મુંબઈ21 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીમાં ગુરુવારે એક કેમિકલ ફેક્ટરીમાં બોઈલર ફાટવાના કારણે આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 5નાં મોત અને 56 લોકો ઘાયલ થયા હતા. આ કંપની MIDCના ફેઝ ટુમાં આવેલી છે.
સ્થાનિક લોકોએ જણાવ્યું કે, ત્રણ વિસ્ફોટ થયા હતા. અવાજ એટલો જોરદાર હતો કે લગભગ 3 કિમી સુધી સંભળાયો. નજીકની ઈમારતોના કાચમાં તિરાડો પડી ગઈ હતી. તે જ સમયે, વિસ્ફોટને કારણે આસપાસના ઘણા મકાનોને નુકસાન થયું હતું. દુર્ઘટનાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
નજીકની ઇમારતોના કાચમાં તિરાડો પડી, ટોળા ઉમટી પડ્યા
ઘટના સ્થળે આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
લોકોએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને જણાવ્યું કે તેમના ઘરની બારીઓ તૂટેલી છે.
કંપની પાસે આવેલા મકાનને નુકસાન થયું હતું. બારીઓના કાચ તૂટી ગયા હતા.
ફડણવીસે કહ્યું- 8 લોકોને સસ્પેન્ડ કરાયા
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ડોમ્બિવલી આગની ઘટના પર ટ્વીટ કર્યું. તેમણે કહ્યું કે ડોમ્બિવલીની કેમિકલ કંપનીમાં બોઈલર ફાટવાની ઘટના દુઃખદ છે. આ કેસમાં 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તેમણે વધુમાં કહ્યું કે ઘાયલોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક એમ્બ્યુલન્સ તૈયાર રાખવામાં આવી છે. મેં કલેક્ટર સાથે ચર્ચા કરી છે અને તેઓ પણ 10 મિનિટમાં સ્થળ પર પહોંચી રહ્યા છે. એનડીઆરએફ, ટીડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી છે.
શ્રીકાંત શિંદેએ કહ્યું- આગામી 6 મહિનામાં આવી કેમિકલ ફેક્ટરીને બહાર શિફ્ટ કરાશે
મુખ્યમંત્રી એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું કે અમે ઘાયલોની સારવાર કરાવી રહ્યા છીએ. આવી ઘટનાઓ ન બને તે માટે અમે આગામી 6 મહિનામાં કેમિકલ ફેક્ટરીઓને રહેણાંક વિસ્તારની બહાર ખસેડીશું.