લંડન14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ભારતના પાંચ ટેસ્ટ મેચના પ્રવાસ માટે પોતાના પર્સનલ શેફને લઈ આવશે. ટીમે પોતાના ખેલાડીઓના બીમાર પડવાના જોખમને ટાળવા માટે આ નિર્ણય લીધો છે.
અંગ્રેજી અખબાર, ધ ટેલિગ્રાફ અનુસાર, ઇંગ્લિશ ટીમનો શેફ 25 જાન્યુઆરીએ પ્રથમ ટેસ્ટની શરૂઆત પહેલા હૈદરાબાદમાં ઇંગ્લેન્ડની ટીમમાં જોડાશે. ઇંગ્લિશ ટીમ ડિસેમ્બર 2022માં પણ આ જ શેફને પાકિસ્તાન લઈ ગઈ હતી, પરંતુ રાવલપિંડીમાં પ્રારંભિક ટેસ્ટ પહેલા જ ટીમના કેટલાક ખેલાડીઓ બીમાર પડી ગયા હતા.
ઇંગ્લિશ ટીમને હેલ્ધી ડાયટની જરૂર છે- ECB
રિપોર્ટ અનુસાર, ECB (ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ)એ કહ્યું છે કે, અમે યજમાનોને સુવિધાઓ આપવા પર વિશ્વાસ કરીએ છીએ પરંતુ મસાલેદાર ખોરાકને બદલે ટીમને સ્વસ્થ આહાર પર ભાર આપવામાં આવી રહ્યો છે. કોચ બ્રેન્ડન મેક્કુલમે આ નિર્ણયની હા પાડી છે અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ શેફને ચૂકવણી કરશે.
ડિસેમ્બર 2022માં, મેજિયન (ECB પુલઓવર જેકેટમાં) ઇંગ્લિશ ક્રિકેટ ટીમ સાથે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો.
મેઝિયન માન્ચેસ્ટર યુનાઇટેડના હેડ શેફ
શેફ ઓમર મેઝીયાન રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ સાથે પ્રવાસ કરવા માટે તૈયાર છે. તે ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ માટે કામ કરે છે. જ્યારે ફૂટબોલ અને રગ્બી ટીમ માટે વિદેશી પ્રવાસ દરમિયાન પોતાના શેફને લેવાનું સામાન્ય છે, ત્યારે ક્રિકેટમાં આવું કરનાર ઇંગ્લેન્ડ પ્રથમ ટીમ છે.
માન્ચેસ્ટર યુનાઇટેડમાં જોડાતા પહેલા, મેજિયન ઇંગ્લેન્ડ ફૂટબોલ ટીમના મહેડ શેફ હતા.
ભારતની પ્રથમ ટેસ્ટ હૈદરાબાદમાં રમાશે
ઇંગ્લેન્ડની ટીમ 3 વર્ષ બાદ ટેસ્ટ સિરીઝ રમવા માટે ભારત આવશે. આ વખતે શ્રેણીમાં 5 મેચ રમાશે. પ્રથમ ટેસ્ટ 25થી 29 જાન્યુઆરી દરમિયાન હૈદરાબાદમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ 2થી 6 ફેબ્રુઆરી, ત્રીજી ટેસ્ટ 15થી 19 ફેબ્રુઆરી, ચોથી ટેસ્ટ 23 થી 27 ફેબ્રુઆરી અને પાંચમી ટેસ્ટ 7થી 11 માર્ચ સુધી રમાશે.
ભારતમાં બંને વચ્ચે છેલ્લી સિરીઝ ફેબ્રુઆરી 2021માં થઈ હતી, આ 4 ટેસ્ટ મેચની સિરીઝ ભારતે 3-1થી જીતી હતી.