12 મિનિટ પેહલા
- કૉપી લિંક
જો તમારી યાદશક્તિ નબળી પડી રહી છે એટલે કે તમે વસ્તુઓ ભૂલી જવા લાગ્યા છો, તો તે તેનો સંબંધ તમારા ખોરાક સાથે હોઈ શકે છે. ખોરાકમાં વિટામિનનો અભાવ યાદશક્તિને નબળી કરી શકે છે.
વિટામિન્સ સાથે મેમરી કેવી રીતે સંબંધિત છે? પુણેની મધરહુડ હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડાયેટિશિયન ઈશાંરા મહેદવી જણાવી રહ્યાં છે કે ભૂલવાની બીમારીથી છુટકારો મેળવવા માટે કેવા પ્રકારનો આહાર લેવો જોઈએ.
પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી
સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે. ડાયટમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરને પોષણ આપે છે અને તેને સ્વસ્થ રાખે છે. પરંતુ ખોરાકમાં પોષક તત્ત્વોની ઉણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થાય છે. ખોરાકમાં પૌષ્ટિક તત્વોનો અભાવ યાદશક્તિ પર પણ અસર કરે છે.
શરીરમાં વિટામિનની ઉણપ ન થવા દો
શરીરમાં વિટામીનની ઉણપને કારણે થાક, નબળાઈ, ચક્કર આવવા, ઉર્જાનો અભાવ અને નબળી દૃષ્ટિ જેવી સમસ્યાઓ થવા લાગે છે. જો લાંબા સમય સુધી શરીરને જરૂરી વિટામિન્સ ન મળે તો તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પણ થવા લાગે છે.
વિટામિન D અને B12 ની ઉણપ માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. વિટામિન D અને B12 ની ઉણપને કારણે એકાગ્રતાનો અભાવ, નબળી યાદશક્તિ, તણાવ અને ચીડિયાપણું વધવા લાગે છે.
વિટામિન B12 ની ઉણપની અસર
વિટામિન B12 લાલ રક્ત કોશિકાઓ, DNA માટે જરૂરી છે. વિટામીન B12 ની ઉણપના લક્ષણોમાં હાથ-પગમાં સુન્નતા, ચાલવામાં અને સંતુલિત કરવામાં મુશ્કેલી, એનિમિયા, થાક, નબળાઈ, જીભમાં સોજો, યાદશક્તિમાં ઘટાડો વગેરેનો સમાવેશ થાય છે.
આ લક્ષણો ધીમે- ધીમે અથવા અચાનક દેખાઈ શકે છે. વિટામિન B12 ની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં દૂધની બનાવટો જેમ કે માછલી, ચિકન, દૂધ, દહીંનો સમાવેશ કરો. જો તમે ઇચ્છો તો તમે તમારા ડૉક્ટરની સલાહ પર વિટામિન B12 સપ્લિમેન્ટ અથવા B12 ધરાવતા મલ્ટિવિટામિન લઈ શકો છો.
વિટામિન ડી ઓછું હોય તો શું કરવું
વિટામિન ડી હાડકાં માટે ખુબ જ જરૂરી છે. આ વિટામિનની ઉણપથી થાક,હાડકાંમાં દુખાવો, વાળ ખરવા, મૂડ સ્વિંગ, ડિપ્રેશન અને નબળી યાદશક્તિ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
કેલ્શિયમ હાડકાંને મજબૂત રાખવા, સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમને સરળતાથી કામ કરવા માટે મદદરૂપ છે.
વિટામિન ડીની લાંબાગાળાની ઉણપથી હાડકાં નબળાં પડી જાય છે. શરીરમાં કેલ્શિયમની ઉણપથી આંગળીઓમાં નિષ્ક્રિયતા આવે છે અથવા કળતર થઈ શકે છે. હૃદયની લય અનિયમિત બની શકે છે.
વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે ડાયટમાં માછલી, ઈંડા, દૂધ અને દૂધની બનાવટો, રાગી, બાજરી, તલ, લીલા પાંદડાવાળા શાકભાજી, કઠોળ વગેરેનો સમાવેશ કરો. આ સાથે દરરોજ થોડો સમય સનબાથ લો.
