃષ્ટિકોણને પણ અસર કરે છે. પાલતુ જીવનની તમામ જરૂરિયાતો પૂરી કરી શકે છે. ડેટિંગ અને સંબંધોથી કંટાળી ગયેલા લોકોના જીવનમાં પાલતુ પ્રાણીઓને લીધે ખાલીપો વર્તાતો નથી.
પાલતુ પ્રાણી તણાવ અને હતાશા ઘટાડે છે
પાલતુ પ્રાણી તણાવ, ચિંતા અને હતાશા ઘટાડે છે. તેઓ અમને બહાર જવા થોડી તાજી હવા મેળવવા અને સક્રિય રહેવાનું કારણ આપે છે. તે આપણા મૂડ, ઊંઘ અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.