1 કલાક પેહલા
- કૉપી લિંક
- ભૂલથી પણ અખાત્રીજે ન ખરીદો આ 5 વસ્તુ, લાંબા ગાળા સુધી થઈ શકે છે નુકસાન, બની શકો છો કંગાળ
અખાત્રીજે કોઈ વસ્તુ ખરીદવાનું આયોજન હોય તો એકવાક જરૂર જાણી લો, કઈ વસ્તુ ખરીદવી શુભ રહેશે?
આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર 10 મે, 2024ના રોજ ઉજવવામાં આવશે. અક્ષય તૃતીયા દર વર્ષે વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે. આ દિવસને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અક્ષય તૃતીયાનો દિવસ વર્ષની શુભ તારીખોની શ્રેણીમાં આવે છે. આવી સ્થિતિમાં આ દિવસે કોઈપણ શુભ કાર્ય કરી શકાય છે. અક્ષય તૃતીયાનો દિવસ ગૃહપ્રવેશ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાનો નિયમ છે. એવું કહેવાય છે કે, સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે. પરંતુ જો તમે સોનું નથી ખરીદી શકતા તો અક્ષય તૃતીયાના દિવસે આ વસ્તુઓ પણ ખરીદી શકો છો.
આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના લગ્નના મહાત્મ્યના પ્રતીક તરીકે છે. આ તહેવારને શુભ કાર્યોની શરૂઆત કરવા માટે પણ શુભ માનવામાં આવે છે. અક્ષય તૃતીયાનો અર્થ થાય છે “અનંત ફળ આપનાર”. આ દિવસે કરવામાં આવેલ તમામ શુભ કાર્યો અક્ષય છે એટલે કે શાશ્વત ફળ આપે છે. પરંતુ આ દિવસે કેટલીક એવી વસ્તુઓ જેને ઘરમાં ન લાવવી જોઈએ. આ વસ્તુ ઘરમાં લાવવાથી નુકસાન કરે છે સાથે જ દેવી-દેવતાઓની આ વસ્તુ ખરીદવાથી કૃપા પ્રાપ્ત થતી નથી, ઘરમાં લક્ષ્મીનું આગમન નથી થતું તેથી પરંતુ તમારા ઘરે ગરીબી-દરિદ્રતાનું આગમન થઈ શકે છે.
આજે જાણો સોનું ન ખરીદી શકો તો કઈ વસ્તુ ખરીદવી જોઈએ અને કઈ વસ્તુ ન ખરીદવી?
ચાંદીનો સિક્કો કે ઘરેણાં ખરીદી શકો છો-
જો તમે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદી શકતા નથી, તો તમે ચાંદી પણ ખરીદી શકો છો. સોનાની જેમ ચાંદી પણ પવિત્ર ધાતુઓમાંની એક છે. અક્ષય તૃતીયાના દિવસે તમે ચાંદીનો સિક્કો અથવા અન્ય કોઈ વસ્તુ ખરીદી શકો છો.
જવ ખરીદવાથી દેવી લક્ષ્મીની કૃપા થાય છે-
અક્ષય તૃતીયા પર જવ ખરીદવું પણ શુભ અને લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જવ ખરીદવાથી ઘરમાં આશીર્વાદ આવે છે અને દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. તો તમે પણ અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરે જવ લાવી શકો છો.
કોડીની ખરીદી સંપત્તિમાં વધારો કરશે-
જો તમે ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પરિવાર પર રહે તો અક્ષય તૃતીયાના દિવસે કોડીની ખરીદી ચોક્કસ કરો. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને કોડી ખૂબ પ્રિય છે. તેથી અક્ષય તૃતીયાના દિવસે દેવી લક્ષ્મીના ચરણોમાં કોડી અર્પણ કરો અને પછી તેને લાલ કપડામાં લપેટીને તિજોરીમાં રાખો. તેનાથી તમારી સંપત્તિમાં વધારો થશે અને દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરશે.
ઘર-વાહનની ખરીદી ઘરની સુખ-સમૃદ્ધિ વધારશે-
અક્ષય તૃતીયાના દિવસે તમે સોના-ચાંદી ઉપરાંત ઘર અને વાહન પણ ખરીદી શકો છો. જેના કારણે દેવી લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. તેમજ પરિવારમાં એકતા અને ખુશી જળવાઈ રહે છે.
માટીના વાસણ કે માટીનો ઘડો-
અક્ષય તૃતીયાના દિવસે માટીનું વાસણ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ દિવસે જો તમે માટીના વાસણમાં જો શરબત ભરીને તેનું દાન કરો તો તમને અનેક ગણું વધુ શુભ ફળ મળે છે. આ દિવસે પીવાના પાણીની માટલીની ખરીદી જરૂર કરવી જોઈએ
અખાત્રીજે ભૂલથી પણ ન ખરીદો આ વસ્તુઓ, આર્થિક નુકસાન થશે-
અખાત્રીજે એલ્યુમિનિયમના વાસણો ન ખરીદો-
અક્ષય તૃતીયાના દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે આ દિવસે એલ્યુમિનિયમના વાસણો ખરીદવાથી વ્યક્તિ માટે આર્થિક નુકસાન થવાની સંભાવના રહે છે અને વ્યક્તિને અશુભ પરિણામ મળવા લાગે છે.
અખાત્રીજે કાળા રંગના કપડા ન ખરીદો-
અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગના કપડા ન ખરીદવા જોઈએ. એવું કહેવાય છે કે કાળો રંગ નકારાત્મક ઊર્જાનો વધુ પ્રભાવ ધરાવે છે અને અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. તેથી આ મહિનામાં કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ.
અખાત્રીજે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી-
અક્ષય તૃતીયાના દિવસે કાળા રંગની વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે જો તમે કાળા રંગની વસ્તુ ખરીદો છો તો અશુભ પરિણામ મળી શકે છે. તેની સાથે જ ગ્રહદોષ પણ થવા લાગે છે.
અખાત્રીજે ધારદાર વસ્તુઓ ન ખરીદવી-
અક્ષય તૃતીયાના દિવસે છરી, કાતર જેવી ધારદાર અને સોય જેવી અણીદાર વસ્તુઓ ખરીદવાથી મનમાં નકારાત્મકતા આવી શકે છે. તેમજ વ્યક્તિને જીવનમાં ક્યારેય સફળતા મળતી નથી.
અખાત્રીજે પ્લાસ્ટિકની વસ્તુઓ ન ખરીદવી-
જો તમે અક્ષય તૃતીયાના દિવસે પ્લાસ્ટિકની વસ્તુઓ ખરીદતા હોવ તો ભૂલથી પણ ન ખરીદો. કહેવાય છે કે જે વ્યક્તિ પ્લાસ્ટિક ખરીદે છે તેને જીવનમાં ગરીબીનો સામનો કરવો પડે છે. ઉપરાંત, વ્યક્તિને જીવનમાં ક્યારેય સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી નથી.