નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એએસ બોપન્ના, એમએમ સુંદરેશ, પીએસ નરસિમ્હા, જેબી પારડીવાલા, સંજય કુમાર અને મનોજ મિશ્રાની સાત જજોની બેંચ આ કેસની સુનાવણી કરી રહી હતી.
26 વર્ષ પહેલાંના નિર્ણયને સુપ્રીમ કોર્ટે આજે પલટી નાંખ્યો છે. સુપ્રીમ કોર્ટે આજે ઐતિહાસિક ચૂકાદો આપતાં કહ્યું છે કે, કોઈપણ સદનમાં નોટ લઈને વોટ આપવામાં આવશે કે નોટ લઈને ભાષણ આપવામાં આવશે તો સંસદ અને ધારાસભ્યો સામે કેસ ચલાવવામાં આવશે. ખાસ કરીને રાજ્યસભાની ચૂંટણીમાં નોટ લઈને વોટ આપવાના મામલે સુપ્રીમે આ ચૂકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય બેંચે સોમવારે સંસદસભ્યો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ આપવા અથવા મત માટે લાંચ લેવા માટે કાર્યવાહીમાંથી મુક્તિ આપવાના મામલામાં અગાઉના નિર્ણયને રદ કર્યો હતો. બેન્ચે કહ્યું કે સાંસદો અને ધારાસભ્યોને વિશેષાધિકાર હેઠળના કેસમાંથી મુક્તિ આપી શકાય નહીં.
સીજેઆઈએ કહ્યું કે અમે પીવી નરસિમ્હાના નિર્ણય સાથે સહમત નથી જેમાં સાંસદો અને ધારાસભ્યોને ગૃહમાં ભાષણ આપવા અથવા વોટ માટે નોટ (લાંચ) લેવા માટે કાર્યવાહીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. 1998માં, 5 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે 3:2ની બહુમતીથી નિર્ણય લીધો હતો કે આવા કેસોમાં જનપ્રતિનિધિઓ સામે કાર્યવાહી કરી શકાતી નથી.
CJIએ કહ્યું- જો કોઈ લાંચ લે છે તો કેસ થાય છે. તેણે વોટ આપ્યો કે પછી ભાષણ આપ્યું તેનાથી કોઈ ફરક પડતો નથી. જ્યારે સાંસદ લાંચ લે છે ત્યારે જ આરોપ લાગે છે. અમારું માનવું છે કે લાંચ લેવાની બાબતને સંસદીય વિશેષાધિકારો દ્વારા સુરક્ષિત કરી શકાય નહીં.
CJIએ કહ્યું- જો કોઈ સાંસદ ભ્રષ્ટાચાર અને લાંચ લે છે તો આ બાબતો ભારતની સંસદીય લોકશાહીને બરબાદ કરશે. કલમ 105/194 હેઠળ આપવામાં આવેલા વિશેષાધિકારોનો હેતુ સાંસદો માટે ગૃહમાં ભયમુક્ત વાતાવરણ બનાવવાનો છે. જો કોઈ ધારાસભ્ય રાજ્યસભાની ચૂંટણીમાં વોટ આપવા માટે નોટ (લાંચ) લેશે તો તેને પણ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટનો સામનો કરવો પડશે.
કેન્દ્ર સરકારની દલીલ – લાંચના કેસમાં કાર્યવાહીથી છૂટનો વિષય નથી ઑક્ટોબરમાં સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે લાંચ ક્યારેય પણ કાર્યવાહીથી છૂટનો વિષય ન હોઈ શકે. સંસદીય વિશેષાધિકારનો અર્થ કોઈપણ સાંસદ કે ધારાસભ્યને કાયદાથી બહાર રાખવાનો નથી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સંસદમાં અપમાનજનક નિવેદનો આપવાને ગુનો ગણવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો.
સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે સંસદ અને વિધાનસભાઓમાં અપમાનજનક નિવેદનો સહિત દરેક પ્રકારના કામને કાયદામાંથી છૂટ આપવામાં ન આવે જેથી કરીને ગુનાહિત ષડયંત્ર હેઠળ આવું કરનારાઓ સામે કાર્યવાહી થઈ શકે.
આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગૃહની અંદર કંઈપણ બોલવા પર સાંસદો અને ધારાસભ્યો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકાય નહીં. સંસદ અને વિધાનસભાના સભ્યોને ગૃહમાં બોલવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોય છે.
સીતા સોરેન પર રાજ્યસભામાં વોટના બદલામાં લાંચ લેવાનો આરોપ
ખરેખરમાં સીતા સોરેન પર 2012માં રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગના બદલામાં લાંચ લેવાનો આરોપ છે. સીતા સોરેને તેમના બચાવમાં દલીલ કરી હતી કે તેમને બંધારણના અનુચ્છેદ 194(2) હેઠળ ગૃહમાં ‘કંઈપણ કહેવા અથવા મત આપવા’ માટેની છૂટછાટ મળેલી છે.
વરિષ્ઠ વકીલ રાજુ રામચંદ્રને સુપ્રીમ કોર્ટમાં સીતા સોરેનનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે હાલમાં જ લોકસભામાં બીએસપીના સાંસદ દાનિશ અલી વિરુદ્ધ ભાજપના સાંસદ રમેશ બિધુરીના અપમાનજનક નિવેદનનો ઉલ્લેખ કરતા કહ્યું કે વોટ અથવા ભાષણ સંબંધિત કોઈપણ બાબત માટે કાર્યવાહીથી મુક્તિ, પછી ભલે તે લાંચ કે ષડયંત્ર હોય, સંપૂર્ણ રીતે હોવી જોઈએ.
સીતા સોરેન કેસનો ગૃહની કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી
જોકે, એટર્ની જનરલ આર વેંકટરામણીએ સીતા સોરેનના કેસને અન્ય કેસ કરતા અલગ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે રાજ્યસભાની ચૂંટણી માટે મતદાનનો ગૃહની કાર્યવાહી સાથે કોઈ સંબંધ નથી. તેથી, રાજ્યસભાની ચૂંટણીમાં મતદાન માટે લાંચ લેવા સામે સીતા સોરેનનો કેસ કાયદાકીય દાયરામાં આવે છે.
સોલિસિટર જનરલની દલીલ – વોટ માટે લાંચ લેવી એ ગૃહની બહારનો મામલો છે.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કલમ 105(2) અને 194(2) હેઠળ લાંચને ક્યારેય મુક્તિ આપી શકાતી નથી. જો ગુનો સંસદ અથવા વિધાનસભામાં ભાષણ અથવા મતદાન સાથે સંબંધિત હોય તો પણ તે ગૃહની બહાર કાર્યવાહી કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે બે દિવસની કાર્યવાહી બાદ આ મામલામાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે.
આ સમાચાર પણ વાંચો…
SCમાં પેન્ડિંગ 11 કેસોની 2024માં સુનાવણી થશે: આ કેસો દેશની સ્થિતિને અસર કરશે; જેમાં જ્ઞાનવાપી, ફ્રીબીઝ કેસ સામેલ

2024માં સુપ્રીમ કોર્ટમાં 11 મહત્વના કેસોની સુનાવણી અને નિર્ણય લેવાનો છે, જે દેશની સ્થિતિ અને દિશાને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. જેમાં જ્ઞાનવાપી વિવાદ, પ્લેસેજ ઓફ વર્શિપ એક્ટ 1991ને પડકાર જેવા મોટા મામલાનો સમાવેશ થાય છે.