19 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
આપણી પૃથ્વી અનેક તત્વોથી બનેલી છે. તેમાંથી 35% તો માત્ર લોહ છે. ખાણકામ દ્વારા જમીનમાંથી કાઢવામાં આવતી ધાતુઓના શુદ્ધિકરણમાં આયર્નનો હિસ્સો 90% છે. એટલું જ નહીં, આ લોહ હવા, પાણી, વૃક્ષો અને છોડમાં દરેક જગ્યાએ હાજર છે. આપણા શરીરમાં પણ.
તંદુરસ્ત માણસનું શરીર સરેરાશ 1000 મિલિગ્રામ આયર્નનો સંગ્રહ કરે છે, જે આગામી 3 વર્ષ માટે પૂરતું છે. એ જ રીતે, એક સ્વસ્થ સ્ત્રીના શરીરમાં સરેરાશ 300 મિલિગ્રામ આયર્ન સંગ્રહિત થાય છે, જે આગામી 6 મહિના માટે પૂરતું છે.
જ્યારે કોઈ કારણસર આપણા આહારમાં આયર્નની ઊણપ સર્જાય છે, ત્યારે શરીર ઘણા જરૂરી કામો માટે શરીર આ સંગ્રહ કરેલા આયર્નનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે. પરિણામે આપણું હિમોગ્લોબિન ઓછું થવા લાગે છે. જ્યારે બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે, ત્યારે એનિમિયા થયાની ખબર પડે છે.
ઇન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યુએશન અનુસાર, વિશ્વભરમાં લગભગ 2 અબજ લોકો એનિમિયાથી પ્રભાવિત છે. આ આંકડો ડાયાબિટીસના દર્દીઓ કરતા વધારે છે. આયર્નની ઊણપ શરીરની વૃદ્ધિ અને વિકાસને રોકી શકે છે. શરીરના અંગો નિષ્ફળ થઈ શકે છે. વાળ ખરી શકે છે અને ગર્ભાવસ્થા દરમિયાન માતા અને બાળકના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે.
તેથી જ આજે ‘ તબિયતપાણી ‘ માં આપણે આયર્ન વિશે વાત કરીશું. તમે તે પણ જાણી શકશો
- તે આપણા શરીર માટે શા માટે એટલું મહત્ત્વનું છે?
- આયર્નની ઊણપને કારણે કઈ સમસ્યાઓ થઈ શકે છે?
- શરીરની આયર્નની જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી?
સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, શરીરમાં આયર્નની હાજરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ચાલો ગ્રાફિકમાં જોઈએ કે તે આપણા શરીરમાં કયા કાર્યો કરે છે.
આપણા શરીર માટે આયર્ન કેટલું જરૂરીનું છે?
- આયર્ન એ ખૂબ જ વિશિષ્ટ ખનિજ છે, જે આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. તમારે સમયાંતરે બ્લડ ટેસ્ટ કરાવતું રહેવું જોઈએ. બ્લડ ટેસ્ટના રિપોર્ટમાં ડૉક્ટર સૌથી પહેલા જે વસ્તુ તપાસે છે તે આપણું હિમોગ્લોબિન છે. આપણા શરીરનાં મૂળભૂત કાર્યો બરાબર છે કે નહીં તે જાણવા માટે આ એક મહત્ત્વ પૂર્ણ માર્કર છે. ઓછું હિમોગ્લોબિન એટલે એનિમીયા એટલે કે શરીરમાં લોહીની ઉણપ. આ હિમોગ્લોબિન પણ આયર્નની મદદથી બને છે. જો શરીરમાં આયર્નની ઊણપ હોય તો હિમોગ્લોબિન ઘટે છે.
- આપણા સ્નાયુઓમાં મ્યોગ્લોબિન નામનું ખાસ પ્રોટીન હોય છે. આ પ્રોટીન ઓક્સિજનનો સંગ્રહ કરે છે અને જરૂર પડે ત્યારે સ્નાયુઓને આપે છે. મ્યોગ્લોબિન બનાવવામાં પણ આયર્ન મુખ્ય ભૂમિકા ભજવે છે.
- આયર્નની મદદથી જ આપણા શરીરના ન્યુરોટ્રાન્સમીટર મગજને જરૂરી સંદેશા આપે છે.
- આપણા શરીરને ઘણા હોર્મોન્સ બનાવવા માટે પણ આયર્નની જરૂર હોય છે.
- શરીરમાં ઘણી સેલ્યુલર પ્રતિક્રિયાઓ પણ આયર્ન વિના પૂર્ણ થઈ શકતી નથી.
આયર્નની ઊણપને કારણે કયા રોગો થઈ શકે છે?
આયર્નની ઊણપ પહેલા એનીમિયાનું કારણ બને છે અને એનીમિયા અન્ય ઘણા રોગોનું કારણ બની શકે છે. ચાલો એનીમિયાના લક્ષણોને ગ્રાફિક સ્વરૂપમાં જોઈએ.
એનીમિયા શા માટે થાય છે?
એનીમિયા એટલે કે શરીરમાં આયર્નની ઊણપ આ કારણોસર થઈ શકે છે-
- કુપોષણ એટલે કે પોષક આહારનો અભાવ
- ગર્ભાવસ્થાના સમયે
- પીરિયડ્સ દરમિયાન લોહીની ઊણપને કારણે
- આંતરિક રક્તસ્રાવને કારણે
- આયર્ન શોષણમાં સમસ્યાના કિસ્સામાં
- એન્ડોમેટ્રિઓસિસ (જ્યારે સ્ત્રીના શરીરમાં એક સ્તર, જેમ કે ગર્ભાશયનું આંતરિક સ્તર, બહારની તરફ વધવાનું શરૂ કરે છે)
- આનુવંશિક કારણો
એનીમિયાનું વધુ જોખમ કોને છે?
એનિમિયા કોઈપણ ઉંમર અથવા લિંગમાં જોવા મળી શકે છે, તેમ છતાં સ્ત્રીઓને વધુ જોખમ હોય છે. નીચે ગ્રાફિક જુઓ-
કેવી રીતે જાણી શકાય કે આપણા શરીરને કેટલી આયર્નની જરૂર છે
નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, દરેક વ્યક્તિને ઉંમર અને લિંગ પ્રમાણે અલગ-અલગ માત્રામાં આયર્નની જરૂર હોય છે. શાકાહારીઓ, કિશોરો, સગર્ભા સ્ત્રીઓ વગેરે બધાને અલગ અલગ માત્રામાં આયર્નની જરૂરિયાત હોય છે. નીચે ગ્રાફિક જુઓ-
શરીરની આયર્નની જરૂરિયાત કેવી રીતે પૂરી કરવી
શરીરમાં આયર્નની ઊણપ માટે માત્ર લો આયરન ડાયટ જવાબદાર નથી. જો આપણા આહારમાં આયર્ન શોષી લેનાર ખોરાક ન હોય તો પણ આયર્નની ઊણપ થઈ શકે છે. આનો અર્થ એ છે કે આપણે ગમે તેટલું આયર્ન સમૃદ્ધ ખોરાક અથવા આયર્ન સપ્લિમેન્ટ્સ ખાઈએ, ઊણપ દૂર નહીં થાય. તેથી, આયર્ન સમૃદ્ધ ખોરાકની સાથે આયર્ન શોષી લેતા ખોરાક લેવાનું વધુ સારું છે. જુઓ સંપૂર્ણ યાદી-