નવી દિલ્હી2 કલાક પેહલા
- કૉપી લિંક
હોંગકોંગ અને સિંગાપોર બાદ માલદીવ્સે પણ એવરેસ્ટ અને MDH મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. માલદીવ્સ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરિટી (MFDA) એ જણાવ્યું હતું કે ભારતમાં ઉત્પાદિત બે બ્રાન્ડના મસાલામાં ઇથિલિન ઓક્સાઇડ મળી આવ્યું છે.
ન્યૂઝ એજન્સી અધાધુએ આ જાણકારી આપી છે. અહેવાલ મુજબ, માલદીવ્સ સરકાર હજુ પણ આ મસાલાઓથી ઉભા થયેલા જોખમોનું મૂલ્યાંકન કરી રહી છે. MFDAએ જણાવ્યું હતું કે આ બ્રાન્ડ્સના મસાલા માલદીવ્સમાં મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે અને તેનો ઉપયોગ કરવામાં આવે છે.
હોંગકોંગ અને સિંગાપોરમાં વેચાણ પર પ્રતિબંધ
આ મહિનાની શરૂઆતમાં, હોંગકોંગ અને સિંગાપોરની સરકારોએ મદ્રાસ કરી પાઉડર, એવરેસ્ટ ફિશ કરી મસાલા, MDH સંભાર મસાલા મિક્સ અને MDH કરી પાવડર મસાલાના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે MDH અને એવરેસ્ટના મસાલામાં ‘પેસ્ટીસાઇડ’ કેમિકલ હોવાનું સામે આવ્યું હતું.
ભારત અને અમેરિકામાં પણ એજન્સીઓ તપાસ કરી રહી છે
અહેવાલો પછી, ભારત સરકારે પણ તેના પ્રોડક્ટ્સની તપાસ શરૂ કરી છે. તેમજ, અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) પણ કંપનીના મસાલાઓની તપાસ કરી રહ્યું છે. “એફડીએના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું કે, FDA આ અહેવાલોથી વાકેફ છે અને પરિસ્થિતિ વિશે વધારાની માહિતી એકત્રિત કરી રહ્યું છે”.
MDH એ આરોપોને નકારી કાઢ્યા, કહ્યું- પ્રોડક્ટ્સ સેફ છે
જો કે, શનિવારે, MDH, તેના ઉત્પાદનોમાં ‘જંતુનાશકો’ હોવાના આરોપોને નકારી કાઢતા કહ્યું કે આ દાવા ખોટા અને પાયાવિહોણા છે અને તેના માટે કોઈ નક્કર પુરાવા નથી. MDHએ કહ્યું, ‘અમારી પ્રોડક્ટ્સમાં ઇથિલિન ઓક્સાઇડ હોવાના આરોપ સાચા નથી. આ સિવાય કંપનીને સિંગાપોર કે હોંગકોંગના રેગ્યુલેટરી ઓથોરિટી તરફથી કોઈ મેસેજ મળ્યો નથી.
કીટનાશક છે ઈથિલીન ઓક્સાઇડ, તેનાથી કેન્સરનું જોખમ
સ્પાઈસ બોર્ડ ઈથિલિન ઓક્સાઇડને 10.7 સેલ્સિયસથી વધુ તાપમાને જ્વલનશીલ, રંગહીન ગેસ તરીકે વ્યાખ્યાયિત કરે છે. તે જંતુનાશક તરીકે કામ કરે છે. તેનો ઉપયોગ તબીબી સાધનોને સ્ટરલાઈજ કરવા અને મસાલામાં માઇક્રોબિયલ કંટેમિનેશન ઘટાડવા માટે થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) એ ઇથિલિન ઓક્સાઇડને ‘ગ્રુપ 1 કાર્સિનોજેન’ તરીકે વર્ગીકૃત કરે છે. તેનો અર્થ એ છે કે તે માનવોમાં કેન્સરનું કારણ બની શકે છે તે તારણ માટે પૂરતા પુરાવા છે. ઇથિલિન ઓક્સાઇડ લિમ્ફોમા અને લ્યુકેમિયા જેવા કેન્સરનું કારણ બની શકે છે. પેટ અને સ્તન કેન્સર પણ થઈ શકે છે.
ભારતે નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 32,000 કરોડના મસાલાની નિકાસ કરી હતી
નાણાકીય વર્ષ 2022-23માં ભારતે લગભગ 32,000 કરોડ રૂપિયાના મસાલાની નિકાસ કરી હતી. મરચાં, જીરું, હળદર, કરી પાવડર અને એલચી મુખ્ય એક્સપોર્ટ કરતા મસાલા છે.
આ સમાચાર પણ વાંચો…
MDH એ મસાલામાં ‘જંતુનાશકો’ ના દાવાઓને નકારી કાઢ્યા: કહ્યું- અમારા ઉત્પાદનો સંપૂર્ણપણે સલામત છે, સ્થાનિક અને વૈશ્વિક ધોરણોનું પાલન કરે છે
ભારતીય મસાલા બ્રાન્ડ MDH એ તેના ઉત્પાદનોના ‘જંતુનાશકો’ ધરાવતા આરોપોને ફગાવી દીધા છે. કંપનીએ શનિવારે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે આ દાવા ખોટા અને પાયાવિહોણા છે અને તેના માટે કોઈ નક્કર પુરાવા નથી.