પુણે33 મિનિટ પેહલાલેખક: આશિષ રાય
- કૉપી લિંક
20 ઓગસ્ટ 2013ના રોજ દાભોલકરની પુણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિવારણ સમિતિના વડા નરેન્દ્ર દાભોલકરની હત્યા કેસમાં 11 વર્ષ બાદ કોર્ટનો ચુકાદો આવ્યો છે. પુણેની સીબીઆઈ સ્પેશિયલ કોર્ટે આરોપી સચિન અન્દુરે અને શરદ કલસ્કરને દોષિત જાહેર કર્યા છે.
કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે. હત્યાના માસ્ટરમાઇન્ડ ગણાતા ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડે ઉપરાંત કોર્ટે વિક્રમ ભાવે અને સંજીવ પુનાલકરને નિર્દોષ જાહેર કર્યા છે. હત્યા કેસમાં કુલ 5 આરોપી હતા.
વીરેન્દ્ર તાવડે પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. જો કે, સરકારી પક્ષ તેમની સામે પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નથી. તાવડે ઉપરાંત અન્ય બે આરોપીઓ સામે પણ આરોપ સાબિત થઈ શક્યા નથી.
20 ઓગસ્ટ 2013ના રોજ દાભોલકરની પુણેમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પુણેમાં દાભોલકરની હત્યા પછી, ફેબ્રુઆરી 2015માં ગોવિંદ પાનસરેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને તે જ વર્ષે ઓગસ્ટમાં કોલ્હાપુરમાં એમએમ કલબુર્ગીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2017માં, ગૌરી લંકેશની બેંગલુરુમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
કોને સજા થઈ અને કોને નિર્દોષ છોડવામાં આવ્યા?
સચિન અન્દુરે- આજીવન કેદ શરદ કલસ્કર – આજીવન કેદ વિરેન્દ્રસિંહ તાવડે-નિર્દોષ વિક્રમ ભાવે- નિર્દોષ સંજીવ પુનાલકર-નિર્દોષ
CBIએ 2016માં વીરેન્દ્ર તાવડેની ધરપકડ કરી હતી
દાભોલકર હત્યા કેસમાં પુણે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. 2014માં બોમ્બે હાઈકોર્ટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI)ને તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. CBIએ જૂન 2016માં ENT સર્જન ડૉ. વીરેન્દ્ર સિંહ તાવડેની ધરપકડ કરી હતી.
વીરેન્દ્ર તાવડે અને અન્ય આરોપીઓ હિન્દુ દક્ષિણપંથી સંગઠન સનાતન સંસ્થા સાથે સંકળાયેલા હતા. દાવો કરવામાં આવ્યો હતો કે આ સંગઠન દાભોલકરની સંસ્થા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યોનો વિરોધ કરી રહ્યું હતું.
સીબીઆઈ તેની ચાર્જશીટમાં તેણે પહેલા સારંગ અકોલકર અને વિનય પવારનું નામ શૂટર્સ તરીકે રાખ્યું હતું. જો કે, એજન્સીએ પાછળથી સચિન અન્દુરે અને શરદ કલસ્કરની ધરપકડ કરી હતી. ચાર્જશીટમાં દાવો કર્યો હતો કે તેણે જ દાભોલકરને ગોળી મારી હતી.
ત્યારબાદ તપાસ એજન્સીએ કાવતરાખોરોને સમર્થન આપવા બદલ વકીલ સંજીવ પુનાલેકર અને વિક્રમ ભાવેની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન આરોપીઓના વકીલોમાંના એક વકીલ વીરેન્દ્ર ઇચલકરંજીકરે શૂટરોની ઓળખ કરવામાં CBIની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા હતા.
દાભોલકરની હત્યાનું કારણ શું?
ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર વીરેન્દ્ર તાવડે દાભોલકર હત્યા કેસના માસ્ટર માઇન્ડ્સમાંના એક હતા. સીબીઆઈનું માનવું છે કે દાભોલકરની હત્યા પાછળનું મુખ્ય કારણ મહારાષ્ટ્રમાં અંધશ્રદ્ધા નાબૂદ સમિતિ અને સનાતન સંસ્થા વચ્ચે ટકરાવ રહ્યો હતો. એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાવડે અને અન્ય આરોપીઓવાળી સનાતન સંસ્થા, દાભોલકરનું સંગઠન, મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ (અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ, મહારાષ્ટ્ર)ની કામકાજનો વિરોધ કરતી હતી.
સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી ડો. તાવડે 22 જાન્યુઆરી 2013ના રોજ તેની બાઇક પર પૂણે ગયો હતો. તે 2012થી આ બાઇકનો ઉપયોગ કરી રહ્યો હતો. એ જ બાઇક પર સવાર થઈને હત્યારાઓ 20 ઓગસ્ટ 2013ના રોજ ડૉ નરેન્દ્ર દાભોલકર પર ગોળીઓ વરસાવી હતી. ઘટના બાદ પણ તાવડેએ બાઇકનો ઉપયોગ કરતો રહ્યો હતો. પુણેના એક ગેરેજમાં તેને રિપેરિંગ પણ કરવામાં આવી હતી. બાદમાં તે આ બાઇક લઇને કોલ્હાપુર પણ ગયો હતો. જ્યાં 2015માં કોમરેડ પાનસરેની હત્યા કરવામાં આવી હતી.