- Gujarati News
- National
- In Belagavi, Modi Said ‘Shehzada Insulted Kings maharajas’, No Strength To Talk About Nawabs Sultans
બેંગલુરુ4 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના બેલાગવી પહોંચ્યા હતા. અહીં તેમણે ચૂંટણી રેલીમાં કહ્યું- કોંગ્રેસને દેશની ઉપલબ્ધિઓ પસંદ નથી. તેણે પહેલા કોરોના વેક્સીન પર સવાલ ઉઠાવ્યા અને પછી ઈવીએમના બહાને ભારતને આખી દુનિયામાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
વડાપ્રધાને કહ્યું- કોંગ્રેસના શેહઝાદાને આપણા રાજા-મહારાજાઓનાં યોગદાન યાદ નથી. તેઓ વોટબેંકની રાજનીતિ ખાતર રાજાઓ અને મહારાજાઓ સામે બોલવાની હિંમત કરે છે અને નવાબો, બાદશાહો અને સુલતાનો સામે એક શબ્દ પણ ઉચ્ચારવાની તાકાત નથી.
તેમણે કહ્યું- તુષ્ટિકરણ કોંગ્રેસનું લક્ષ્ય અને મિશન છે. PFI એક દેશ વિરોધી સંગઠન છે જેના પર અમારી સરકારે પ્રતિબંધ મૂક્યો હતો, કોંગ્રેસ તેનો ઉપયોગ પોતાના રાજકીય લાભ માટે માધ્યમ તરીકે કરી રહી છે. વાયનાડ (રાહુલ ગાંધીની સંસદીય બેઠક)માં માત્ર એક બેઠક જીતવા માટે કોંગ્રેસ આવા આતંકવાદી સંગઠનને બચાવવામાં વ્યસ્ત છે.
મોદીનું 32 મિનિટનું ભાષણ 8 મુદ્દામાં વાંચો…
વડાપ્રધાનની જાહેર સભામાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો.
1. કોરોનાની રસીથી લઈને EVM સુધીની દરેક બાબત પર પ્રશ્નો ઉઠાવ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકમાં 4 રેલીઓ કરશે. પહેલા તે બેલગાવી પહોંચ્યા. અહીં તેમણે કહ્યું- જ્યારે ભારત મજબૂત બને છે ત્યારે દરેક ભારતીય ખુશ થાય છે પરંતુ કોંગ્રેસ રાષ્ટ્રહિતથી એટલી દૂર થઈ ગઈ છે કે તેને દેશની ઉપલબ્ધિઓ પસંદ નથી. તેઓ ભારતની દરેક સફળતાથી શરમ અનુભવવા લાગ્યા છે. તેમણે ઈવીએમના બહાને ભારતને આખી દુનિયામાં બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
2. હુબલી કોલેજમાં હત્યા થઈ, કોંગ્રેસે અહીં પણ તૃષ્ટિકરણ કર્યું
પીએમએ 18 એપ્રિલે કોંગ્રેસ કાઉન્સિલરની પુત્રી નેહાની હુબલીની કોલેજમાં થયેલી હત્યા અંગે પણ ચર્ચા કરી હતી. નેહાને ફયાઝે જાહેરમાં છરીના ઘા મારીને હત્યા કરી હતી. તેમણે કહ્યું- હુબલીમાં કોલેજ કેમ્પસમાં જે બન્યું તેનાથી દેશમાં ભૂકંપ સર્જાયો, તે દીકરીનો પરિવાર કાર્યવાહીની માગ કરતો રહ્યો પરંતુ કોંગ્રેસ સરકાર તુષ્ટિકરણના દબાણને પ્રાથમિકતા આપે છે. તેને પોતાની વોટ બેંકની ચિંતા છે.
