29 મિનિટ પેહલા
- કૉપી લિંક
એનિમિયા ત્યારે થાય છે જ્યારે શરીરમાં ઓક્સિજન વહન કરતા સ્વસ્થ લાલ રક્તકણોની માત્રા ઘટે છે. હિમોગ્લોબિન, આયર્ન, ફોલિક એસિડ અને વિટામિન B12 ની ઉણપને કારણે એનિમિયા થઈ શકે છે.
પુરુષો કરતાં સ્ત્રીઓમાં એનિમિયા વધુ જોવા મળે છે. તેનું કારણ ખાવાની આદતોમાં બેદરકારી છે. ઘણા કિસ્સાઓમાં, ભારે પીરિયડ્સને કારણે પણ આવું થાય છે. મેડિકા હૉસ્પિટલ, રાંચીના વરિષ્ઠ આહાર નિષ્ણાત ડૉ. વિજયશ્રી પ્રસાદ એનિમિયાથી બચવા અને લોહી વધારવાના ઘરેલું ઉપચાર જણાવી રહ્યા છે.
એનિમિયાથી બચવા શું ખાવું
એનિમિયાથી પીડાતા લોકો થાક, નબળાઇ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓથી પીડાય છે. એનિમિયા જીવલેણ બની શકે છે, તેથી તેની સમયસર સારવાર ખૂબ જ જરૂરી છે.
શરીરમાં લોહીની ઉણપને દૂર કરવા માટે ભોજન પર વિશેષ ધ્યાન આપો. ખોરાકમાં લોહી વધારનારી વસ્તુઓનો સમાવેશ કરીને એનિમિયાને સરળતાથી ટાળી શકાય છે.
પાલક આયર્નની ઉણપને દૂર કરી શકે છે
પાલકમાં આયર્ન, ફોલેટ અને વિટામીન B ભરપૂર માત્રામાં જોવા મળે છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો રોજિંદા આહારમાં પાલકનો સમાવેશ અવશ્ય કરો. મોટાભાગની મહિલાઓમાં આયર્નની ઉણપ જોવા મળે છે, તેથી તેમને પાલક ખાવાની સલાહ આપવામાં આવે છે.
અંજીર હિમોગ્લોબિન વધારે છે
અંજીરમાં આયર્ન, વિટામિન એ, વિટામિન સી, મેગ્નેશિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તેમણે તેમના આહારમાં અંજીરનો સમાવેશ કરવો જોઈએ. આ માટે 1-2 અંજીરને આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ખાલી પેટ ખાઓ.
બીટરૂટ લોહી વધારે છે
જે લોકો એનિમિયાથી પીડિત છે તેઓએ દરરોજ બીટનું સેવન કરવું જોઈએ. બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન, પોટેશિયમ, ફાઈબર અને ફોલિક એસિડ હોય છે. આ ખાવાથી શરીરમાં હિમોગ્લોબીનની ઉણપ દૂર થાય છે. દરરોજ બીટનો રસ પીવાથી અથવા સલાડમાં બીટનો સમાવેશ કરવાથી એનિમિયાથી બચી શકાય છે.
શક્કરિયા સ્વાસ્થ્ય સુધારે છે
શક્કરિયા, જેને ગળ્યાબટાટા તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં આયર્ન, ફોલેટ, કોપર અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થાય છે. શક્કરિયાને ઉકાળીને ચાટ બનાવો અથવા તેને શાક તરીકે ખાઈ શકો છો.
દરરોજ કેળાં ખાઓ
કેળા એ આરોગ્યથી ભરપૂર ખોરાક છે. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો કેળું ચોક્કસ ખાઓ. કેળામાં પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. રોજ કેળા ખાવાથી શરીરમાં એનિમિયાની સમસ્યા નથી થતી, પેટ સાફ રહે છે, એનર્જી વધે છે અને ત્વચા યુવાન દેખાય છે.
દૂધી આરોગ્યનો ખજાનો
ઘણા લોકોને દૂધીનો સ્વાદ પસંદ નથી હોતો, પરંતુ દૂધી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર, પોટેશિયમ, ફોલેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી જેવા આવશ્યક તત્ત્વો દૂધીમાં જોવા મળે છે. ઉલ્ટી અને ઝાડા જેવી સમસ્યામાં દૂધીનુું શાક, સૂપ, જ્યુસનું સેવન કરો. કોલેસ્ટ્રોલ અને સુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે દૂધીનું સેવન કરો.