નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પતંજલિ જાહેરાત મામલે ફરી એકવાર સુનાવણી થઈ. બાબા રામદેવ અને બાલકૃષ્ણ ત્રીજી વખત જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેંચ સમક્ષ હાજર થયા હતા.
બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે ફરી એકવાર કોર્ટની માફી માંગીએ છીએ. અમને પછતાવો છે. અમે જાહેરમાં માફી માંગવા તૈયાર છીએ. કોર્ટે કહ્યું- અમે બાબા રામદેવને સાંભળવા માંગીએ છીએ.
જસ્ટિસ કોહલીએ કહ્યું- તમે (રામદેવ) યોગ માટે ઘણું કર્યું છે. તમારું સન્માન છે, પરંતુ આ જે સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે- પરમ આદરણીય જજ સાહેબ મહોદયા. અનકંડીશનલી જે પણ ભૂલ અમારાથી થઈ એની અમે બિનશરતી માફી માગીએ છીએ.
તમે શું વિચાર્યું કે તમે પ્રેસ કોન્ફરન્સ અને પ્રચાર કરશો? જે વસ્તુનો તમે પ્રચાર કરી રહ્યા છો, અમારી સંસ્કૃતિમાં પણ એવી અનેક વસ્તુ છે. લોકો માત્ર એલોપેથી નહીં, ઘરેલૂ પદ્ધતિઓ પણ ઉપયોગમાં લઈ રહ્યા છે. દાદીના નુસખા પણ. તમે તમારી પદ્ધતિઓ માટે બીજાને ખરાબ કેમ કહી રહ્યા છો.
આ અંગે બાબા રામદેવે કહ્યું- કોઈને પણ ખરાબ કહેવાનો અમારો કોઈ ઇરાદો નથી. આયુર્વેદને રિસર્ચ બેસ્ડ એવિડેન્સ માટે તથ્ય પર લાવવા માટે પતંજતિએ કોશિશ કરી છે. હવે તેના પ્રત્યે જાગરૂત રહીશ. કાર્યના ઉત્સાહમાં આવું થઈ ગયું. હવે નહીં થાય.
આ અંગે કોર્ટે કહ્યું- તમે આટલાં નિર્દોશ નથી. એવું લાગી રહ્યું નથી કે કોઈ હૃદય પરિવર્તન થયું હોય. હજુ પણ તમે તમારી વાત પર અડગ છો. અમે આ મામલાને 23 એપ્રિલનાં રોજ જોઈશું.
2 એપ્રિલે માફી માંગવામાં આવી હતી
2 એપ્રિલે જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેંચમાં બાબા રામદેવ વતી માફી માંગવામાં આવી હતી. બેંચે પતંજલિને ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે આ માફી માત્ર સંતોષ માટે છે. તમારી અંદર માફીનો ભાવ નથી. આ પછી કોર્ટે સુનાવણીની તારીખ 10 એપ્રિલ નક્કી કરી હતી.
10 એપ્રિલે (9 એપ્રિલે) સુનાવણીના એક દિવસ પહેલા, બાબા રામદેવ અને પતંજલિ આયુર્વેદના મેનેજિંગ ડિરેક્ટર આચાર્ય બાલકૃષ્ણએ એક નવું સોગંદનામું દાખલ કર્યું. જેમાં પતંજલિએ બિનશરતી માફી માંગી હતી અને કહ્યું હતું કે તેને આ ભૂલ માટે ખેદ છે અને તે ફરીથી નહીં થાય.
માફી પત્ર બે વાર નકારવામાં આવ્યો
10 એપ્રિલે થયેલી સુનાવણીમાં કોર્ટે બાબા રામદેવ અને બાલકૃષ્ણની બીજી માફી પણ ફગાવી દીધી હતી. જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતુલ્લાની બેન્ચે પતંજલિના વકીલોને કહ્યું હતું કે તમે જાણીજોઈને કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે, કાર્યવાહી માટે તૈયાર રહો.
કોર્ટે ઉત્તરાખંડ સરકારને પણ ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું- કેન્દ્ર તરફથી એક પત્ર આવ્યો છે કે તમારી (ઉત્તરાખંડ સરકાર) પાસે કેસ છે. કાયદાનું પાલન કરો. આવું 6 વખત થયું. લાયસન્સ ઇન્સ્પેક્ટર વારંવાર મૌન રહ્યા. આ પછી જેઓ આવ્યા તેમણે પણ આવું જ કર્યું. ત્રણેય અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પતંજલિ વિરુદ્ધ અરજી દાખલ કરી
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ 17 ઓગસ્ટ, 2022ના રોજ સુનાવણી કરી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પતંજલિએ કોવિડ રસીકરણ અને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો. તે જ સમયે, તેણે પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોનો ઇલાજ કરવાનો ખોટો દાવો કર્યો.