1 કલાક પેહલા
- કૉપી લિંક
- રાશિ પ્રમાણે ઉપાયોથી ભગવાન ગુરુ પ્રસન્ન થશે અને આર્થિક સમૃદ્ધિની સાથે પરિવારમાં રહેશે શાંતિ, કરિયરમાં મળશે મોટી તકો
– વૃષભમાં ગુરુનું સંક્રમણ જીવનમાં અપાર સમૃદ્ધિ લાવે છે.
તે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક અને દાર્શનિક ક્ષેત્રોને અસર કરે છે.
– વૃષભ રાશિમાં ગુરુની હાજરી વ્યાવસાયિક જીવનમાં પણ વિશેષ ભૂમિકા ભજવે છે.
હિન્દુ જ્યોતિષશાસ્ત્રમાં ગુરુ ગ્રહને ખૂબ જ પ્રભાવશાળી માનવામાં આવે છે. ગુરુને શુભ ગ્રહ માનવામાં આવે છે અને જે વ્યક્તિની કુંડળીમાં ગુરુ ઉચ્ચ સ્થાનમાં હોય તેને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. હિંદુ પંચાંગ પ્રમાણે 1 મે, 2024ના રોજ બપોરના 12-56 મિનિટે ભગવાન ગુરુનું વૃષભ રાશિમાં સંક્રમણ થયું છે. શુક્રના સ્વામિત્વવાળી રાશિ વૃષભમાં ગુરુ શુભ ફળ આપશે પરંતુ કેટલાક જાતકોને ગોચર કુંડળીના અન્ય ગ્રહોની અશુભ અસરને કારણે ગુરુથી પ્રાપ્ત થતા ફળ પ્રાપ્ત થવામાં અડચણ આવી શકે છે. જો તમે આ વર્ષે વિશેષ સફળતા પ્રાપ્ત કરવા માગો છો પરંતુ તમારી કુંડળીના અશુભ ગ્રહો કે ગોચરકુંડળીના ગ્રહોની કોઈ ખરાબ અસર હશે તો કામમાં અડચણો આવી શકે છે. જેમ કે વ્યવસાયમાં સફળતા, પ્રગતિમાં અવરોધ, લગ્નમાં વિલંબ, કામમાં અવરોધ અને કામનો શ્રેય ન મળવા જેવી સમસ્યાઓ આવી શકે છે. આવી સ્થિતિમાં ગુરુના વિશેષ ઉપાયો કરીને તમે ગુરુને શુભ બનાવી ધારેલી સફળતા પ્રાપ્ત કરી શકો છો. અહીં જાણો ગુરુના દોષને દૂર કરી ગુરુને બળવાન બનાવવાના ઉપાયો સાથે જ તમારી રાશિ પ્રમાણે ભગવાન ગુરુને પ્રસન્ન કરી આર્થિક સમૃદ્ધિ અને પરિવારમાં શાંતિ વધારવાના ઉપાયો…
વૃષભમાં ગુરુની અસર
વૃષભમાં ગુરુનું સંક્રમણ જીવનમાં અપાર સમૃદ્ધિ લાવે છે. તે વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક અને દાર્શનિક ક્ષેત્રોને અસર કરે છે. વૃષભ રાશિમાં ગુરુની હાજરી વ્યાવસાયિક જીવનમાં પણ વિશેષ ભૂમિકા ભજવે છે. કરિયરના ક્ષેત્રમાં તમને ઘણી તકો મળશે.
ગુરુ નબળો પડે છે ત્યારે જાતકને આવા અશુભ ફળ મળે છેઃ-
જે વ્યક્તિની કુંડળીમાં દેવગુરુ બૃહસ્પતિ નીચ અવસ્થામાં હોય અથવા અશુભ ગ્રહના કારણે તેની અશુભ અસર વ્યક્તિના જીવન પર પડવા લાગે છે તો સફળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવે છે.
ભાગ્યનો કારક ગુરુ નબળો હોય તો ધનહાનિ, કામમાં અડચણો આવે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ગુરુ નબળો હોય ત્યારે આ કાર્યોમાં ભાગ્ય તમારી તરફેણ કરતું નથી.
જ્યારે ગુરુ નબળો હોય છે, ત્યારે વ્યક્તિને પૈસા કમાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત તેને લીવર, કિડની, યાદશક્તિમાં ઘટાડો, પેટ સંબંધિત સમસ્યાઓ, ફેફસાં, આંખ, કાન, ગળા, શ્વાસ અને કબજિયાત જેવી શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે.
માન-સન્માન ગુમાવવું, નોકરી ગુમાવવી, ધંધો ઠપ થઈ જવો, નોકરીમાં પ્રમોશન ન મળવું અને વારંવાર સાપ કરડવો એ પણ ખરાબ ગુરુના સંકેતો માનવામાં આવે છે.
ગુરુને જ્ઞાનનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જ્યારે ગુરુ નબળો હોય ત્યારે વ્યક્તિને ભણવામાં મન લાગતું નથી અને શિક્ષણના ક્ષેત્રમાં અવરોધો આવે છે.
ગુરુ નબળો હોય કે અશુભ હોય ત્યારે વ્યક્તિના લગ્નમાં પણ વિલંબ થવા લાગે છે. લગ્ન થઈ ગયા હોય તો પતિ-પત્ની વચ્ચે અણબનાવ ચાલતો રહે છે.
ગુરુ નબળો હોય ત્યારે વ્યક્તિને કામનો શ્રેય મળતો નથી. કીર્તિ કે નામના પણ મળતી નથી.
ગુરુ કેવી રીતે મજબૂત કરવો?
1. ગુરુ ગ્રહને મજબૂત કરવાનો સૌથી સરળ ઉપાય એ છે કે તમારા ગુરુના ચરણ સ્પર્શ કરો અને દરરોજ તેમને નમસ્કાર કરો. તમારા માતા-પિતા અને ઘરના વડીલોનું સન્માન કરો. તેનાથી તમારી કુંડળીનો ગુરુ મજબૂત થશે.
2. ગુરુના બીજ મંત્ર ओम ग्रां ग्रीं ग्रौं सः गुरुवे नमः અથવા ॐ बृं बृहस्पतये नमः નો જાપ કરો આ માટે તમે હળદરની માળા અથવા તુલસીની માળાનો ઉપયોગ કરી શકો છો.
3. ગુરુને મજબૂત કરવા માટે ગુરુવારે વ્રત રાખો અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. વિષ્ણુચાલીસા અથવા બૃહસ્પતિ ચાલીસાનો પાઠ કરો. ભગવાન વિષ્ણુની કૃપાથી કુંડળીમાં ગુરુ દોષ દૂર થઈ શકે છે.
4. ગુરુવારે કોઈ ગરીબ બ્રાહ્મણને હળદર, પીળા કપડાં, પિત્તળનાં વાસણો, કેળા, કેસર, ચણાનો લોટ, ચણાની દાળ વગેરે દાન કરો. તમને આનો ફાયદો પણ થશે.
5. જો તમારો ગુરુ નબળો છે તો તમારી તર્જનીમાં સોનાની વીંટી પહેરો. લાભ થશે. આ સિવાય તમે ઈચ્છો તો ગુરુનું શુભ રત્ન પોખરાજ અથવા અર્ધ કિંમતી પથ્થર ફિરોજા અથવા સુનેલા પહેરી શકો છો. આ માટે તમારે જ્યોતિષની મદદ લેવી જોઈએ.
6. જે લોકોની કુંડળીમાં ગુરુ દોષ હોય અથવા ગુરુ નબળો હોય તેમણે ગુરુવારે પીળા રંગના કપડાં પહેરવા જોઈએ અને આ દિવસે કેળાનું સેવન ન કરવું જોઈએ.
7. લગ્ન માટે ગુરુનું બળવાન હોવું જરૂરી છે. ગુરુવારે પાણીમાં હળદર નાખીને સ્નાન કરો. તે પછી પીળા વસ્ત્રો પહેરો અને લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરો. તે દરમિયાન ओम लक्ष्मी नारायणाय नमः મંત્રનો જાપ કરો.
ગુરુને શુભ બનાવવા તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાયો
- મેષઃ હળદરનું તિલક રોજ કપાળ પર લગાવો. સૂર્યદેવને જળ અર્પણ કરો.
- વૃષભ: ગળામાં સોનું પહેરો, આમ કરવાથી શુભ ફળ મળે છે.
- મિથુન: ગુરુવારે ગાયને ગોળ ખવડાવો. લીલો ચારો પણ ખવડાવો.
- કર્કઃ- ગુરુવારે વ્રત રાખવું ફળદાયી રહેશે.
- સિંહ: ભગવાન વિષ્ણુની પૂજા કરો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
- કન્યા: ગુરુના અશુભ પ્રભાવથી બચવા માટે શિવલિંગ પર દેશી ઘી ચઢાવો.
- તુલા: ગુરુના બીજ મંત્રનો 108 વાર જાપ કરવો જોઈએ.
- વૃશ્ચિકઃ- ગુરુના દિવસે ગરીબોને પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ.
- ધનઃ- દર ગુરુવારે મંદિરની મુલાકાત લો અને ભોજનમાં હળદરનો ઉપયોગ કરો.
- મકર: પીપળના વૃક્ષની પૂજા કર્યા પછી દીવો પ્રગટાવવો જોઈએ.
- કુંભ: અનાથ કે વૃદ્ધોને મીઠાઈ અને કેળાનું દાન કરો. બીમારની સેવા કરો.
- મીન: હળદરનું 8 દિવસ સુધી નિયમિત મંદિરમાં દાન કરવું જોઈએ.