8 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલજિત દોસાંજ અને પરિણીતી ચોપરા સ્ટારર ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટ દરમિયાન દિલજીત દોસાંજ ઈમોશનલ થતો જોવા મળ્યો હતો. જેવો જ તે ભાવુક થઈ જાય છે, પરિણીતિ તેને શાંત કરવા લાગે છે.
‘અમર સિંહ ચમકીલા’નું ટ્રેલર લોન્ચ ઈવેન્ટ
દિલજીત દોસાંજ સ્ટેજ પર જ રડવા લાગ્યો
ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’માં દિલજીત દોસાંજ અને પરિણીતી ચોપરા બંને અસલી જીવનના પાત્રો ભજવતા જોવા મળશે. ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં સ્ટાર કાસ્ટ ઉપરાંત ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી, મ્યુઝિક કમ્પોઝર એઆર રહેમાન અને કૈલાશ ખેર પણ જોવા મળ્યા હતા. ડિરેક્ટર ઈમ્તિયાઝ અલીએ ત્યાં બેઠેલા દર્શકોને ફિલ્મ વિશે જણાવ્યું. તેઓ કહેતા હતા કે શા માટે અમર સિંહ ચમકીલાના જીવનએ તેમને આ ફિલ્મ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.
આ દરમિયાન સ્ટેજ પર હાજર દિલજીત દોસાંજ રડવા લાગ્યો હતો. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. દિલજીતને આ રીતે રડતો જોઈ પરિણીતી ચોપરા તેને સપોર્ટ કરતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.
આ ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ની અસલી કહાની પર આધારિત
પ્રખ્યાત લોકગાયક અમરસિંહ ચમકીલા તેમના અલગ-અલગ ગીતોથી લોકપ્રિય થયા હતા. પોતાના ગીતોના બોલને કારણે તે ઘણી વખત વિવાદોમાં પણ સપડાઈ હતી. તેમના દ્વારા લખાયેલા ગીતો ઘણા પ્રખ્યાત ગાયકોએ પણ ગાયા છે.
8 માર્ચ, 1988ના રોજ અમર સિંહ ચમકીલા અને તેમની પત્ની અમરજોતની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેની સાથે તેના બેન્ડના અન્ય બે સભ્યો પણ માર્યા ગયા હતા. આજદિન સુધી તેની હત્યાનું કારણ બહાર આવ્યું નથી.
પત્ની અમરજોત સાથે અમર સિંહ ચમકીલા
12 એપ્રિલના રોજ Netflix પર રિલીઝ થશે
‘અમર સિંહ ચમકીલા’ ફિલ્મ 12 એપ્રિલના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન ઈમ્તિયાઝ અલીએ કર્યું છે. ફિલ્મના લેખક અને નિર્માતા પણ ઈમ્તિયાઝ અલી ખાન છે. ફિલ્મમાં દિલજીત, અમર સિંહ ચમકીલા અને પરિણીતી ચોપરા તેની પત્ની અમરજોતના રોલમાં છે.