નવી દિલ્હી28 મિનિટ પેહલા
- કૉપી લિંક
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડીવાય ચંદ્રચુડે કહ્યું કે જ્યારે તેઓ પાંચમા ધોરણમાં હતા ત્યારે નાની ભૂલ માટે તેમને હાથ પર સોટી વડે માર મારવામાં આવ્યો હતો. શરમના કારણે તે 10 દિવસ સુધી માતા-પિતાને આ વાત જણાવી શક્યા નહોતા. તેમણે તેના ઇજાગ્રસ્ત હાથને માતાપિતાથી છુપાવવા પડ્યા હતા.
CJIએ શનિવારે કાઠમાંડુમાં નેપાળની સુપ્રીમ કોર્ટ દ્વારા આયોજિત નેશનલ સિમ્પોજિયમ ઓન જ્યુવનાઈલ જસ્ટિસમાં આ વાત જણાવી હતી. પોતાના બાળપણની વાત શેર કરતા તેમણે કહ્યું કે તે દિવસને તેઓ ક્યારેય ભૂલી નહીં શકે. તમે બાળકો સાથે કેવું વર્તન કરો છો તેની અસર તેમના મન પર જીવનભર રહે છે.
ક્લાસમાં યોગ્ય સાઈઝની સોય નહીં લાવતા માર મારવામાં આવ્યો હતો
CJIએ કહ્યું કે જ્યારે મને માર મારવામાં આવ્યો ત્યારે હું કોઈ મોટો ગુનેગાર નહોતો. હું હસ્તકલા શીખતો હતો. અને તે દિવસે હું અસાઈનમેન્ટ માટે ક્લાસમાં યોગ્ય સાઈઝની સોય લઈને ગયો નહોતો.જ્યારે મારા હાથ પર સોટી મારવામાં આવી હતી, ત્યારે મારો ગુનો એટલો જ હતો કેં હું વર્ગમાં યોગ્ય સાઈની સોય લાવ્યો ન હતો.
CJI ચંદ્રચુડે કહ્યું, “મને હજુ પણ યાદ છે કે મારા શિક્ષકને ઘણી વાર વિનંતી કરી હતી કે સોટી મારા હાથ પર નહીં પરંતુ મારી કમર એટલે કે પીઠ પર મારો. પરંતુ, તેમણે મારી વાત સાંભળી નહોતી. CJIએ કહ્યું કે હું શિક્ષકની મારપીટ વિશે મારા માતા-પિતાને જણાવતા ખૂબ જ શરમ અનુભવી રહ્યો હતો, પછીના કેટલાક દિવસો સુધી હું ચૂપચાપ પીડા સહન કરતો રહ્યો અને મારા હાથ પરના નિશાન છુપાવતો રહ્યો હતો.
CJIએ વધુમાં કહ્યું, “તમે બાળકો સાથે કેવું વર્તન કરો છો તેની તેમના જીવનભર તેમના મગજ પર ઊંડી અસર પડે છે, હું શાળામાં તે દિવસ ક્યારેય ભૂલી શકીશ નહીં.
CJI ચંદ્રચુડ કાઠમાંડુમાં બાળ ન્યાય પરના રાષ્ટ્રીય સેમિનારમાં બોલતા હતા.
CJIએ કહ્યું- આ ઘટનાએ મારા દિલ અને દિમાગને અસર કરી
માર માર્યા પછી, શરમના કારણે હું 10 દિવસ પછી સુધી મારા માતાપિતાને આ વિશે જણાવી શક્યો નહોતો. મારે મારા ઈજાગ્રસ્ત હાથને તેમનાથી છુપાવવા પડ્યા હતા. મારા હાથ પરનો ઘા રૂઝાયો, પણ આ ઘટના મારા મન અને આત્મા પર કાયમ માટે અંકિત થઈ ગઈ. આજે પણ જ્યારે હું મારું કામ કરું છું ત્યારે મને આ યાદ આવે છે. બાળકોના મન પર આવી ઘટનાઓની ખૂબ જ ઊંડી અસર થાય છે.
CJIએ કહ્યું- સગીર ગુનેગારો પ્રત્યે દયા રાખવી જરુરી છે
CJIએ કહ્યું કે સગીર ન્યાયની ચર્ચા કરતી વખતે આપણે સગીર ગુનેગારોની સમસ્યાઓ અને વિશેષ જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આપણે એ પણ સુનિશ્ચિત કરવું પડશે કે આપણી ન્યાય વ્યવસ્થા આ બાળકો પ્રત્યે દયાળુ છે. તેમને સુધારવાની અને સમાજમાં ફરી જોડાવવાની તક આપો. તેમણે કહ્યું કે એ મહત્વનું છે કે આપણે કિશોરાવસ્થાના વિવિધ સ્વભાવને સમજીએ અને તે સમાજના વિવિધ પરિમાણો સાથે કેવી રીતે જોડાય છે.
CJIએ તેમના કાઠમાંડુ પ્રવાસ દરમિયાન પશુપતિનાથ મંદિરની મુલાકાત લીધી હતી.
CJIએ કહ્યું- અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનોનો અભાવ સૌથી મોટો પડકાર છે
આ સેમિનારમાં CJI એ ભારતની સુપ્રીમ કોર્ટમાં કરાયેલી અરજીનો પણ ઉલ્લેખ કર્યો જેમાં સગીરાના ગર્ભપાતની માંગ કરવામાં આવી હતી. CJI એ ભારતની કિશોર ન્યાય પ્રણાલી સામેના પડકારો વિશે વાત કરી હતી.
સૌથી મોટો પડકાર અપૂરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંસાધનો છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં. આ કારણે તેમની ક્ષમતા કરતાં વધુ બાળકોને કિશોર સુધાર ગૃહમાં રાખવા પડે છે, જેના કારણે અહીંની સ્થિતિ વધુ ખરાબ થઈ જાય છે. આ કારણે, સગીર ગુનેગારોને યોગ્ય સમર્થન અને તેને ફરીથી સુધારવાના પ્રયાસો પડકારરૂપ બની જાય છે.
આ સમાચાર પણ વાંચો…
દિલ્હી હાઈકોર્ટે કહ્યું- માતા-પિતાએ સ્કૂલમાં ACનો ખર્ચ ઉઠાવવો જોઈએઃ મેનેજમેન્ટ પર આર્થિક બોજ ન નાખી શકાય, આ સુવિધા લેબ-સ્માર્ટ ક્લાસ જેવી છે
દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે શાળામાં એર કન્ડીશનીંગ (AC)નો ખર્ચ ત્યાં ભણતા બાળકોના માતા-પિતાએ ઉઠાવવો પડશે. બાળકોની સુવિધા માટે એસી લગાવવામાં આવ્યું છે. તેથી, તેનો આર્થિક બોજ એકલા શાળાના મેનેજમેન્ટ પર નાખી શકાય નહીં.
કોર્ટે 2 મેના રોજ માતા-પિતાની અરજી પર ચુકાદો આપતાં આ ટિપ્પણી કરી હતી. એક્ટિંગ ચીફ જસ્ટિસ મનમોહન અને જસ્ટિસ મનમીત પીએસ અરોરાની બેન્ચે કહ્યું કે AC માટેનો ચાર્જ લેબોરેટરી અને સ્માર્ટ ક્લાસ માટે ચૂકવવામાં આવતી ફી જેવો છે.