- Gujarati News
- National
- Vijay Mallya Nirav Modi; India Fugitive Criminals Vs ED NIA CBI Team | Sanjay Bhandari
નવી દિલ્હી11 કલાક પેહલા
- કૉપી લિંક
ભારત સરકાર ભાગેડુ ગુનેગારોને લંડનથી લાવવાની તૈયારી કરી રહી છે. તેમાં બંધ થઈ ગયેલી કિંગફિશર એરલાઈન્સના માલિક વિજય માલ્યા, હીરા ઉદ્યોગપતિ નીરવ મોદી અને હથિયારોના વેપારી સંજય ભંડારીનો સમાવેશ થાય છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), CBI અને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ તેમને લાવવા લંડન જશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની ટીમ અને બ્રિટન સ્થિત ભારતીય હાઈ કમિશન વચ્ચે લંડનમાં બેઠક યોજાવાની છે. આ બેઠકમાં બ્રિટિશ અધિકારીઓ પણ ભાગ લેશે. આમાં ભારતીય અધિકારીઓ માહિતી એકત્રિત કરશે કે આ ભાગેડુ ગુનેગારોએ લંડન અને અન્ય દેશોમાં કઇ પ્રોપર્ટીમાં નાણાંનું રોકાણ કર્યું અને તેમણે ક્યાં વ્યવહારો કર્યા.
ભારત અને બ્રિટન વચ્ચે પરસ્પર કાનૂની સહાયતા સંધિ (MLAT) છે જે માહિતીની આપસમાં વહેંચણી કરે છે. આ સંધિ હેઠળ અન્ય દેશોમાંથી ભાગેડુ આર્થિક ગુનેગારોની માહિતી મેળવવામાં આવે છે.
માલ્યા, નીરવ અને ભંડારીની હાલની સ્થિતિ
વિજય માલ્યા, નીરવ મોદી અને સંજય ભંડારીને યુકેથી લાવવાના છે. ત્રણેયે લંડનની કોર્ટમાં પોતાને ભારત મોકલતા રોકવા માટે અપીલ કરી છે. EDએ ભારતમાં ત્રણેયની મિલકતો જપ્ત કરી છે.