42 મિનિટ પેહલા
- કૉપી લિંક
નવરાત્રિના આઠમા દિવસે દેવી દુર્ગાના આઠમા સ્વરૂપ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. માતાના આ સ્વરૂપે ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેનું શરીર કાળું થઈ ગયું. પ્રસન્ન થઈને શિવે તેમનો સ્વીકાર કર્યો અને તેમના પર ગંગા જળ છાંટ્યુ હતું. જેના કારણે માતાનું શરીર તેજ અને રંગ ગોરો થયો, ત્યારથી તેનું નામ ગૌરી પડ્યું.
મહાગૌરીનો દેખાવ: ગોરો રંગ, સફેદ વસ્ત્રો અને બળદની સવારી
તેમનું વાહન વૃષભ એટલે કે બળદ છે. તેમનો એક હાથ અભયમુદ્રામાં છે, જ્યારે બીજા હાથમાં ત્રિશૂળ છે. ત્રીજા હાથમાં ડમરુ છે અને ચોથા હાથમાં વરમુદ્રા છે. તેમના કપડા પણ સફેદ રંગના છે અને તમામ આભૂષણ પણ સફેદ છે.
પૂજાવિધિ
1. મહાગૌરીનું ધ્યાન કરો અને કળશ પર અક્ષત ચઢાવો.
2.કળશ પર પંચામૃત અને પાણી છાંટવું.
3. ચંદન, હળદર, મહેંદી, કુમકુમ અને ગુલાબના ફૂલ અર્પણ કરો.
4. નારિયેળ સાથે સોળ શૃંગારની સામગ્રીઓ અર્પણ કરો.
5. નારિયેળ અથવા કોપરામાંથી બનેલી મીઠાઈઓનો નૈવૈદ્ય ધરાવો
મહત્વ: મહાગૌરીની પૂજા કરીને તણાવમાંથી મુક્તિ અને ધન અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે
માર્કંડેય પુરાણ અનુસાર મહાગૌરીની પૂજા કરવાથી ધન, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. તણાવમાંથી રાહત મળે છે. તેમની પૂજા કરવાથી સોમ ચક્ર જાગૃત થાય છે. તેનાથી અસંભવ કાર્યો પણ પૂરા થાય છે. તમામ પ્રકારના પાપો દૂર થાય છે. સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દરેક મનોકામના પૂર્ણ થાય છે. મહાગૌરી શીખવે છે કે જે પણ ક્ષેત્રમાં આપણે કોઈ કામ કરી રહ્યા છીએ, ત્યાં આપણું ચરિત્ર ખૂબ તેજસ્વી હોવું જોઈએ. નિર્દોષ સ્વભાવ અને શુદ્ધતા હોવી જોઈએ.