- Gujarati News
- Dharm darshan
- Devoted To Shiva Parvati, Kartikeya And Khandoba Baba Worshiped In Champa Shasthi, Vraja Yoga And Ravi Yoga Will Give Special Benefits.
28 મિનિટ પેહલા
- કૉપી લિંક
માર્ગશીર્ષ માસમાં શુક્લ પક્ષની ષષ્ઠી તિથિને ‘ચંપા ષષ્ઠી’ તરીકે ઓળખવામાં આવે છે. ચંપા ષષ્ઠી વ્રત ભગવાન શિવ-પાર્વતી, કાર્તિકેય અને દેવ ખંડોબા બાબાને સમર્પિત છે. ખંડોબા બાબા ભગવાનને ‘માર્તંડ ભૈરવ’ અને ‘મલ્હારી’ જેવાં અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે, જે ભગવાન શિવનું બીજું સ્વરૂપ છે. ભગવાન કાર્તિકેયને ચંપાનું ફૂલ ખૂબ જ પ્રિય છે. તેથી તેને ચંપા ષષ્ઠી કહેવામાં આવે છે. સ્કંદષષ્ઠી વ્રત મુખ્યત્વે દક્ષિણ ભારતના રાજ્યોમાં લોકપ્રિય છે. ચાલો જાણીએ વર્ષ- 2023માં ચંપા ષષ્ઠીની તારીખ, શુભ સમય અને તેનું શું મહત્ત્વ છે….
ચંપા ષષ્ઠી- 2023, તારીખ:18 ડિસેમ્બર
ચંપા ષષ્ઠીનો તહેવાર સોમવાર, 18 ડિસેમ્બર 2023ના રોજ ઉજવવામાં આવશે. ચંપા ષષ્ઠી મહારાષ્ટ્રમાં એક મહત્ત્વનો તહેવાર છે. જો રવિવાર કે મંગળવારે શતભિષા નક્ષત્ર અને વૈધૃતિ યોગ સાથે ચંપા ષષ્ઠીનો સંયોગ આવે તો આ સંયોગ અત્યંત શુભ માનવામાં આવે છે. જો કે સોમવારે વ્રજયોગ અને રવિયોગ રહેશે એટલે આ સમયમાં શિવ-પાર્વતી, કાર્તિકેય અને ખંડોબા બાબાની પૂજાથી વિશેષ લાભ મળશે તે નક્કી છે.
ચંપા ષષ્ઠી- 2023 મુહૂર્ત
પંચાંગ અનુસાર, તે 17મી ડિસેમ્બર 2023ના રોજ માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિના રોજ સાંજે 05:33 કલાકે શરૂ થશે. તે 18 ડિસેમ્બર, 2023 ના રોજ બપોરે 03:13 વાગ્યે સમાપ્ત થશે.
અમત્રી (શ્રેષ્ઠ) – સવારે 07.07 – સવારે 08.25
શુભ (શ્રેષ્ઠ) – સવારે 09.42 – સવારે 11.00
ચંપા ષષ્ઠીનું મહત્ત્વ
દંતકથા અનુસાર મલ્લ અને મણિ નામના બે રાક્ષસ ભાઈઓ હતા. બંને રાક્ષસોએ સંતો, દેવતાઓ અને લોકોના જીવનમાં તબાહી મચાવી દીધી હતી. તેમના અત્યાચારનો અંત લાવવા માટે તમામ દેવતાઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા. ભોલેનાથે રાક્ષસોનો નાશ કરવા માટે એક વિશાળ યોદ્ધાના રૂપમાં ખંડોબા તરીકે અવતાર લીધો હતો. તે દિવસે માર્ગશીર્ષ માસના શુક્લ પક્ષની છઠ્ઠી તિથિ હતી. ભગવાન ખંડોબાએ રાક્ષસોનો નાશ કરીને દેવતાઓ અને લોકોને બચાવ્યા હતા અને ત્યારથી આ દિવસે ભગવાન શિવના સ્વરૂપ ખંડોબા બાબાની પૂજા કરવામાં આવે છે. ભગવાન શિવના આ ખંડોબા સ્વરૂપને ખેડૂતો, ભરવાડો અને શિકારીઓના સ્વામી માનવામાં આવે છે. આ દિવસે કાર્તિકેય અને ખંડોબા બાબાની પૂજા કરવાથી તમામ દુ:ખ અને દોષ દૂર થઈ જાય છે.
સ્કંદ ષષ્ઠી ઉપવાસ પદ્ધતિ
– સવારે વહેલા ઊઠીને ઘર સાફ કરો. આ પછી, સ્નાન કરો, ધ્યાન કરો અને પ્રથમ ઉપવાસનો સંકલ્પ કરો. – પૂજા રૂમમાં માતા ગૌરી અને ભગવાન શિવની સાથે ભગવાન કાર્તિકેયની મૂર્તિ સ્થાપિત કરો. – જળ, મોસમી ફળ, ફૂલ, સૂકા ફળ, કાલવ, દીવો, અક્ષત, હળદર, ચંદન, દૂધ, ગાયનું ઘી, અત્તર વગેરેથી પૂજા કરો. – અંતમાં આરતી કરો. – કીર્તન-ભજન પૂજા પછી સાંજે આરતી કરવી. આ પછી, ફળો લો.
ભગવાન કાર્તિકેયની પૂજાનો મંત્ર –
देव सेनापते स्कंद कार्तिकेय भवोद्भव।
कुमार गुह गांगेय शक्तिहस्त नमोस्तु ते॥
આ રીતે ભગવાન કાર્તિકેયનો જન્મ થયો હતોઃ-
કુમાર કાર્તિકેયના જન્મનું વર્ણન આપણને પુરાણોમાં જ મળે છે. જ્યારે દાનવોએ સ્વર્ગીય વિશ્વમાં આતંક મચાવ્યો ત્યારે દેવતાઓને હારનો સામનો કરવો પડ્યો. રાક્ષસોનો વધતો આતંક જોઈને દેવતાઓએ ભગવાન બ્રહ્મા પાસે મદદ માંગી હતી. ભગવાન બ્રહ્માએ કહ્યું કે આ રાક્ષસોનો નાશ ભગવાન શિવના પુત્ર દ્વારા જ થશે, પરંતુ તે સમયે ભગવાન શિવ માતા સતીથી અલગ થઈને સમાધિમાં લીન થઈ ગયા હતા.
ઇન્દ્ર અને તમામ દેવતાઓએ ભગવાન શિવને સમાધિમાંથી જગાડવા માટે કામદેવની મદદ લીધી અને કામદેવે ભગવાન ભોલેનાથની તપસ્યાનો ભંગ કર્યો. આ પછી ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા અને બંને દેવદારના જંગલમાં એકાંત માટે ગયા. તે સમયે ભગવાન શિવ અને માતા પાર્વતી એક ગુફામાં રહેતા હતા.
તે જ સમયે એક કબૂતરે ગુફામાં જઈને ભગવાન શિવનું વીર્ય પીધું, પરંતુ તે સહન ન કરી શક્યું અને તેને ભાગીરથીને સોંપી દીધું. ગંગાના તરંગોના કારણે વીર્ય 6 ભાગમાં વહેંચાઈ ગયું અને તેમાંથી 6 બાળકોનો જન્મ થયો. આ 6 બાળકો મળીને 6 માથાવાળા બાળક બન્યા. આ રીતે કાર્તિકેયનો જન્મ થયો હતો.