4 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિદેશ મંત્રી એસ જયશંકરે ફરી એકવાર ભારતીય ચૂંટણીના પશ્ચિમી મીડિયાના કવરેજની ટીકા કરી છે. જયશંકરે કહ્યું કે જે દેશે “ચૂંટણીના પરિણામો નક્કી કરવા માટે કોર્ટમાં જવું પડે છે” તેઓ આજે આપણને ચૂંટણી યોજવા અંગે જ્ઞાન આપી રહ્યા છે.
વિદેશ મંત્રી મંગળવારે કોલકાતામાં તેમના પુસ્તક ‘વ્હાય ભારત મેટર્સ’ના બંગાળી આવૃત્તિના લોન્ચિંગ કાર્યક્રમમાં પ્રશ્નોના જવાબ આપી રહ્યા હતા. આ દરમિયાન તેમણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાત કરી. જયશંકરે કહ્યું કે પશ્ચિમી દેશો માને છે કે તેઓ છેલ્લા 200 વર્ષથી દુનિયા ચલાવી રહ્યા છે. તેઓ ભારત સાથે પણ આવું કરવા માગે છે.
જયશંકરે કહ્યું, “પશ્ચિમ મીડિયા માત્ર અમુક લોકોને જ દેશની સત્તા સંભાળતા જોવા માગે છે અને જ્યારે એવું ન થાય, ત્યારે તેઓને તે ગમતું નથી. તેઓ તેમના ચૂંટણી કવરેજમાં અમુક લોકોને ખુલ્લેઆમ સમર્થન આપે છે.
પશ્ચિમી મીડિયા છેલ્લા 300 વર્ષથી વર્ચસ્વની રમત રમી રહ્યું છે. તેઓ અનુભવી અને ચાલાક લોકો છે. તેઓ ભારત વિશે નકારાત્મક વાતો ફેલાવવાનું શરૂ કરે છે કારણ કે ભારત તેમની માન્યતાઓને અનુસરવા તૈયાર નથી.”
વિદેશ મંત્રી એક જયશંકર કોલકાતામાં પોતાના બુકના બંગાળી આવૃત્તિના લોન્ચિંગમાં પહોંચ્યા હતા
‘PoKમાં લોકો પર અત્યાચાર થઈ રહ્યો છે જ્યારે જમ્મુ-કાશ્મીરમાં વિકાસ થઈ રહ્યો છે’
કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રીએ PoKમાં મોંઘવારી અને વીજળીના વધતા ભાવ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું, “આ ક્ષણે PoKમાં ઊથલપાથલ ચાલી રહી છે ત્યાં રહેતા લોકો આજે તેમની સ્થિતિને જમ્મુ અને કાશ્મીરમાં રહેતા લોકો સાથે સરખાવતા હશે.
જયશંકરે વધુમાં કહ્યું કે તેઓ જોતા હશે કે જમ્મુ-કાશ્મીરના લોકોનો વિકાસ થઈ રહ્યો છે અને ત્યાં જ તેમની સાથે ખરાબ વ્યવહાર થઈ રહ્યો છે. તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે અને તેઓ ગુલામીનું જીવન જીવી રહ્યા છે.
Pok હંમેશા ભારતનું રહ્યું છે અને હંમેશા ભારતનું જ રહેશે. જ્યાં સુધી કલમ 370 હતી ત્યાં સુધી Pok વિશે બહુ ચર્ચા નહોતી થઈ. ભારત કલમ 370 સાથે આગળ વધ્યું છે. તેનાથી અલગતાવાદ, હિંસા અને આતંકવાદમાં ઘટાડો થયો છે.
‘અમેરિકાએ પણ ચાબહાર પ્રોજેક્ટના વખાણ કર્યા હતા’
વિદેશ પ્રધાન જયશંકરને અમેરિકાના વલણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, “મેં કેટલીક ટિપ્પણીઓ જોઈ હતી, પરંતુ મને લાગે છે કે આ સંવાદ કરવાનો, સમજવા અને સમજાવવાનો પ્રશ્ન છે કે આ પ્રોજેક્ટ ખરેખર દરેકના ફાયદા માટે છે, લોકોએ તેના વિશે સંકુચિત માનસિકતા સ્વીકારવી જોઈ નહીં.”
એસ જયશંકરે કહ્યું, “અમેરિકાએ આ પહેલાં આવું કર્યું નથી, જો તમે ચાબહાર બંદર પ્રત્યે અમેરિકાના વલણને જુઓ, તો અગાઉ અમેરિકા બંદરની વ્યાપક સુસંગતતાની પ્રશંસા કરતું આવ્યું છે.”
અમેરિકાએ ચેતવણી આપી હતી કે ઈરાન સાથે વેપાર સોદા પર વિચાર કરનાર “કોઈપણ”ને પ્રતિબંધોના સંભવિત જોખમથી વાકેફ હોવું જોઈએ. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલે એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “હું માત્ર એટલું જ કહીશ…ઈરાન પર અમેરિકી પ્રતિબંધો યથાવત છે અને યથાવત રહેશે.”
કાર્યક્રમ દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે ચાબહાર પોર્ટ ડીલ પર પ્રતિબંધો અંગે અમેરિકાની ચેતવણી અંગે પણ વાત કરી હતી.
LAC પર ચીની સૈનિકોની અસામાન્ય બંદોબસ્ત
આ પછી જયશંકરે ચીન સાથેના સંબંધો વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ચીને એલએસી પર મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કર્યા છે. ભારતની સુરક્ષાને લઈને આપણે બેદરકાર રહી શકીએ નહીં.
તેમણે કહ્યું, “2020માં, ચીને ઘણી સમજૂતીઓનું ઉલ્લંઘન કરીને સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કર્યા હતા. તે સમયે ભારત કોવિડ લોકડાઉન સાથે સંઘર્ષ કરી રહ્યું હતું. જો કે, ચીનના પગલાનો જવાબ આપતા, અમે પણ બોર્ડર પર સૈનિકોનો બંદોબસ્ત વધારી દીધો છે.