26 મિનિટ પેહલા
- કૉપી લિંક
વરુથિની એકાદશી વ્રત 4 મે, શનિવારે રાખવામાં આવશે. હાલમાં ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આ માસનું મહત્ત્વ ઘણું વધારે માનવામાં આવે છે. શનિવાર અને એકાદશીનો યોગ ધર્મ અને કર્મની દૃષ્ટિએ ખૂબ જ શુભ છે.
ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્મા અનુસાર, આ દિવસે ભગવાન વિષ્ણુ માટે ઉપવાસ કરો અને ખાસ કરીને કેરી, તરબૂચ, શક્કરટેટી જેવા મોસમી ફળોનું દાન કરો.
આ છે વરુથિની એકાદશી સંબંધિત માન્યતાઓ
- આ એકાદશીનું વ્રત કરવાથી ભક્તોના તમામ પાપ અને દુઃખ દૂર થાય છે.
- એવું માનવામાં આવે છે કે સૂર્યગ્રહણ સમયે દાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે જ પુણ્ય વરુથિની એકાદશીના ઉપવાસ અને આ દિવસે દાન કરવાથી મળે છે.
- ભગવાન વિષ્ણુની કૃપાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેમના કામમાં આવતી અડચણો દૂર થાય છે.
એકાદશી પર તમે આ શુભ કાર્યો કરી શકો છો
- વરુથિની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સૂર્યને જળ અર્પિત કરો. પાણી અર્પણ કરવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ.
- ઘરના મંદિરમાં ગણેશજીની પૂજા કરો. ભગવાન ગણેશને જળ અને પંચામૃતથી સ્નાન કરાવો. વસ્ત્ર, હાર અને ફૂલોથી સજાવો. ચંદનનું તિલક લગાવો. દુર્વા ચઢાવો. લાડુ ચઢાવો. ધૂપ અને દીવા પ્રગટાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો.
- ગણેશ પૂજા પછી ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો. વિષ્ણુ-લક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરવો જોઈએ. જો તમે અભિષેકમાં દૂધનો ઉપયોગ કરશો તો તે ખૂબ જ શુભ રહેશે. હાર, ફૂલો અને કપડાંથી સજાવો. આ પછી તુલસી સાથે મીઠાઈ અર્પણ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. અગરબત્તી પ્રગટાવીને આરતી કરો.
- શનિવારે શનિદેવની વિશેષ પૂજા કરવી જોઈએ. શનિ મંદિરમાં જઈને શનિદેવને તેલનો અભિષેક કરો. શનિદેવને કાળા તલની સાથે વાદળી ફૂલ અને વાદળી વસ્ત્ર અર્પણ કરો. તલમાંથી બનાવેલી વાનગીઓ અર્પણ કરો. તેલનું દાન કરો. જરૂરિયાતમંદ લોકોને પગરખાં અને ચપ્પલનું દાન કરો.
- શિવલિંગને જળ અર્પણ કરો. બિલ્વના પાન, ધતુરા અને ફૂલોથી આકૃતિઓને શણગારો. શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો. મીઠાઈ અર્પણ કરો અને દીવો પ્રગટાવો. ભગવાન શિવની સામે રામ નામનો જાપ કરવો જોઈએ.