7 મિનિટ પેહલા
- કૉપી લિંક
જૂહી ચાવલાએ કહ્યું હતું કે, ‘જો શાહરુખ ખાન IPLમાંથી ખસી જશે તો આ લીગ કોઈ જોશે નહીં. શાહરુખના વાનખેડે સ્ટેડિયમ વિવાદ બાદ જૂહી ચાવલાનું નિવેદન આવ્યું છે. વાસ્તવમાં વાનખેડે સ્ટેડિયમના એક ગાર્ડે શાહરુખને મેદાનમાં પ્રવેશવાની ના પાડી દીધી હતી. શાહરુખને આ પસંદ નહોતું. તેઓ સિક્યુરિટી ગાર્ડ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. ત્યાં ઘણી બોલાચાલી થઈ હતી.
શાહરુખના આ પગલાને કારણે તેના વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ પછી શાહરૂખની ટીમ KKRની કો-ઓનર જૂહી ચાવલાએ કહ્યું કે, જો શાહરુખ નારાજ થશે તો લોકો વાનખેડે કે અન્ય કોઈ સ્ટેડિયમ નહીં પહોંચે!
2012ની જૂહી ચાવલાની આ ટ્વીટ સૌથી પહેલા જુઓ
આઈપીએલના શરૂઆતના દિવસોમાં ગ્લેમરની ઝાંખી જોવા મળી હતી
વાસ્તવમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 2008માં થઈ હતી. ક્રિકેટની સાથે આમાં બોલિવૂડનું ગ્લેમર પણ જોવા મળ્યું હતું. તેને પ્રમોટ કરવા માટે સેલેબ્સ સ્ટેડિયમમાં જઈને પોતાની ફેવરિટ ટીમને સપોર્ટ કરતા હતા. પ્રથમ સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સની લોકપ્રિયતા સૌથી વધુ હતી.
તેનું કારણ માત્ર અને માત્ર શાહરુખ ખાન હતો. શાહરુખ ખાન દરેક મેચમાં પોતાની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમ પહોંચતો હતો. જ્યારે ટીમ જીતી જાય ત્યારે તે પ્રેક્ષકોની વચ્ચે ડાન્સ કરવાનું શરુ કરી દેતો હતો. જ્યારે શાહરુખ આ કરતો ત્યારે લોકો ખૂબ જ રોમાંચિત થતા હતા. એ જ રીતે પંજાબ ટીમની માલિક પ્રીટિ ઝિન્ટા પણ દર્શકોમાં રોમાંચ પેદા કરતી હતી.
ટીમ જીત્યા બાદ શાહરુખ ઘણીવાર મેદાનની અંદર આવીને ઉજવણી કરે છે
અધિકારીઓએ કહ્યું હતું- શાહરૂખ નશામાં હતો
2012માં, મુંબઈ ઈન્ડિયન્સ અને KKR વચ્ચેની મેચ દરમિયાન, શાહરુખ ખાન વાનખેડે સ્ટેડિયમના સુરક્ષા કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ઘર્ષણમાં ઊતર્યો હતો. શાહરુખે કહ્યું કે, તેમાંથી એકે તેની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેના બાળકો સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. અધિકારીઓએ કહ્યું કે, શાહરુખ નશામાં હતો અને તેણે જ લડાઈ શરૂ કરી હતી. બાદમાં શાહરૂખ ખાને કબૂલ્યું હતું કે તેણે આવું વર્તન ન કરવું જોઈતું હતું.
આ વિવાદ બાદ શાહરુખને પાંચ વર્ષ સુધી સ્ટેડિયમમાં પ્રવેશવાની ના પાડી દેવામાં આવી હતી
મુંબઈ ક્રિકેટ એસોસિએશને શાહરુખને વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ મુંબઈ ક્રિકેટ એસોસિએશનની મેનેજિંગ કમિટીએ લગાવ્યો હતો, જેમાં કોંગ્રેસના દિવંગત નેતા વિલાસરાવ દેશમુખ પણ સામેલ હતા.