અમદાવાદ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાધુતાની મૂર્તિ સદગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર – અમદાવાદના સંતો અમૃતસર પધાર્યા હતા. અને ત્યાં ગોલ્ડન ટેમ્પલ ખાતે દર્શન કર્યા હતા અને ત્યારપછી જલિયાંવાલા બાગની મુલાકાત લીઘી હતી ત્યાં ભારતદેશને આઝાદી અપાવવા માટે શહીદ થયેલા સૌની સેવાને બિરદાવી તેમના માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી હતી. ત્યારબાદ સંતો વાઘા બોર્ડર પધાર્યા હતા અને ભારત દેશ માટે ખડે પગે સેવા કરનાર સૈનિકોની સેવાને બિરદાવી તેમને પ્રોત્સાહિત કર્યાં હતા.
આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું