- Gujarati News
- International
- 30% Of Indians Are Allergic To Something: 50% To 80% Of Children Under 10 Years Of Age Are Allergic To Milk Or Eggs.
વોશિંગ્ટન2 કલાક પેહલા
- કૉપી લિંક
- યુવાવસ્થા, ગર્ભાવસ્થા, બીમારીઓ કે અંગ-પ્રત્યારોપણથી એલર્જીમાં પરિવર્તન શક્ય
દુનિયાની કુલ વસ્તીના આશરે 25% લોકોને કોઈ ને કોઈ પ્રકારની એલર્જીનો સામનો કરવો પડે છે. ભારતમાં 20થી 30% લોકોને એલર્જીની સમસ્યા છે. ત્યારે, અમેરિકામાં લગભગ 26% વયસ્કો અને 19% બાળકોને સિઝનલ એલર્જી છે. જ્યારે 6% વયસ્કો અને બાળકોને કોઈ ને કોઈ ભોજનથી એલર્જી છે.
આ ડેટા અમેરિકાના રોગનિયંત્રણ અને નિવારણ કેન્દ્રનો છે. યુનિવર્સિટી ઓફ નોર્થ કેરેલિનાની સ્કૂલ ઓફ મેડિસિનમાં એલર્જી પ્રતિરક્ષા વિજ્ઞાનના પ્રોફેસર ડો. કોરિન કીટ કહે છે કે એલર્જીનાં કારણો ખૂબ જટિલ છે. તે તમારા જનીન અને તમે કઈ રીતે એલર્જીના સંપર્કમાં આવો છો અને ક્યારે આવો છો, તેના પર આધાર રાખે છે. સામાન્ય રીતે યુવાવસ્થા, ગર્ભાવસ્થા, બીમાર થવા કે અંગ-પ્રત્યારોપણથી એલર્જીમાં બદલાવ થવો શક્ય છે.
ચોંકાવનારી વાત એ છે કે 10 વર્ષ સુધીની ઉંમરનાં 50% થી 80% સુધીનાં બાળકોને દૂધ કે ઈંડાંથી એલર્જી થઈ જાય છે. ઉંમર વધ્યા પછી આ એલર્જી તેની રીતે જ ઠીક થઈ જાય છે. ન્યૂયોર્કના માઉન્ટ સિનાઈમાં ઇકાન સ્કૂલ ઓફ મેડિસિનમાં એલર્જિસ્ટ અને ઇમ્યુનોલોજિસ્ટ ડો. શ્રદ્ધા અગ્રવાલે કહ્યું કે આજે પણ વિજ્ઞાની એ નથી સમજી શક્યા ઉંમર સાથે એલર્જી કેમ વધે કે ઘટે છે. એલર્જીમાં હજુ પણ ઘણાં બધાં રહસ્યો છે.
ડો. શ્રદ્ધા અગ્રવાલ જણાવે છે કે એલર્જી ઘણા અલગ-અલગ રૂપમાં સામે આવે છે. સામાન્ય રીતે એ ત્યારે વિકસિત થાય છે જ્યારે તમારી રોગપ્રતિકારક સિસ્ટમ ભૂલથી પરાગ કણો અથવા જાનવરોના વાળ જેવા એલર્જીનને જોખમી માને છે. પછી તે દર વખતે એ એલર્જીના સંપર્કમાં આવવાથી પ્રતિક્રિયા કરે છે. તેનાં લક્ષણ અલગ-અલગ હોઈ શકે છે.
કોઈ પણ ઉંમરના લોકોને કોઈ પણ વસ્તુથી એલર્જી, સારવાર પણ મુશ્કેલ
શંખ, સીપી, દૂધ, પનીર, મેવા, વટાણાના ફોતરા, મધમાખી, કૂતરા, બિલાડી, કપડાં ધોવાનો ડિટર્જન્ટ અને ઈંડાંથી પણ એલર્જી થઈ શકે છે. જે કોઈ પણ વસ્તુ કે ભોજનથી થઈ શકે છે. હાલમાં જ અમેરિકામાં એક વ્યક્તિને શેલફિશથી એલર્જી થવાનો કેસ સામે આવ્યો છે. મોરાલેસ ઉપનામ વાળી આ વ્યક્તિ બેહોશ થતા હોસ્પિટલ લઈ જવી પડી હતી. જાણવા મળ્યું કે તેણે જે ભોજન કર્યું તેનાથી એલર્જી થઈ છે. પછીથી મોરાલેસે જણાવ્યું કે તે માછલી ખાય છે, પણ પહેલીવાર શેલફિશ લીધી હતી.