2 કલાક પેહલાલેખક: યશપાલ બક્ષી
- કૉપી લિંક
એડવોકેટ ઉજ્જવલ નિકમ. આ નામ દેશભરમાં જાણીતું છે. એટલે જાણીતું છે કારણ કે, એ બોમ્બે બોમ્બ બ્લાસ્ટનો કેસ લડ્યા. એ બોલિવુડ નિર્માતા ગુલશન કુમારનો કેસ લડ્યા. ભાજપના નેતા પ્રમોદ મહાજનની હત્યાનો કેસ લડ્યા. અને તેનું નામ વજનદાર બન્યું તો આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવ્યા પછી બન્યું. 71 વર્ષના ઉજ્જવલ નિકમને ભારતીય જનતા પાર્ટીએ નોર્થ-સેન્ટ્રલ મુંબઈ સીટની ટિકિટ આપી છે. ઉજ્જવલ નિકમ માટે રાજનીતિનો પહેલો અનુભવ છે. એમણે રાજકારણમાં આવવાનું કેમ વિચાર્યું, સાંસદ બન્યા પછી દેશ માટે શું કરવા વિચારે છે, એ તમામ બાબતો વિશે દિવ્ય ભાસ્કરે ઉજ્જવલ નિકમ સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો તેમની સાથેની વાતચીત…
સવાલ : તમારું ઝોન વકીલાતનું હતું અને હવે નવા ઝોન પોલિટિક્સમાં જવાનો કેવી રીતે વિચાર આવ્યો?
જવાબ : એ વાત સાચી છે કે રાજનીતિ મારી જિંદગીની સેકન્ડ ઈનિંગ છે. પણ રાજનીતિ ખરાબ નથી. કેટલાક લોકોએ રાજનીતિને વગોવી છે. પણ રાજનીતિના માધ્યમથી સમાજ સેવા અને દેશની સુરક્ષા માટે ઘણું કામ કરી શકીએ છીએ.
સવાલ : એટલે તમે ભાજપ સાથે જોડાવાનું નક્કી કર્યું… જવાબ :