7 મિનિટ પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર અને સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા ટૂંક સમયમાં ફિલ્મ ‘રુસલાન’માં જોવા મળશે. આ ફિલ્મ 26 એપ્રિલે રિલીઝ થશે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં આયુષે સલમાન સાથેના તેના બોન્ડિંગ અને લોકોની ખોટી માન્યતાઓ વિશે વાત કરી હતી.
સલમાન અને આયુષ શર્મા
હું સલમાન ખાનનો વિદ્યાર્થી છુંઃ આયુષ
એક મીડિયા સાથેની વાતચીતમાં આયુષે સલમાન ખાનના વખાણ કર્યા અને કહ્યું કે જ્યારે પણ તે કોઈ વસ્તુને સપોર્ટ કરે છે ત્યારે તે દિલથી તેમની સાથે જોડાય જાય છે. જ્યારે’ રુસલાન’નું ટ્રેલર લૉન્ચ થયું ત્યારે મને ખબર ન હતી કે તેઓ તેને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરશે પરંતુ જ્યારે મેં કૅપ્શન જોયું તો તે મારા હૃદયને સ્પર્શી ગયું. જે વ્યક્તિએ તમને ગ્રૂમ કર્યા છે અને તમને શીખવ્યું છે તે તમારા વખાણ કરે છે ત્યારે તે મહાન લાગે છે. દરેક અર્જુન તેના દ્રોણાચાર્ય પાસેથી ખુશામત મેળવવા માગે છે. તેઓ આ માટે વખાણ નથી કરતા કારણ કે હું તેમનો બનેવી છું. તે એટલા માટે કરે છે કારણ કે હું તેનો વિદ્યાર્થી છું. આવા વખાણ હંમેશા હૃદયને સ્પર્શે છે.
‘ખાન પરિવાર મારા નિર્ણય લેતા નથી ‘
આયુષે વધુમાં કહ્યું કે, લોકોને એવી ગેરસમજ છે કે મારા વિશેના તમામ નિર્ણયો સલમાન ખાન લે છે અને આયુષે કહ્યું કે, એવું બિલકુલ નથી. મારું પણ પોતાનું મગજ છે અને આ સમાચારોમાં કોઈ સત્યતા નથી. તેઓ મને ખૂબ પ્રેમ કરે છે. આ દરમિયાન આયુષે તેની પ્રથમ ફિલ્મ ‘લવયાત્રી’ વિશે પણ વાત કરી હતી. તેણે ફિલ્મમાં તેના એક્ટિંગને ખુબ જ નબળી માનવામાં આવી હતી.
આયુષ અને અર્પિતા
અર્પિતા ખાન સાથે લગ્ન કર્યા
આયુષે સલમાનની નાની બહેન અર્પિતા સાથે લગ્ન કર્યા છે. બંનેના લગ્ન 18 નવેમ્બર 2014ના રોજ હૈદરાબાદની હોટલ ફલકનુમામાં થયા હતા. આ લગ્નની જવાબદારી સલમાને પોતે લીધી હતી. લગ્ન બાદ મુંબઈમાં ભવ્ય રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હવે બંને બે બાળકોના માતા-પિતા બની ગયા છે.