- Gujarati News
- National
- Indian Army Is Constructing Pak Defense Wall In Village On Pakistan Border, Facility Including Bunker, Construction Work Of First Phase Is Going On Now.
શ્રીગંગાનગર2 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર
- શ્રીગંગાનગરની સરહદ પર બની રહેલી બંકર-દીવાલ, બોર્ડરથી 12 કિમી પહેલા દીવાલ
પાકિસ્તાનની મડવોલ (માટીની દીવાલ)ના જવાબમાં ભારતીય સેના હવે સરહદ સાથે જોડાયેલાં ગામોમાં ડિફેન્સ વોલ બનાવી રહી છે. દેશની આ પ્રકારની પહેલી દીવાલનું નિર્માણ રાજસ્થાનના શ્રીગંગાનગર અને પંજાબમાં શરૂ પણ થઈ ગયું છે. તેની જવાબદારી ગ્રેફને સોંપાઈ છે. પથ્થરોની આ નવી દીવાલ બોર્ડરથી 12 કિમી પહેલાં સીમાંત ગામોમાં નહેરોના કિનારે બનાવાઈ રહી છે.
પહેલા તબક્કામાં 21 કિમી લાંબી દીવાલનું નિર્માણ અંતિમ ચરણમાં છે. તેની ખાસિયત એ છે કે 10 ફૂટ પહોળી અને 7 ફૂટ ઊંચી આ દીવાલની અંદર જ બન્કર પણ હશે. તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે આપણી સુરક્ષા હવે બમણી થઈ જશે. બોર્ડર પર બીએસએફ રહેશે અને ડિફેન્સ વોલમાં સેના તૈનાત રહેશે. અહીં તેનું પરિણામ શ્રેષ્ઠ આવ્યા પછી દેશભરમાં સમગ્ર બોર્ડર વિસ્તારમાં આવી ડિફેન્સ વોલ બનાવાશે.
ભારતની ડિફેન્સ વોલ; આપણી વોલનું નિર્માણ પથ્થરોની બે પાક્કી દીવાલો વચ્ચે માટી ભરીને કરાયું છે. આ જ દીવાલો વચ્ચે બન્કર પણ બનાવાયાં છે. જ્યાં સેનાના જવાનો સરળતાથી ઊભા રહી શકશે. આ ઉપરાંત સેનાની અવર-જવર અને અન્ય ગતિવિધિઓ પણ દુશ્મન દેશ નહીં જોઈ શકે.
એકથી બીજા બન્કર વચ્ચે ખાલી સ્પેસ, દીવાલ બનશે સહારો
હાલમાં એકથી બીજા બન્કર વચ્ચે ખાલી જગ્યા હતી, જ્યાં વિશેષ પરિસ્થિતિઓમાં સેનાના જવાનોને મુશ્કેલી પડતી હતી. હવે દીવાલમાં જ બન્કર હશે. દુશ્મન સામેની જવાબી કાર્યવાહીમાં બન્કર દ્વારા જ દુશ્મનોને રોકી શકાશે અને દીવાલ પાછળ આપણી સેના પણ સેના પણ સુરક્ષિત રહેશે. આ ઉપરાંત સેનાની મૂવમેન્ટની પાકિસ્તાનને ખબર પણ નહીં પડે.
પાકિસ્તાનની મડવોલ સામે ભારતની ડિફેન્સ વોલ પણ તૈયાર કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ નિર્માણ કામ વધુ ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકાર સરહદી વિસ્તારોમાં સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે.
પાક સેનાની મૂવમેન્ટની માહિતી મેળવાશે
પાકિસ્તાનની મડવોલ; આ દીવાલ માટીથી બનેલી છે, જે વરસાદમાં ધસી જાય છે. ત્યારે, ભારતમાં બની રહેલી આ દીવાલથી રાજસ્થાન-પંજાબના ખેડૂતોને પણ ફાયદો થશે. પહેલો, નહેરના પાટિયાં તેનાથી મજબૂત થશે. બીજો, નહેરોમાંથી પાણીની ચોરી અટકશે. હવે ઘણા ખેડૂતો પાઈપ લગાવીને અહીંથી પાણી તેમનાં ખેતરો માટે લઈ લે છે, જે હવે સંપૂર્ણ પણે બંધ થયું છે.