રાજકોટ3 કલાક પેહલા
- કૉપી લિંક
મૃતક પરિણીતાની ફાઈલ તસ્વીર
રાજકોટના મોરબી રોડ પર ગોકુળ કોમ્પ્લેક્ષમાં 36 વર્ષીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યાના બનાવમાં નવો ખુલાસો થયો છે. પરિણીતાને તેનો દારૂડિયો પતિ ઘરમાં મળમુત્ર કરી માર મારી સાફ કરાવતો અને મારે બીજી છોકરી સાથે અફેર છે, તારે મરવુ હોઇ તો મરીજા કહી અવારનવાર કહીં ત્રાસ આપતો હતો એટલું જ નહિ એક દિવસ અન્ય યુવતી સાથે પતિને જોઈ જતાં પરિણીતાએ આપઘાત કરી લીધાની ફરિયાદ મૃતક મહિલાના પિતાએ બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.
આપઘાત કર્યાના બનાવમાં નવો ખુલાસો