નવી દિલ્હી31 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીની R&R હોસ્પિટલમાં ડોક્ટરોએ જવાનના હાથની સર્જરી કરી હતી.
લદ્દાખના ફોરવર્ડ યુનિટમાં મશીન ચલાવતી વખતે ભારતીય સેનાના એક જવાનનો હાથ કપાઈ ગયો હતો. આ પછી, ભારતીય વાયુસેના (IAF) એ સૈનિકને IAF C-130 J ફ્લાઇટ દ્વારા માત્ર 4 કલાકમાં દિલ્હી એરલિફ્ટ કર્યો હતો.
ઘાયલ જવાનને પહેલા લેહ એરબેઝ પર લઈ જવામાં આવ્યો હતો. આ પછી તેને સુપર હર્ક્યુલસ પ્લેન દ્વારા પાલમ એરફોર્સ સ્ટેશન પર એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. IAF ટીમ ઘાયલ જવાનને દિલ્હીની R&R હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી.
એરલિફ્ટ માટે માત્ર 6-8 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. આ માટે સૈનિકને C-130 J ફ્લાઇટ દ્વારા એરલિફ્ટ કરવામાં આવ્યો હતો.
આ અકસ્માત 10 એપ્રિલે થયો હતો
જવાન સાથે આ દુર્ઘટના 10 એપ્રિલ બુધવારે લદ્દાખની ફોરવર્ડ પોસ્ટ પર થઈ હતી. IAFએ શુક્રવારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ X પર ઓપરેશન થિયેટરના ફોટો સાથે આ સમાચાર શેર કર્યા છે. લદ્દાખમાં હાજર IAFએ તેનો હાથ કપાયા બાદ તેને પ્રાથમિક સારવાર આપી હતી.
વાયુસેનાએ એમ પણ કહ્યું કે તેઓએ રાત્રે જવાનને મેડિકલ સહાય પૂરી પાડવા માટે NVG ચશ્મા પહેર્યા હતા. NVG એટલે નાઇટ વિઝન ગોગલ્સ. આ ચશ્મા ઓછા પ્રકાશને કારણે રાતના અંધારામાં જોવામાં મદદ કરે છે. આ ચશ્માને નાઇટ ઓપ્ટિકલ અથવા ઓબ્ઝર્વેશન ડિવાઇસ પણ કહેવામાં આવે છે.
IAFએ એપ્રિલ 2023માં પણ રેસ્ક્યૂ કર્યું હતું
ભારતીય વાયુસેનાએ એપ્રિલ 2023માં રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સુદાનના ઘણા લોકોને બચાવ્યા હતા. આ રેસ્ક્યુ ઓપરેશનમાં C-130 Jનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન પણ અંધારાને કારણે પાઈલટ અને ટીમે નાઈટ વિઝન ગોગલ્સ પહેર્યા હતા.
વાંચો આ સમાચાર…
પૂર્વ સૈનિકનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા ડોક્ટરોની ટીમને એરલિફ્ટ કરી: એર ફોર્સે શોર્ટ નોટિસ પર ડોર્નિયર મોકલ્યું; લિવર લેવા માટે ટીમ દિલ્હીથી પુણે પહોંચી હતી
ભારતીય વાયુસેના (IAF) એ શુક્રવારે (23 ફેબ્રુઆરી) પૂર્વ સૈનિકના લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે શોર્ટ નોટિસ પર તેનું ડોર્નિયર એરક્રાફ્ટ મોકલ્યું હતું. નવી દિલ્હીની આર્મી હોસ્પિટલમાં દાખલ જવાનના લીવર માટે ડોકટરોને પુણે મોકલવામાં આવ્યા હતા. અહીંથી ડોકટરોની ટીમને લીવર સાથે દિલ્હી પરત એરલિફ્ટ કરવામાં આવી, જેના કારણે પૂર્વ સૈનિકનો જીવ બચી ગયો.