30 મિનિટ પેહલા
- કૉપી લિંક
રણબીર કપૂરને 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં ફિલ્મ ‘એનિમલ’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ આપવામાં આવ્યો છે. હાલમાં જ આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે અને હવે રણબીરના ફેન્સ તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રણબીરે ફિલ્મના બીજા ભાગ સાથે જોડાયેલી કેટલીક વિગતો શેર કરી હતી. અભિનેતાએ ‘નેટફ્લિક્સ ઈન્ડિયા’ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મના નિર્માણ દરમિયાન પણ કોઈને તેની વાર્તાની જાણ નહોતી.
રણબીર ‘એનિમલ’ના બીજા ભાગમાં ડબલ રોલમાં જોવા મળશે. તેના એક પાત્રનું નામ અઝીઝ હક હશે.
એનિમલ પાર્ક વધારે ડાર્ક હશે રણબીર
રણબીરે કહ્યું, ‘બોબી સરને સ્ટોરી વિશે કોઈ જાણકારી નહોતી. અનિલ સર પિતા-પુત્રની વાર્તા વિશે જ જાણતા હતા. સંદીપ તેની ફિલ્મ અને તેની સ્ક્રિપ્ટને લઈને ખૂબ જ ગુપ્ત હતો. જો કે, તેણે મને તેના બીજા ભાગ ‘એનિમલ પાર્ક’ના એક-બે દ્રશ્યો પણ સંભળાવ્યા છે અને તે દ્રશ્યો ખૂબ જ રોમાંચક છે. હવે સંદીપ તેના બીજા ભાગને લઈને પૂરો વિશ્વાસ ધરાવે છે અને તે તેને વધુ જટિલ અને મોટા સ્તરે ડાર્ક બનાવવા જઈ રહ્યો છે.
‘એનિમલ’ના ક્રેડિટ સીનમાં અઝીઝ હકના પાત્રની ઝલક આપવામાં આવી હતી.
‘કંઈક ખોટું હોય તો એ પણ બતાવવું જરૂરી છે’
આ જ ઈન્ટરવ્યુમાં રણબીરે એમ પણ કહ્યું હતું કે આ ફિલ્મને ઘણા લોકો તરફથી નેગેટિવ રિવ્યુ મળ્યા હોવા છતાં, તેણે સમાજમાં એક સ્વસ્થ વાતચીતને વેગ આપ્યો છે. રણબીરે કહ્યું, ‘મર્દાનગી વિશે ખૂબ જ તંદુરસ્ત ચર્ચા શરૂ થઈ છે અને સિનેમા માટે આ ખૂબ જ સારી બાબત છે કારણ કે ઓછામાં ઓછું સિનેમા વાતચીત શરૂ કરે છે. જો કંઈક ખોટું છે અને તમે તે ખોટું છે તેવું દર્શાવતા નથી અથવા તો સમાજમાં વાતચીત શરૂ ન થાય ત્યાં સુધી તમને તેનો ખ્યાલ પણ આવતો નથી’.
શું ખોટું છે તે દર્શક તરીકે તમારે નક્કી કરવાનું છે: રણબીર
અભિનેતાએ આગળ કહ્યું, ‘તેથી અમે જે ભૂમિકા ભજવી રહ્યા છીએ તે પાત્રો છે. એક અભિનેતા તરીકે, અમે આવા પાત્રો પ્રત્યે સહાનુભૂતિ અનુભવીએ છીએ કારણ કે આપણે તેમને ભજવવાના છે. પણ એક દર્શક તરીકે એ તમારે નક્કી કરવાનું છે કે ખોટું શું છે? તમે ખોટા વ્યક્તિ પર ફિલ્મ બનાવી શકો છો અને તે બનવી જોઈએ. કારણ કે જો તમે આ લોકો પર ફિલ્મ નહીં બનાવો તો સમાજ ક્યારેય સુધરશે નહીં.
એવી ચર્ચા છે કે બોબીના પાત્ર અબરાર હકની પાછલી વાર્તા પણ ‘એનિમલ પાર્ક’માં રજૂ કરવામાં આવશે.
સ્ટોરીટેલિંગ સમાજનું દર્પણ છે- બોબી દેઓલ
આ ઈન્ટરવ્યુમાં રણબીરની સાથે બોબી દેઓલ અને અનિલ કપૂર પણ હાજર હતા. રણબીરની વાતને સમર્થન આપતા બોબીએ કહ્યું, ‘સ્ટોરીટેલિંગ એ સમાજનો અરીસો છે. તે તમને બતાવે છે કે સમાજમાં શું ચાલી રહ્યું છે. અને એવી ઘણી વસ્તુઓ થઈ રહી છે જેના વિશે આપણે વાત કરવા માંગતા નથી.
રણબીર અને આલિયાએ 69માં ફિલ્મફેર એવોર્ડ્સમાં બેસ્ટ એક્ટર અને એક્ટ્રેસનો એવોર્ડ જીત્યો છે.
ઘણા સેલેબ્સે વાર્તા અને પાત્રોને લઈને ‘એનિમલ’ની ટીકા કરી હતી. પીઢ લેખક અને ગીતકાર જાવેદ અખ્તરે આ ફિલ્મને ‘ખતરનાક’ ગણાવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો રણબીરની આગામી ફિલ્મો ભણસાલીની ‘લવ એન્ડ વોર’ અને નિતેશ તિવારીની ‘રામાયણ’ છે.