- Gujarati News
- Business
- Growing Dominance Of Morbi Ceramic Tiles In Rajasthan’s Marble City Of Kishangarh, Demands Tax Cut To 12%
કિશનગઢ1 કલાક પેહલા
- કૉપી લિંક
- ટાઇલ્સ કિંમતમાં સસ્તી-આકર્ષક હોવાને કારણે માર્બલ કરતાં તેને વધુ પ્રાધાન્ય અપાય છે
રાજસ્થાનનના અજમેર જિલ્લામાં સ્થિત માર્બલ સિટીના નામથી મશહૂર કિશનગઢ પોતાના માર્બલના શિલ્પ કૌશલ્ય માટે પ્રસિદ્ધ છે. અહીંના માર્બલ દેશ અને વિશ્વમાં પણ મશહૂર છે. આ પહેલા નાગોર જિલ્લાના મકરાનાના માર્બલની પ્રસિદ્ધિ તેનાથી વધુ હતી. પરંતુ મકરાનાનું માર્બલ ખર્ચાળ હોવાને કારણે કિશનગઢમાં નાના પાયે માર્બલ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઇ.
NH 8 માર્બલ મંડી માટે વરદાન સાબિત થયું. અહીંથી મકરાનાની કનેક્ટિવિટી હોવાને કારણે કિશનગઢની માર્બલ ઇન્ડસ્ટ્રી નવી ઊંચાઇઓ સુધી પહોંચી. પરંતુ હવે આ માર્બલ ઇન્ડસ્ટ્રીને ગુજરાતના મોરબીની ટાઇલ્સ અને સસ્તા ચીની વિકલ્પોને કારણે સીધો જ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. આજે કિશનગઢમાં અનેક જગ્યાએ માર્બલના શોરૂમની જગ્યાએ ટાઇલ્સના શો-રૂમ નજરે પડી રહ્યા છે.
ટાઇલ્સના શોરૂમ તેજીથી વધવાને કારણે માર્બલ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા 25,000થી વધુ કામદારોની આજીવિકા ખતરામાં છે. કિશનગઢ માર્બલ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો અનુસાર, ટાઇલ્સના ઉછાળાને કારણે માર્બલ સેક્ટરમાં 25%થી વધુ કારોબાર ઘટ્યો છે. માર્બલ વિક્રેતા મહેશ ખોલાસે કહે છે કે, ટાઇલ્સના શોરૂમ તેજીથી વધવાની સાથે, અમને માર્બલ ઇન્ડસ્ટ્રીમાં બેરોજગારી વધતી નજરે પડી રહી છે. શહેરના પ્રમુખ માર્બલ વિક્રેતાઓમાંથી એક, એશિયન માર્બલ્સના સેલ્સના ઉપાધ્યક્ષ વિશેષ પાટની અનુસાર, દર વર્ષે, ટાઇલ્સને કારણે સંગેમરમર ઉદ્યોગ મંદી તરફ ધકેલાઇ રહ્યો છે.
તાજેતરના વર્ષોમાં તેમાં 20-25%નો ઘટાડો થયો છે. દેશ અને કિશનગઢ એમ બંનેમાં વેચાતી 90%થી વધુ ટાઇલ્સ ગુજરાતના સૌરાષ્ટ્રના પશ્ચિમ કિનારે સ્થિત મોરબી જિલ્લાથી આવે છે. પાટીદારોની બહુમતી ધરાવતા મોરબી જિલ્લામાં 1,000થી વધુ ટાઇલ્સના કારખાના છે, જેનો વાર્ષિક કારોબાર લગભગ 50,000 કરોડ રૂપિયા છે. ઇન્ડસ્ટ્રી નિષ્ણાંત અનુસાર માર્બલ અને ટાઇલ્સની કિંમતમાં જમીન આકાશનું અંતર છે. ટાઇલ્સ માર્બલની તુલનામાં ખૂબ જ સસ્તી પડે છે એટલે જ લોકો માર્બલને બદલે ટાઇલ્સને વધુ પ્રાધાન્ય આપે છે. આજકાલ માર્કેટમાં માર્બલ અને ગ્રેનાઇટને સમાન પેટર્ન વાળી ટાઇલ્સ મોટા પાયે ઉપલબ્ધ છે.
માર્બલ ઇન્ડસ્ટ્રીનો વાર્ષિક 6 હજાર કરોડનો કારોબાર
કિશનગઢની માર્બલ અને ગ્રેનાઇટ ઇન્ડસ્ટ્રી, રાજસ્થાન સ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન (RIICO)ના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સ્થિત છે અને 50 કિલોમીટરમાં ફેલાયેલી છે. તેમાં અંદાજે 1,500 મોટા યુનિટ્સ, લગભગ 4,000 ડીલર અને 25,000 કર્મચારી સામેલ છે. કિશનગઢ માર્બલ એસોસિએશન અનુસાર, અહીં દૈનિક 16 કરોડ રૂપિયાથી વધુનો કારોબાર થાય છે. વાર્ષિક આધારે અહીં અંદાજે 5,500 થી 6,000 કરોડનો વેપાર થાય છે. કિશનગઢમાં 50 વર્ષ પહેલા ક્રેઝી અને ચિપ્સની નાના સ્તરનું યુનિટ લગાડીને માર્બલ કારોબારની શરૂઆત કરવામાં આવી હતી.