9 મિનિટ પેહલાલેખક: ગૌરવ તિવારી
- કૉપી લિંક
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેમાં એક બાળક સ્ટ્રીટ વેન્ડર પાસેથી સ્મોક બિસ્કિટ ખાઈ રહ્યો છે. બિસ્કિટ ખાધાના થોડા સમય પેટના દુખાવાથી પીડાવા લાગે છે અને જમીન પર પડી જાય છે. આ વીડિયો તામિલનાડુના મદુરાઈનો હોવાનું કહેવાય છે.
આ વીડિયો સામે આવ્યા બાદ તામિલનાડુ સરકારના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે લિક્વિડ નાઈટ્રોજનના ઉપયોગ અંગેના નિયમોને કડક બનાવ્યા અને બાળકને બિસ્કિટ ખવડાવનારી વ્યક્તિનું લાઇસન્સ રદ કર્યું.
આ દિવસોમાં લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ કાફે, રેસ્ટોરાં અને હવે તો સ્ટ્રીટ વેન્ડર્સમાં પણ ખોરાકને ફેન્સી બનાવવા માટે ખૂબ જ લોકપ્રિય બની ગયું છે, પરંતુ આ આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોઈ શકે છે.
આયોવા યુનિવર્સિટીના અભ્યાસ મુજબ, લિક્વિડ નાઇટ્રોજન સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમો પેદા કરી શકે છે. લિક્વિડ નાઇટ્રોજનની વરાળ ત્વચાની પેશીઓ અને આંખના પ્રવાહીને સ્થિર કરી શકે છે. પરિણામે, કોલ્ડ બર્ન, હિમ લાગવાથી આપણી આંખોને પણ ભારે નુકસાન થઈ શકે છે, તેથી જ આજે ‘તબિયતપાણી’માં આપણે લિક્વિડ નાઈટ્રોજન વિશે વાત કરીશું. તમે એ પણ શીખી શકશો કે-
- શા માટે કાફે અને રેસ્ટોરાં લિક્વિડ નાઇટ્રોજનનો ઉપયોગ કરે છે?
- એ આપણા સ્વાસ્થ્ય માટે કેવી રીતે જોખમી છે?
લિક્વિડ નાઇટ્રોજન સંબંધિત નિયમો શું છે?
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 મુજબ, સલામતીનાં કારણોસર લિક્વિડ નાઇટ્રોજન સંપૂર્ણપણે બાષ્પીભવન થઈ જાય પછી જ કોઈપણ ખાદ્ય પદાર્થ અથવા પીણું પીરસી શકાય છે. આ નિયમનો ભંગ કરનાર સામે સંબંધિત અધિકારીઓ કાર્યવાહી કરી શકે છે. આ પછી પણ ફૂડ ફેન્સી બનાવવા માટે લિક્વિડ નાઈટ્રોજનનો આડેધડ ઉપયોગ થઈ રહ્યો છે.
લિક્વિડ નાઇટ્રોજનથી મૃત્યુનું જોખમ
કેનેડાના નેશનલ કોલાબોરેટિંગ સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટલ હેલ્થ દ્વારા 2018ના અભ્યાસ મુજબ, લિક્વિડ નાઇટ્રોજન એક લિક્વિડ છે. એનું બોઇલિંગ પોઇન્ટ ખૂબ નીચું -196 ° સે છે. તેથી એ માત્ર ઓરડાના તાપમાને ગેસ સ્વરૂપે આવે છે. આ પ્રવાહી કોલ્ડ બર્ન અને ફ્રોસ્ટબાઈટ થઇ શકે છે. અતિશય ઠંડીને કારણે જો એ પેટમાં જાય, તો શ્વાસ અચાનક બંધ થઈ શકે છે અથવા ગળી જવાથી ગૂંગળામણ થઈ શકે છે. આ સ્થિતિ જીવલેણ છે.
જો લિક્વિડ નાઇટ્રોજન આપણા શ્વાસ અથવા ખોરાકમાં આવે છે, તો એ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો… ગ્રાફિકમાં જોઈએ.
લિક્વિડ નાઇટ્રોજનમાં કોઈપણ પ્રકારનું ઝેર હોતું નથી, પરંતુ એ ઓક્સિજનની અછતનું કારણ બની શકે છે, જે કોઈપણ માટે જીવલેણ બની શકે છે.
