ઢાકા2 કલાક પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશમાં વિપક્ષની ભૂમિકા અદા કરવામાં નિષ્ફળ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)એ ગયા વર્ષે યોજાયેલી ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ત્યારબાદ વિપક્ષી પાર્ટી બીએનપીએ નવા મુદ્દાને હવા આપવાના પ્રયાસરૂપે અને સામાન્ય લોકોનો વિશ્વાસ હાંસલ કરવા માટે ભારતની વિરુદ્ધમાં ઝુંબેશ હાથ ધરી હતી. પાર્ટીએ ભારતની સામે ઇન્ડિયા આઉટ કેમ્પેન હાથ ધરી હતી.
જાન્યુઆરી બાદ બીએનપીના મોટા નેતાઓએ બાંગ્લાદેશમાં વિપક્ષની નિષ્ફળતા માટે ભારતને જવાબદાર ઠેરવીને ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. બીએનપીના મહાસચિવ રાહુલ કબીર રિઝવીએ પોતાની ભારતીય ચાદરને જમીન પર ફેંકી દીધી હતી અને આગ ચાપી દીધી હતી. સીધી રીતે ઇન્ડિયા આઉટ આંદોલનની સાથે એકતા વ્યક્ત કરી હતી.
ભારતમાંથી બાંગ્લાદેશની આયાત વધી રહી છે
- બાંગ્લાદેશ આયાત માટે ભારત અને ચીન પર નિર્ભર છે. વર્લ્ડ બેંકના આંકડા મુજૂબ 2021-22માં બાંગ્લાદેશના કુલ આયાત પૈકી 12 ટકા હિસ્સો ભારતમાંથી રહ્યો હતો.
- બાંગ્લાદેશમાં ભારતીય દુતાવાસ ના કહેવા મુજબ કપાસ અને યાર્જ જેવા ઇન્ડસ્ટ્રીયલ કાચા માલ ઉપરાંત દરરોજની જરૂરની વસ્તુઓની આયાત છેલ્લા 3 વર્ષમાં ઝડપથી વધી ગઇ છે.
- બાંગ્લાદેશ ચૂંટણીથી પહેલા ભારતમાંથી બેનાપોલ અને પેટ્રાપોલ બંદરપર 200-250 ટ્રક આવતી હતી. પરંતુ હવે પ્રતિદિન 400થી 450 ટ્રક આવી રહી છે. આ વખતે ઇદ પર બાંગ્લાદેશમાંથી રેકોર્ડ સંખ્યામાં પ્રવાસી ભારત આવ્યા હતા. 12થી 15મી એપ્રિલ સુધી બેનાપોલ બંદરથી દરરોજ આઠથી 10 હજાર લોકો ભારત પહોંચી રહ્યા હતા.
વિપક્ષના અભિયાનથી ભયભીત થયેલા વેપારીઓને હવે રાહત
ઇન્ડિયા આઉટ આંદોલનથી જે વેપારીઓ ભયભીત હતા તે વેપારીઓને હવે રાહત થઇ છે. ભારતીય વસ્ત્રો અને શેર માટે ઢાંકાન લોકપ્રિય બજાર ચાંદનીચકઅને ન્યુ માર્કેટ છે. વેપારીઓનુ કહેવુ છે કે ચૂંટણી બાદ ભારતીય વસ્તુઓનુ વેચાણ વધ્યુ છે. ભારત-બાંગ્લાદેશ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના મોહમ્મદ અબ્દુલ વહીદે કહ્યુ છે કે ઇન્ડિયા આઉટ કેમ્પેનથી વેપાર પર કોઇ અસર થઇ રહી નથી.
બીએનપી લોકોને કેમ્પેનમાં સામેલ કરવામાં નિષ્ફળ
ઢાકા યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગના પ્રો. ઇમ્તિયાઝ અહેમદે કહ્યુ છે કે બીએનપીને ચૂંટણી બાદ કોઇ સફળતા મળી નથી. આ પાર્ટીએ મુળ કામો કર્યા નથી. સામાન્ય લોકો જ્યાં સુધી આંદોલનમાં સામેલ થતા નથી ત્યાં સુધી બજાર પર તેની કોઇ અસર થવાની શક્યતા નથી.