- Gujarati News
- National
- Despite Living In Arunachal For 60 Years, Chakma People Do Not Have Citizenship Or Jobs
ગુવાહાટી59 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ચાર પેઢી મહેમાન તરીકે રહ્યા, ચકમા સમુદાયના અનુભવ રજૂ
18 વર્ષીય બિનોદ ચકમા અરુણાચલ પ્રદેશના ચાંગલાંગ જિલ્લાના મોપેન ગામમાં ઉછર્યો છે. બિનોદ પોતાના પરિવારની ચોથી પેઢી તરીકે છે, જે પહાડી રાજ્યના ચાંગલાંગ જિલ્લાનાં 16 ગામોમાં 15,000 અન્ય ચકમા પરિવારોની સાથે રહે છે. ચકમા સમુદાયના લોકો 1964થી ચાંગલાંગને પોતાના ઘર તરીકે ગણે છે. 1964માં ભારત સરકાર દ્વારા તેમને ત્યાં પુન:વસવાટ કરવા માટે નિર્ણય કર્યો હતો.
હાલમાં કેન્દ્રીયમંત્રી અને અરુણાચલ પ્રદેશમાંથી લોકસભા સાંસદ કિરેન રિજિજૂએ મહેમાન કહ્યા છે. અરુણાચલ પ્રદેશને ઘર તરીકે ગણીને છેલ્લા 60 વર્ષથી રહેતા આશરે એક લાખથી વધારે ચકમા અને હાજોંગ લોકો કેન્દ્રીય મંત્રીના નિવેદનથી હતાશ છે અને નારાજ પણ છે. ચકમા અને હાજોંગ 1964થી ભારતમાં કોઇ પણ અધિકાર વગર રહેતા હતા. આ સમુદાયના લોકોને મફત રેશનિંગ, શિક્ષણ, સ્કોલરશિપ જેવી સુવિધી મળી નથી. સાથે સાથે નોકરીથી પણ વંચિત રહી જાય છે.
નોકરીના લાભ નહીં મળવાથી ચકમા યુવાનોને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે
- ચકમા સમુદાયની વિદ્યાર્થિની કવિતાનું કહેવું છે કે હું સ્નાતક સુધી અભ્યાસ પૂર્ણ કરી ચૂકી છું. જ્યારે અમે અરુણાચલપ્રદેશમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે જઇએ છીએ ત્યારે વિભાગો એમ કહીને અમારી સાથે ભેદભાવ કરે છે કે અમે ચકમા સમુદાયના છીએ. અમને શરણાર્થી કહેવામાં આવે છે. જ્યારે અમે નોકરી માટે દિલ્હી અને અન્ય સ્થળો પર જઇએ છીએ ત્યારે અમને નિવાસ પ્રમાણપત્ર અને અન્ય પ્રકારના દસ્તાવેજો રજૂ કરવાની ફરજ પડે છે. આ પ્રકારના દસ્તાવેજો રાજ્ય સરકારે આપ્યા નથી.
- હરિધન ચકમાનું કહેવું છે કે મારો જન્મ અહીં ચાંગલાંગ જિલ્લામાં થયો હતો. અમે પેઢીઓથી અહીં રહીએ છીએ પરંતુ કોઇ પણ પ્રકારની સુવિધા મળી રહી નથી. સુવિધા મેળવવા માટે લાયક નથી. અમારા સમુદાયના લોકોને અહીં નોકરી મળતી નથી. યુવાનો કઇંક કરવા માંગે છે તો તેમને બેન્ક લોન આપતી નથી. વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત છે.
- અરુણાચલ ચકમા સ્ટુડન્ટસ યુનિયનના અધ્યક્ષ દ્રશ્ય મોની ચકમાએ કહ્યું કે અરુણાચલ પ્રદેશમાં ચકમા સમુદાયની ચોથી પેઢી છે પરંતુ નાગરિકતાના પ્રમાણપત્ર નહીં હોવાના કારણે નોકરી હાંસલ કરવામાં ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
બાંગ્લામાં ભારે ઉત્પીડન બાદ ચકમા ભારત આવ્યા
ચકમા અને હાજોંગ મૂળ રીતે તત્કાલીન પૂર્વીય પાકિસ્તાનના ચટગાંવ પહાડી વિસ્તારના રહેવાસી હતા. કપ્તાઇ બંધ પરિયોજના અને પૂર્વીય પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં ધાર્મિક ઉત્પીડનના કારણે આ લોકોને ભાગીને ભારતમાં આવવાની ફરજ પડી હતી.
સુપ્રીમે નાગરિકતાનો આદેશ આપ્યો હતો
સુપ્રીમકોર્ટે 1996 અને 2015માં 1960ના દાયકામાં અરુણાચલ પ્રદેશમાં વસી ગયેલા બંને સમુદાયના સભ્યોને નાગરિકતા આપવાનો આદેશ આપ્યો હતો. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે 2022માં સરકારને સુપ્રીમકોર્ટના આદેશ મુજબ ચકમા અને હાજોંગને નાગરિકતા અધિકાર આપવા માટે કહેવામાં આવ્યું હતું.