3. કોંગ્રેસે કહ્યું કે બેંગલુરુ કાફે બ્લાસ્ટમાં કહ્યું સિલિન્ડર ફાટ્યું હશે
વડાપ્રધાને બેંગલુરુના કેફેમાં થયેલા બોમ્બ વિસ્ફોટનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું- જ્યારે બેંગલુરુમાં એક કેફેમાં બ્લાસ્ટ થયો ત્યારે પણ કોંગ્રેસ સરકારે તેને ગંભીરતાથી ન લીધો, તેઓએ તો એમ પણ કહ્યું કે ગેસ સિલિન્ડર ફાટ્યું હશે. કોંગ્રેસ દેશની જનતાની આંખમાં ધૂળ કેમ ફેંકી રહી છે?
4. કોંગ્રેસના શહેઝાદા આપણા રાજા-મહારાજાને અત્યાચારી કહે છે
કોંગ્રેસના શહેઝાદા કહે છે કે ભારતના રાજા-મહારાજાઓ અત્યાચારી હતા, તેઓ ગરીબોની જમીન છીનવી લેતા હતા. કોંગ્રેસના રાજકુમારે છત્રપતિ શિવાજી મહારાજ, રાણી ચિન્નમ્માનું અપમાન કર્યું છે. કોંગ્રેસ રાજકુમારનું નિવેદન મતબેંકની રાજનીતિ કરવા અને તુષ્ટિકરણ માટે જાણીજોઈને અપાયેલું નિવેદન છે.
5. ઔરંગઝેબે આપણા મંદિરો તોડ્યા, કોંગ્રેસ તેમના સમર્થક પાર્ટીની સાથે
મોદીએ કહ્યું- કોંગ્રેસને ઔરંગઝેબના અત્યાચારો યાદ નથી, જેમણે આપણા સેંકડો મંદિરોને તોડ્યા અને ખંડિત કર્યા. કોંગ્રેસ ઔરંગઝેબના ગુણગાન ગાતી પાર્ટીઓ સાથે ખુશીથી ગઠબંધન કરે છે. આપણા તીર્થસ્થાનોનો નાશ કર્યો, લૂંટફાટ કરી, ગૌ હત્યા કરી.
6. કોંગ્રેસની નજર સ્ત્રી ધન પર, તેઓ એક્સ-રે કરાવવાની યોજના બનાવી રહ્યા છે
અમે દેશની મહિલાઓ, ખેડૂતો, યુવાનો અને ગરીબોના સશક્તિકરણ માટે કામ કરી રહ્યા છીએ. અને બીજી તરફ કોંગ્રેસ તમારી સંપત્તિ, તમારું સોનું, સ્ત્રી ધન, મંગળસૂત્ર અને ન જાણે શેનો-શેનો એક્સ-રે કરાવવાની યોજના બનાવી રહી છે. કોંગ્રેસનો ઉદ્દેશ્ય તમારા ઘરો પર દરોડા પાડવાનો અને તમારા અધિકારો અને મિલકતો છીનવી લેવાનો છે.
7. તમારી સંપત્તિને તમારી મનપસંદ વોટ બેંકમાં વહેંચવાની વાત કરે છે
કોંગ્રેસ તેની મનપસંદ મત બેંકોમાં તમારી સંપત્તિ વહેંચવાની વાત કરે છે. શું તમે તમારી મહેનતના પૈસા કોઈને આપવા માગો છો? શું તમે કોંગ્રેસને તમારું મંગળસૂત્ર હડપ કરવા દેશો? ના! શું ‘પંજો’ તમારી મિલકત ચોરી શકે છે? ના. હું કોંગ્રેસને ચેતવણી આપવા માગું છું- આ ઈરાદા છોડી દો!
8. દસ વર્ષમાં અમે ઈઝ ઓફ લિવિંગ માટે કામ કર્યું
મોદીએ કહ્યું- છેલ્લા 10 વર્ષમાં ભાજપ અને એનડીએ સરકારે દેશના નાગરિકોની સરળતા માટે ઘણું કામ કર્યું છે. તેનું મોટું ઉદાહરણ ભારતીય ન્યાયિક સંહિતા છે, કોંગ્રેસ માનસિક રીતે અંગ્રેજોની ગુલામીમાં જીવી રહી હતી. હવે ભારતના ન્યાયિક સંહિતામાં સજાને નહીં પણ ન્યાય આપવાને પ્રાથમિકતા આપવામાં આવી છે.