બેંગલુરુ46 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોલીસે કહ્યું- મહિલાને પહેલાથી જ ખબર હતી કે નદીમાં ઘણા મગર છે. (ફાઈલ)
મા તે મા બીજા બધા વન વગડાના વા. કહેવાય છે કે માતા પોતાના બાળક માટે મોતને પણ વ્હાલું કરતા ખચકાતી નથી. પણ કર્ણાટકની એક કુમાતાએ માતાઓને લજવતી એક ઘટનાને અંજામ આપ્યો છે. કર્ણાટકના ઉત્તરા કન્નડમાં આ નિર્દય માતાએ પોતાના 6 વર્ષના વિકલાંગ બાળકને મગરથી ભરેલી નદીમાં ફેંકી દીધો. અને આ જ તે નિર્દોષ બાળકના મોતનું કારણ બન્યું. તે માસૂમનો વાંક એટલો હતો કે તે દિવ્યાંગ હતો. પોલીસે રવિવારે (6 મે)ના રોજ જણાવ્યું હતું કે મહિલાએ તેના પતિ સાથે ઝઘડા બાદ આ પગલું ભર્યું હતું. બાળકીના શરીર પર ઈજાના નિશાન હતા. તેનો એક હાથ પણ ગાયબ હતો.
પોલીસે કહ્યું- એવી આશંકા છે કે બાળકનું મોત મગરના હુમલાથી થયું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. તે જ સમયે, પતિ-પત્ની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તેમની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે મહિલાને પહેલાથી જ ખબર હતી કે નદીમાં મગર છે. પુત્ર વિકલાંગ હોવાના કારણે તેણીના પતિ સાથે અનેક ઝઘડા થયા છે. તેના પતિએ અગાઉ પણ ઘણી વખત કહ્યું છે કે અમારો દીકરો બોલી શકતો નથી. તે આને જન્મ જ કેમ આપ્યો? મૂંગા બાળકને ક્યાંક ફેંકી દે.
ડાઇવર્સે બાળકને શોધવાનો પ્રયાસ કર્યો હતો
પોલીસે જણાવ્યું હતું કે શનિવારે સાંજે લગભગ 7 વાગ્યે તેણે તેના પુત્રને તેના ઘરની નજીક કાલી નદીની કેનાલમાં ફેંકી દીધો હતો. પડોશીઓ પાસેથી માહિતી મળ્યા પછી, ગોતાખોરો સાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ અંધારાના કારણે પોલીસ બાળકને શોધી શકી ન હતી.
રવિવારે સવારે બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જોતા એવું લાગી રહ્યું હતું કે જાણે બાળક પર મગરોએ હુમલો કર્યો હોય. પડોશીઓએ પોલીસને જણાવ્યું કે તેમના પુત્રની અપંગતાને કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતો હતો. પુત્રની અપંગતાને કારણે બંને ગુસ્સામાં હતા.
બીબીસીના અહેવાલ અનુસાર, વિશ્વમાં મગરના હુમલાને કારણે દર વર્ષે 1 હજારથી વધુ લોકોના મોત થાય છે.
યુપીના બહરાઈચમાં પણ મગરના હુમલાથી એકનું મોત થયું
આ પહેલા 31 માર્ચે ઉત્તર પ્રદેશના બહરાઈચમાં મગરના હુમલાથી મોતનો મામલો સામે આવ્યો હતો. અહીં ઘાઘરા નદી નજીકથી પસાર થઈ રહેલા 12 વર્ષના દિનેશને મગર ખેંચીને લઈ ગયો હતો અને તેના પર હુમલો કર્યો હતો. જેમાં દિનેશનું મોત થયું હતું. જિલ્લામાં મગરના હુમલાથી કિશોરના મોતની આ પ્રથમ ઘટના નથી. આ પહેલા પણ મગરના હુમલામાં અનેક લોકોના મોત થયા છે.