25 મિનિટ પેહલાલેખક: મૃત્યુંજય
- કૉપી લિંક
રામાયણના સુંદરકાંડમાં એક ઘટના છે, જ્યાં અશોક વાટિકામાં માતા સીતાને મળ્યા પછી હનુમાન ભગવાન શ્રીરામની વ્યથા સંભળાવે છે. માતા સીતાના અપહરણ પછી રામ અપાર પીડામાંથી પસાર થઈ રહ્યા છે, પરંતુ તેઓ સમજી શકતા નહોતા કે તેમની પીડા કોની સમક્ષ વ્યક્ત કરવી.
તુલસીદાસજીએ શ્રીરામની વેદનાને પંક્તિમાં વર્ણવી
“कहेहू तें कछु दु:ख घटि होई।
काहि कहौं यह जान न कोई॥”
વહેંચવાથી દુઃખ ઓછું થાય છે, પરંતુ કોઈનું દુઃખ કોની સાથે વહેંચવું એ કોઈ જાણતું નથી.
બીજી તરફ રહીમ છે, જે કહે છે-
“रहिमन निज मन की व्यथा, मन में राखो गोय।
सुनि इठलैहैं लोग सब, बाटि न लैहै कोय॥”
અર્થાત કે તમારે તમારી પીડાને તમારા મનમાં જ રાખવી જોઈએ. પીડાની વાત સાંભળીને લોકો હસશે જ, મદદ કરવા કોઈ નહીં આવે.
તુલસીને ચિંતા છે કે પોતાની લાગણી કોની પાસે વ્યક્ત કરવી. જ્યારે રહીમ કહી રહ્યા છે કે કોઈની સામે દુ:ખ વ્યક્ત ન કરવું જોઈએ.
‘રહસ્ય કોને કહેવું જોઈએ, ક્યારે કહેવું જોઈએ કે રહસ્યને ગુપ્ત જ રહેવા દેવું સારું’, આવા પ્રશ્નો રહીમ, કબીર, તુલસીથી લઈને 21મી સદીના યુવાનો સુધી દરેકના મનમાં સમાન ઊઠી રહ્યા છે.
આજે રિલેશનશિપ કોલમમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે કઈ વસ્તુઓ ક્યારે અને કોની સાથે શેર કરી શકાય અને કઈ વસ્તુઓ હંમેશાં પોતાના મનમાં રાખવી જોઈએ.
કઈ વાત કોને જણાવવી, રહસ્ય જણાવતી વખતે આ સૌથી મહત્ત્વની બાબત છે
ફરી એકવાર આપણે તુલસીદાસના પ્રશ્ન પર પાછા આવીએ છીએ કે રહસ્ય વિશે કોને વાત કરવી. રામ સાથે જંગલમાં તેમના નાના ભાઈ પણ હતા. ત્યાં તેમના મિત્ર સુગ્રીવ અને લાખો વાંદરાઓ અને રીંછોની સેના પણ હતી, પણ રામે પોતાની વ્યથા બીજા કોઈ સાથે વહેંચી નહિ. હનુમાન દ્વારા તેમણે પોતાની પ્રિય પત્ની સીતાને જ કહેવડાવી
હવે ડોક્ટરથી બીમારી અને પાર્ટનરથી રોમેન્ટિક લાઈફની વાત છુપાવવી પ્રોબ્લેમ્સ વધારી શકે છે. સરકારી એજન્સીઓથી તમારી આવક છુપાવવી એ પણ કાનૂની ગુનો છે. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી છે કે કઈ વસ્તુઓ કોને કહી શકાય અને કઈ વસ્તુઓ માત્ર પોતાની પાસે જ રાખવી જરૂરી છે.
આ ફિલસૂફી સમજાવતો ખાલિદ અબરારનો એક શેર છે
અપનો સે કોઈ બાત છુપાઈ નહીં જાતી
ગેરો કો કભી દિલ કી બાત બતાઈ નહિ જાતી
જ્યારે રહસ્યો ખૂલવા લાગે છે ત્યારે સંબંધો તૂટવા લાગે છે
પ્રસિદ્ધ સાહિત્યકાર ખલીલ જિબ્રાન લખે છે, ‘જો તમે તમારા મનનાં રહસ્યો પવન સામે ઉજાગર કરશો તો એ રહસ્યો વૃક્ષો સુધી પણ પહોંચશે. તમે આ માટે પવનોને દોષી ઠેરવી શકતા નથી, કારણ કે તેમણે એ જ કર્યું જે તમે કર્યું હતું, એટલે કે તમે જે રહસ્યો જાહેર કર્યાં.