પશીઓને નુકસાન :લિક્વિડ નાઇટ્રોજનની અતિશય ઠંડી ત્વચા અથવા મ્યુકોસલ સ્તરો પર ક્રાયોજેનિક બર્ન અથવા હિમ લાગવાનું કારણ બની શકે છે. જો એ સંપૂર્ણપણે બાષ્પીભવન થાય એ પહેલાં ગળી જાય તો આ ચિંતાનો વિષય બની શકે છે.
આંતરિક નુકસાન: લિક્વિડ નાઇટ્રોજન ગળી જવાથી ગંભીર આંતરિક નુકસાન થઈ શકે છે. જો એ આપણા પેટમાં પ્રવેશ કરે છે તો એ લિક્વિડમાંથી ગેસમાં ઝડપથી બદલાવાને કારણે પેટ અથવા આંતરડાંમાં છિદ્રો પેદા કરી શકે છે.
ઓક્સિજનના અભાવે મૃત્યુ: લિક્વિડ નાઇટ્રોજન એની આસપાસના વાતાવરણમાંથી ઓક્સિજનને વિસ્થાપિત કરી શકે છે. જો બંધ જગ્યામાં આ સ્થિતિ ઊભી થાય તો ઓક્સિજનની અછતને કારણે મૃત્યુનું જોખમ રહેલું છે.
કોને વધુ જોખમ છે?
દિલ્હીના વરિષ્ઠ ચિકિત્સક ડૉ. બોબી દિવાનનું કહેવું છે કે લિક્વિડ નાઇટ્રોજન ખાદ્ય પદાર્થોને સુરક્ષિત રાખવા માટે સારું છે, પરંતુ જો એ ખોરાક અથવા શ્વાસ દ્વારા આપણા પેટમાં પહોંચે છે, તો એ દરેક માટે જોખમી બની શકે છે. તેમ છતાં કેટલાક લોકોને વધુ જોખમમાં છે. નીચે ગ્રાફિક જુઓ.
બાળકો અને વૃદ્ધોને લિક્વિડ નાઇટ્રોજનથી સૌથી વધુ જોખમ રહેલું છે. બાળકોના શરીરનાં અંગો સંપૂર્ણ રીતે વિકસિત નથી, જ્યારે વૃદ્ધોનાં અંગો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી શકે એવી સ્થિતિમાં હોય નથી.
- આ બંને ઉંમરના લોકોનાં શરીર લિક્વિડ નાઈટ્રોજનને કારણે થતા ત્વરિત ફેરફારો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે. આ સ્થિતિ તેમના માટે જોખમ ઊભી કરે છે.
- જે લોકોને શ્વસનસંબંધી કોઈપણ પ્રકારની સમસ્યા હોય, એટલે કે જો તેમને શ્વસનસંબંધી કોઈ રોગ હોય તો આવા લોકોને લિક્વિડ નાઈટ્રોજનથી નુકસાન થવાનું જોખમ રહેલું છે.
- જે લોકોની ત્વચા વધુ પ્રતિક્રિયાશીલ હોય છે તેઓ લિક્વિડ નાઇટ્રોજનથી વધુ નુકસાન સહન કરી શકે છે.
- જો ફેફસાંની કોઈ બીમારી હશે તો શ્વાસ લેવામાં તકલીફ થશે. આવી સ્થિતિમાં લિક્વિડ નાઈટ્રોજન પરિસ્થિતિને વધુ ખતરનાક બનાવી શકે છે.
ખોરાકને ફેશનેબલ બનાવવાની દોડ
ડો.બોબી દીવાન કહે છે કે ખોરાકને વધુ ફેશનેબલ બનાવવાની દોડ ખતરનાક સાબિત થઈ શકે છે. ખાણીપીણીની વસ્તુઓને વધુ સુંદર અને પ્રસ્તુત બનાવવાની હોડમાં એમાં કંઈપણ ઉમેરાઈ રહ્યું છે. લિક્વિડ નાઇટ્રોજન સાથે ખોરાક પીરસવાનો કોઈ અર્થ નથી.
બોબી દીવાન યાદ અપાવે છે કે તાજેતરમાં ઘણાં રાજ્યોએ કોટન કેન્ડી પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે એમાં ખતરનાક આર્ટિફિશિયલ ફૂડ કલર્સ ઉમેરવામાં આવી રહ્યા હતા. તેઓ કહે છે કે લોકો માત્ર સ્વાદ ખાતર કંઈપણ ખાતા-પીતા હોય છે. આ માટે સરકારે મોટા નિર્ણયો લેવા પડશે. ફૂડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીએ કડક કાર્યવાહી કરવી પડશે, નહીં તો આપણા દેશમાં બીમાર લોકોનો બોજ ઘણો વધી જશે.