2 મિનિટ પેહલા
- કૉપી લિંક
મેડિકલ કાઉન્સેલિંગ કમિશન એટલે કે MCC દ્વારા NEET UG માટે કાઉન્સેલિંગ મોકૂફ રાખવામાં આવ્યું છે. કાઉન્સેલિંગ માટેની કોઈ નવી તારીખ જાહેર કરવામાં આવી નથી. અખિલ ભારતીય ક્વોટા બેઠકો એટલે કે NEET UG ની AIQ કાઉન્સેલિંગ આજથી શરૂ થવાની હતી.
11મી જૂને સુપ્રીમ કોર્ટમાં NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ અસદુદ્દીને સુનાવણી બાદ કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી 20 જૂને બીજી અરજી પર સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ વિક્રમ નાથની બેન્ચે ફરીથી NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો.
કાઉન્સેલિંગથી મળે છે એમબીબીએસ, એમડીએસ કોર્સમાં પ્રવેશ
NEET UG રેન્કના આધારે MBBS અને BDS જેવા તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ મળે છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTAએ 4 જૂને NEET UGનું પરિણામ જાહેર કર્યું હતું. 67 ટોપર્સ સહિત કુલ 13.16 લાખ વિદ્યાર્થીઓએ મેડિકલ પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ 23 જૂને ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોની પુનઃપરીક્ષા હાથ ધરવામાં આવી હતી.
સુધારેલા પરિણામો જાહેર થયા પછી NEET UG ટોપર્સની સંખ્યા 67 થી ઘટીને 61 થઈ ગઈ છે.
કાઉન્સેલિંગ 5 તબક્કામાં થાય
NEET UG કાઉન્સેલિંગ પ્રક્રિયામાં અનેક તબક્કાઓનો સમાવેશ થાય છે. આમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન, ઓપ્શન ફિલિંગ અને લોકીંગ, સીટ એલોટમેન્ટ અને છેલ્લે ફાળવેલ કોલેજને રિપોર્ટિંગનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને ઘણા દસ્તાવેજોની પણ જરૂર પડે છે.
સુપ્રીમ કોર્ટમાં 8મી જુલાઈએ સુનાવણી હાથ ધરવામાં આવશે
NEET પેપર લીક પરીક્ષામાં અનિયમિતતા અને ગ્રેસ માર્ક્સ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી તમામ 26 અરજીઓની સુનાવણી 8 જુલાઈએ થશે. તેમાંથી 22 અરજીઓ વિદ્યાર્થીઓ, શિક્ષકો, કોચિંગ સંસ્થાઓ અને કલ્યાણ સંગઠનો દ્વારા દાખલ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ચાર પિટિશન દાખલ કરવામાં આવી છે.
NTAએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું- આન્સર કીમાં ફેરફારથી કોઈને નુકસાન થયું નથી
NTAએ 6 જુલાઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ભૌતિકશાસ્ત્રના પ્રશ્નના જવાબમાં ફેરફારને કારણે ઉમેદવારોને કોઈ નુકસાન થયું નથી. હકીકતમાં, આ પ્રશ્નનો જવાબ જૂની અને નવી NCERT મુજબ અલગ-અલગ હતો. આન્સર કી બદલવામાં આવી હતી અને પ્રશ્નોનો પ્રયાસ કરનાર તમામ ઉમેદવારોને બોનસ માર્ક્સ આપવામાં આવ્યા હતા.
આન્સર કી બદલવાને કારણે થયેલા નુકસાન અંગે વિદ્યાર્થીઓએ કોર્ટમાં અરજી કરી હતી. NTAએ કહ્યું છે કે, પરીક્ષા પહેલા જારી કરવામાં આવેલા ઈન્ફોર્મેશન બુલેટિનમાં પહેલાથી જ કહેવામાં આવ્યું હતું, કે જો કોઈ પ્રશ્નના બે સાચા જવાબો હશે તો +4 બોનસ માર્ક્સ ફક્ત તે ઉમેદવારોને જ આપવામાં આવશે જેમણે સાચો જવાબ પસંદ કર્યો છે.
56 વિદ્યાર્થીઓ ReNEET વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા
ગુજરાતના 56 વિદ્યાર્થીઓએ ગુરુવારે ReNEET વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ બે વર્ષની મહેનત અને 100% સમર્પણ સાથે પરીક્ષા આપી હતી. આવી સ્થિતિમાં ફરીથી NEET પરીક્ષા યોજવી એ વિદ્યાર્થીઓના હિતમાં નથી. આ કલમ 14 અને 21A હેઠળના તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.