પુણે2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પુણેમાં રમાનાર બીજી ટેસ્ટની પિચ સ્લો ટર્નર બની શકે છે. ESPNના રિપોર્ટ અનુસાર પિચ માટે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારણે પુણેમાં બેંગલુરુની સરખામણીમાં ઓછો ઉછાળો જોવા મળી શકે છે. પુણે ટેસ્ટ 24 ઓક્ટોબરથી શરૂ થશે.
બેંગલુરુમાં પહેલી ટેસ્ટ મેચમાં મળેલી હારને કારણે, રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ સિરીઝ જીતવા અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત રાખવા માટે દબાણમાં છે. આ માટે ભારત માટે ન્યૂઝીલેન્ડ સામેની આગામી બે ટેસ્ટ મેચ જીતવી જરૂરી છે.
બેંગલુરુમાં વાદળો અને વરસાદે રમત બગાડી હતી ભારતીય ટીમ પૂણેમાં ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની ત્રિપુટી સાથે રમી શકે છે.
ટીમે બેંગલુરુ માટે પણ આવી જ વ્યૂહરચના તૈયાર કરી હતી, પરંતુ વાદળછાયા વાતાવરણ અને તૂટક તૂટક વરસાદને કારણે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમની પિચ પ્રથમ બે દિવસમાં ઝડપી બોલરો માટે મદદરૂપ બની હતી. આ કારણે ભારત પહેલી ઇનિંગમાં 46 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.
બેંગલુરુમાં પ્રથમ દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
પુણેમાં અત્યાર સુધીમાં 2 ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ (MCA), પુણે ખાતે રમાનારી આ ત્રીજી ટેસ્ટ હશે. અહીં 2016-17માં પ્રથમ ટેસ્ટ રમાઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે ટી-બ્રેક પહેલાં ભારતને 333 રનના વિશાળ અંતરથી હરાવ્યું હતું. આ મેચની પિચમાં નાની-નાની તિરાડ પડી હતી અને પિચ પહેલા દિવસથી જ ટર્ન લાગી હતી. સ્પિનરોએ મેચમાં 40માંથી 31 વિકેટ લીધી હતી, જે બાદ મેચ રેફરી ક્રિસ બ્રોડે પિચને નબળી ગણાવી હતી.
પુણેમાં બીજી ટેસ્ટ 2019માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ હતી, જેમાં વિરાટ કોહલીએ બેવડી સદી ફટકારી હતી અને 254 રન બનાવ્યા હતા. ભારતે આ મેચ એક ઇનિંગ્સ અને 137 રને જીતી લીધી હતી. આ મેચમાં પણ સ્પિનરોને પહેલા દિવસથી જ ટર્ન મળવા લાગ્યા હતા.
રિપોર્ટ અનુસાર, ટૉસના લગભગ એક કલાક પછી જ પિચમાંથી સીમની હિલચાલ સમાપ્ત થશે. સૂકી સપાટીને કારણે, અહીં રિવર્સ સ્વિંગ મળી શકે છે. આવી સ્થિતિમાં ટૉસ ફરી એકવાર મહત્વપૂર્ણ બની શકે છે. ટૉસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી શકે છે.
મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતનો સર્વોચ્ચ સ્કોર 601 રન મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 2 મેચ યોજાઈ ચૂકી છે. જેમાં ભારતે સૌથી વધુ અને ઓછા રન બનાવ્યા છે. આમાં સૌથી વધુ સ્કોર 601 રન છે જે ભારતે 2019માં દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ દાવમાં બનાવ્યો હતો, જ્યારે સૌથી ઓછો સ્કોર 105 રન છે જે ભારતે 2017માં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો.
બીજી અને ત્રીજી મેચ માટે ભારતીય ટીમમાં વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કર્યો ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની બીજી અને ત્રીજી મેચ માટે ભારતીય ટીમની ટીમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. BCCIએ રવિવારે આ જાણકારી આપી. સુંદર બીજી ટેસ્ટ પહેલા પુણેમાં ટીમ સાથે જોડાશે. ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચમાં 8 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમમાં પહેલાથી જ ત્રણ સ્પિનરો છે, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ.
વોશિંગ્ટન સુંદર ભારત માટે 4 ટેસ્ટ રમ્યો છે.