2 કલાક પેહલા
- કૉપી લિંક
સવારના નાસ્તાની શરુઆત જો ચણાથી કરશો તો તમારું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે. દરરોજ ચણા ખાવાથી શરીરમાં ભરપૂર ઉર્જા રહે છે અને તમને આખો દિવસ ફ્રેશ રાખે છે. ફણગાવેલા ચણા અને ચણા-ગોળ કે ચણા મસાલા ખાવાથી શરીરને ઉર્જા અને તાજગી મળે છે. ડાયટિશિયન ડૉ.અનુ અગ્રવાલ કહે છે કે પ્રોટીનથી ભરપૂર ચણામાં હાજર એમિનો એસિડ વાળ, ત્વચા, સ્નાયુઓ અને હાડકાં માટે ફાયદાકારક છે.
કાળા ચણા ખાવાના ફાયદા
દરરોજ એક બાઉલથી વધુ ચણા ખાવા જોઈએ નહી. 1 બાઉલ ચણામાં 330 કેલેરી હોય છે, જે શરીર માટે ખરેખર લાભદાયી છે.
ચણામાં રહેલાં પોષકતત્ત્વો
- ચણામાં ફેટની માત્રા ઓછી હોય છે
- પ્રોટીન અને ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે
- કાર્બ્સનું પ્રમાણ વધુ હોય છે
- ડાયાબિટીક લોકો માટે લાભદાયી
- દ્રાવ્ય ફાઈબર બ્લડસુગરને નિયંત્રણમાં રાખે છે
- ભૂખને નિયંત્રણમાં રાખે છે
- ઇન્સ્યુલિન પ્રતિરોધમાં ફાળો આપે છે
- ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે
હાઈ કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે
કાળા ચણામાં દ્રાવ્યશીલ ફાઈબર હોય છે, જે પિત્ત એસિડને બાંધે છે અને તેને શરીર દ્વારા અવશોષિત થવાથી રોકે છે, જેથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રણમાં રહે છે. લગભગ દરરોજ એક બાઉલ ચણા ખાવાથી LDL કોલેસ્ટ્રોલ અને કુલ કોલેસ્ટ્રોલ ટ્રાઇગ્લિસરાઈડ્સને ઘટાડવામાં મદદ મળે છે.
પ્રોટીન અને આયર્નથી ભરપૂર
આયર્નનો એક સમૃદ્ધ સ્ત્રોત હોવાના કારણે કાળા ચણા એ એનીમિયાની બીમારીને રોકવામાં સક્ષમ છે. આ ઉપરાંત તે પ્રોટીનથી ભરપૂર છે એટલે ચણાને પોસ્ટ વર્કઆઉટ ડાયટમાં સામેલ કરી શકાય. તે માંસપેશીઓને મજબૂત બનાવે છે અને પેટ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં પણ મદદ કરે છે, તે વજન ઘટાડવાની પ્રોસેસને ઝડપી બનાવવામાં પણ મદદ કરે છે.
પાચન મજબૂત બનાવે છે
ફાઈબર પાચનતંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ચણામાં ફાઈબરની માત્રા ખૂબ જ સારી હોય છે. ફાઈબર પેટના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભદાયી છે. તે પેટને કબજિયાતની સમસ્યા અને પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.
કાળા ચણા ક્યારે અને કેવી રીતે ખાવા?
- ડાયાબિટીસના દર્દીઓ માટે નાસ્તામાં ફણગાવેલા ચણા ખાવા ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ 1 બાઉલ કાળા ચણા પલાળી રાખો અને તેમાં નમક અને લીંબુ મિક્સ કરીને ખાઓ.
- બપોરના ભોજનમાં શાકભાજી, સલાડ સાથે ચણા મિક્સ કરીને ખાવાથી શરીરને ભરપૂર તાકત મળે છે. ચણાને ઉકાળીને તેમાં બ્રોકલી, ટામેટાં અને ડુંગળીને કાપીને મિક્સ કરી લો અને પછી તેમાં મસાલો ઉમેરીને તૈયાર કરો.
- તમે કાળા ચણાને પીસીને દાળ બનાવીને પણ ખાઈ શકો છો. તેનાથી ડાયાબિટીસની સમસ્યામાં રાહત મળે છે.
- તમે શેકેલા કાળા ચણા ખાઈને ક્રેવિંગ નિયંત્રિત કરી શકો છો, જ્યારે પણ કંઇક ખાવાનું મન થાય ત્યારે થોડા ચણા ખાઓ.
- રાત્રે પણ કાળા ચણા ખાઈ શકાય છે, પરંતુ તે સૂવાના બે કલાક પહેલાં જ ખાઈ લેવા જોઈએ.
સવારે ભૂખ્યા પેટે શેકેલા ચણા ખાવા એ ઈમ્યુનિટી બૂસ્ટરથી કમ નથી. જો તમે દરરોજ શેકેલા ચણા ખાશો તો તે તમને મોસમી બીમારીઓથી દૂર રાખશે.
સવારે ભૂખ્યા પેટે શેકેલા કાળા ચણા ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહેશે
કાળા ચણાને ઉકાળીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તમે તમારા ભોજનમાં કાળા ચણાનો સમાવેશ કરીને સ્વસ્થ રહી શકો છો.
- રોગપ્રતિકારક શક્તિ વધારે
- વજન કંટ્રોલમાં રાખે
- કબજિયાત દૂર કરે
- પાચનશક્તિ મજબૂત બનાવે
- લોહી સાફ રહેશે
કાળા ચણા ખાવાના ગેરફાયદા
દરરોજ ડાયટમાં નવી વસ્તુઓ સામેલ કરો. દરરોજ ચણા ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. રાંધેલા ચણામાં ઘણીવાર જટિલ સુગર પણ સામેલ હોય છે, જે ગેસની સમસ્યાઓનું કારણ બને છે. ચણાને ડાયટમાં સામેલ કરો, પરંતુ દરરોજ નહીં. તેમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે તેમછતાં તમે પ્રોટીન મેળવવા માટે અન્ય પ્રોટીનયુક્ત વસ્તુઓ ખાવ