તમારાં રહસ્યો લોકોને કહેવાનો સૌથી મોટો ગેરલાભ શું છે? આ સવાલનો જવાબ ખલીલ જિબ્રાનના આ નિવેદનમાં છુપાયેલો છે. એવી વ્યક્તિનાં રહસ્યો જે ઘણા બધા લોકો જાણતા હોય છે. તેમની અંગત વાતો એવા લોકો સુધી પહોંચે છે, જ્યાં સુધી પહોંચવું તેમના માટે ન તો જરૂરી હતું અને ન તો ફાયદાકારક. અહીં અને ત્યાં, રહસ્ય જાહેર કરનારી વ્યક્તિની છબિ વિશ્વાસ તોડનાર ભાગીદાર, મિત્ર અથવા સાથીદાર તરીકે બને છે. આવી સ્થિતિમાં તેના સંબંધો પર પણ નકારાત્મક અસર પડે છે.
આંતર વ્યક્તિગત સ્વ-સંચારને અવગણશો નહીં
કોમ્યુનિકેશન એક્સપર્ટ કેવલ જે. કુમાર તેમના પુસ્તક ‘માસ કમ્યુનિકેશન ઈન ઈન્ડિયા’માં લખે છે કે કમ્યુનિકેશન એ ખોરાક, વસ્ત્ર અને આશ્રય જેવી મૂળભૂત માનવ જરૂરિયાત છે. બાળકને નાનપણમાં સૌથી મોટી સજા જેવું ત્યારે લાગતું હતું જ્યારે તેના મિત્રો તેની કિટ્ટા કરે, એટલે કે તેની સાથે વાત કરવાનું બંધ કરી દે, પરંતુ વાતચીત હંમેશાં અન્ય લોકો સાથે થતી નથી. આપણે આપણી જાત સાથે પણ સતત સંવાદ કરતા રહીએ છીએ. તેને આંતર વ્યક્તિત્વ સંચાર અથવા સ્વ-પ્રતિબિંબ કહેવામાં આવે છે.
જો આપણે અન્ય લોકો સાથે સ્વ-ચિંતન શેર કરવાનું શરૂ કરીએ તો એનો પ્રભાવ જતો રહે છે. થોડા સમય પછી આવા લોકો આંતર વ્યક્તિત્વ સંદેશાવ્યવહાર માટે અસમર્થ બની જાય છે, એટલે કે પોતાની સાથે વાતચીત કરવામાં, તેમની લાગણીઓ અને ઇચ્છાઓનું વિશ્લેષણ કરવામાં અક્ષણ બની જાય છે. આ સ્થિતિ એવી છે કે આપણે આપણી જાત સાથે ‘કટ’ થઈ જઈએ છીએ. આપણે આપણી જાત સાથે વાત કરવાનું બંધ કરી દઈએ છીએ.
આવી પરિસ્થિતિને ટાળવા માટે આંતર વ્યક્તિત્વ સંચારનું મહત્ત્વ સમજવું જરૂરી બની જાય છે. એ જ સમયે તમારા આંતર વ્યક્તિત્વ સંદેશાવ્યવહારમાં બિનજરૂરી રીતે વધુ લોકોને સામેલ ન કરવા એ પણ મહત્ત્વપૂર્ણ બની જાય છે.
શું સ્ત્રીઓ રહસ્યો જાળવી રાખવામાં વધુ સક્ષમ છે?
પ્રખ્યાત ફિલ્મ ‘ટાઈટેનિક’માં એક દૃશ્ય છે, જેમાં રોઝ, હવે તેની ઉંમરના નવમા દાયકામાં છે, તે 16 વર્ષની ઉંમરે તેને મળેલી તેના પ્રેમની અમૂલ્ય ભેટને સમુદ્રમાં ફેંકી દે છે અને કહે છે – ‘સ્ત્રીનું હૃદય રહસ્યોનો ઊંડો મહાસાગર હોય છે.’ મતલબ કે સ્ત્રીનું હૃદય રહસ્યોનો અગાધ સાગર છે. તેમણે આ ભેટને 84 વર્ષ સુધી આખી દુનિયાથી છુપાવીને રાખી હતી.
સાઇકોલોજી ટુડેના એક રિપોર્ટ અનુસાર, સ્ત્રી અને પુરુષ અલગ-અલગ કારણોસર રહસ્યો છુપાવે છે. સામાન્ય રીતે મહિલાઓના મનમાં વધુ રહસ્યો હોય છે, કારણ કે તેઓ દુનિયાના નિર્ણયથી વધુ ડરે છે. મહિલાઓનો ઉછેર પણ વધુ દબાવીને કરવામાં આવે છે, જેના કારણે તેઓ પોતાની ભાવનાઓ વ્યક્ત કરવામાં સંકોચ અનુભવે છે. બીજી બાજુ, પુરુષો સામાન્ય રીતે નામંજૂર થવાના ડરથી તેમના પાર્ટનરથી અને વિશ્વથી રહસ્યો છુપાવે છે. તેની પાછળનું એક કારણ તેમનો અહંકાર પણ છે.