4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તરપ્રદેશની બાંદા જેલમાં બંધ માફિયા મુખ્તાર અંસારીનું મોત નીપજ્યું છે. ગુરુવારે સાંજે તેને જેલમાંથી રાણી દુર્ગાવતી મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેને હાર્ટ એટેક આવ્યો હતો. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે તેણે ઉપવાસ રાખ્યા હતા. ઈફ્તાર બાદ તબિયત બગડી હતી. જો કે, જેલ પ્રશાસને હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
તે જ સમયે, મઉ અને ગાઝીપુરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ઉપરાંત બાંદામાં પણ ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે. ડીજીપી હેડક્વાર્ટરને પણ સતર્ક રહેવા સૂચના આપી છે.
આ પહેલા મંગળવારે મુખ્તારની તબિયત બગડી હતી. તેમને 14 કલાક દાખલ કર્યા બાદ રજા આપવામાં આવી હતી. થોડા દિવસો પહેલા મુખ્તાર અંસારીએ દાવો કર્યો હતો કે તેમને સ્લો પોઈઝન આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
મુખ્તાર અંસારીના વકીલનું કહેવું છે કે તેમના વિશે થોડા સમય પછી માહિતી મળશે. મુખ્તારના ભત્રીજા અને ધારાસભ્ય સુહૈબ અંસારીએ કહ્યું કે અમને માહિતી મળી છે કે તેમની તબિયત નાદુરસ્ત છે. અમે બાંદા માટે રવાના થઈ રહ્યા છીએ.
મુખ્તાર અંસારી 2005થી સજા કાપી રહ્યો છે. તેને અલગ-અલગ કેસમાં બે વખત આજીવન કેદની સજા થઈ છે.
અમે સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ…