રામબન12 મિનિટ પેહલા
- કૉપી લિંક
રેસ્ક્યુ ટીમ હજુ પણ ખીણમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે કામગીરી કરી રહી છે.
ગુરુવારે મોડી રાત્રે જમ્મુના રામબનમાં એક કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. જેમાં 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માત જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે 44 પર રામબનના બેટરી ચશ્મા વિસ્તારમાં મોડી રાત્રે 1.15 વાગ્યે થયો હતો. રેસ્ક્યુ ટીમના જણાવ્યા અનુસાર કાર શ્રીનગરથી જમ્મુ જઈ રહી હતી. રસ્તામાં ભારે વરસાદને કારણે કાર ખીણમાં ખાબકી હતી.
અત્યાર સુધીમાં 10 મુસાફરોના મૃતદેહ ખીણમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મૃતકોમાં જમ્મુના અંબ ઘ્રોથાના બલવાન સિંહ (47) અને બિહારના પશ્ચિમ ચંપારણના વિપિન મુખિયા ભૈરગંગનો સમાવેશ થાય છે.
અકસ્માતની તસવીરો…
શુક્રવારે સવારથી રેસ્ક્યુ ટીમ ખીણમાં મૃતદેહોને શોધી રહી છે.
તેમની પાસેથી મળેલા ઓળખ પત્રો પરથી મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના મજૂરો હતા
કેન્દ્રીય મંત્રીએ કહ્યું- શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે એક્સ પર એક પોસ્ટ દ્વારા અકસ્માત વિશે લખ્યું છે. જિતેન્દ્રએ કહ્યું- બૅટરી ચશ્મા પાસે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક પેસેન્જર કાર ઊંડી ખીણમાં પડી ગઈ, જેમાં 10 લોકોના જીવ ગયા. પોલીસ, SDRF અને નાગરિક QRT ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે. હું સતત સંપર્કમાં છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.