ફોલિક એસિડની ઉણપની અસર
ફોલેટ જેને ફોલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસૂતિ વયની સ્ત્રીઓ માટે એક મહત્વપૂર્ણ વિટામિન બી. ગર્ભાવસ્થા દરમિયાન માતાના સ્વાસ્થ્ય તેમજ બાળકના શારીરિક અને માનસિક વિકાસ માટે આ ખૂબ જ જરૂરી છે. ફોલેટની ઉણપ અજાત બાળકોમાં કોષની રચનામાં ઘટાડો, મોટા લાલ રક્ત કોશિકાઓ અને ન્યુરલ ટ્યુબની ખામીઓનું કારણ બની શકે છે. ફોલેટની ઉણપના લક્ષણોમાં થાક, ચીડિયાપણું, ઝાડા, નબળા શારીરિક અને માનસિક વિકાસનો સમાવેશ થાય છે. તમારા ડૉક્ટરની સલાહ મુજબ ફોલિક સપ્લિમેન્ટ્સ લો.
આયર્નની ઉણપ હાનિકારક છે
આયર્ન લાલ રક્ત કોશિકાઓના ઉત્પાદન માટે જરૂરી છે, જે સમગ્ર શરીરમાં ઓક્સિજન વહન કરવા માટે જવાબદાર છે. જ્યારે આયર્નનું લેવલ ઓછું હોય છે, ત્યારે તે લાલ રક્ત કોશિકાઓમાં ઘટાડો તરફ દોરી શકે છે, જે એનિમિયા નામની સ્થિતિનું કારણ બને છે.
હેવી બ્લીડિંગ, સગર્ભા સ્ત્રીઓ અને જેઓ શાકાહારી આહાર લે છે તેમને આયર્નની ઉણપનું જોખમ વધારે હોય છે. એનિમિયાના પરિણામે નબળાઈ, થાક, શ્વાસ લેવામાં તકલીફ, ઝડપી ધબકારા, નિસ્તેજ ત્વચા, માથાનો દુખાવો, હાથ અને પગ ઠંડા, સોજો, બરડ નખ, યાદશક્તિમાં ઘટાડો વગેરે જેવા લક્ષણો થઈ શકે છે.
આ લક્ષણો શરૂઆતમાં ઓછા દેખાય છે. પરંતુ શરીરમાં આયર્નની તીવ્ર ઉણપ થતાં જ તે સ્પષ્ટપણે દેખાઈ જાય છે. શરીરમાં આયર્નનું સ્તર વધારવા માટે ઘઉંની બનાવટો, રાગી અને બાજરીનું સેવન કરી શકાય છે. લીલા પાંદડાવાળા શાકભાજીની સાથે, ચણાની દાળ અને રાજમા જેવી કઠોળ પણ આયર્નના સારા સ્ત્રોત છે.
મેગ્નેશિયમની ઉણપ કેવી રીતે દૂર કરવી
મેગ્નેશિયમ હાડકાંના સ્વાસ્થ્ય માટે અને શરીરમાં ઊર્જા જાળવવા માટે જરૂરી છે. મેગ્નેશિયમની ઉણપમાં ભૂખ ન લાગવી, ઊબકા, થાક, નબળાઈ, માનસિક નિષ્ક્રિયતા, શરીરમાં કળતર, સ્નાયુઓમાં ખેંચાણ, હુમલા અને અનિયમિત ધબકારાનો સમાવેશ થઈ શકે છે.
મેગ્નેશિયમના લેવલને સામાન્ય બનાવવા માટે, બદામ, કાજુ, મગફળી, પાલક, કાળા કઠોળ, ડાર્ક ચોકલેટ, માછલી અને આખા અનાજ જેવા વધુ મેગ્નેશિયમયુક્ત ખોરાક ખાઓ.
વૃદ્ધ લોકો, સગર્ભા સ્ત્રીઓ અને જેઓ શાકાહારી ખોરાક ખાય છે તેઓ પોષક તત્ત્વોની ઉણપથી પીડિત છે. શરીરમાં પોષક તત્ત્વોની ઉણપને પૂરી કરવા માટે તમે ડૉક્ટરની સલાહ પર મલ્ટીવિટામિન્સ લઈ શકો છો.