50 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન મોદીના હસ્તે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઇ. આ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા PMએ 11 દિવસનું અનુષ્ઠાન કર્યું હતું. અનુષ્ઠાન ફક્ત 3 દિવસ જ કરવાનું હતું પરંતુ PM મોદીએ 11 દિવસનું અનુષ્ઠાન કર્યું અને તે દરમિયાન ફક્ત નારિયળ પાણી પીધું અને ફળનું જ સેવન કર્યું. આટલું જ નહી અનુષ્ઠાનના 11 દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી જમીન પર જ સૂતા હતા. આ અનુષ્ઠાન દરમિયાન PM મોદીએ 4 રાજ્યોના 7 મંદિરોમાં દર્શન કર્યા હતા. વડાપ્રધાન મોદીએ 12 જાન્યુઆરીએ નાસિકના કાલારામ મંદિર, 16 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશના લેપાક્ષીના વીરભદ્ર મંદિર, 17 જાન્યુઆરીએ કેરળના ગુરૂવાયુર મંદિર, 20 જાન્યુઆરીએ રામેશ્વરમના અરૂલમિગુ રામાનાથસ્વામી મંદિર, આંધ્રપ્રદેશના રંગાનાથસ્વામી મંદિર અને તમિલનાડુના ત્રિચીમાં દર્શન કર્યા હતા. જ્યારે 21મી જાન્યુઆરીએ તમિલનાડુના કોદંડારામસ્વામી મંદિરમાં શીશ નમાવ્યું હતું.