નવી દિલ્હી2 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગુરુવારે, 18 એપ્રિલના રોજ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પર જેલમાં જાણીજોઈને મીઠાઈ ખાવાનો આરોપ મૂક્યો હતો જેથી કરીને તેમનું શુગર લેવલ વધે અને તબીબી આધાર પર જામીન મળે.
કેજરીવાલે તેમના શુગર લેવલના નિયમિત પરીક્ષણ અને વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના ડૉક્ટર સાથે પરામર્શ માટે અરજી કરી હતી. આ જ સુનાવણી દરમિયાન EDના વકીલ ઝોહેબ હુસૈને સ્પેશિયલ જજ કાવેરી બાવેજા સમક્ષ આ દલીલો રજૂ કરી હતી.
ED અનુસાર કેજરીવાલને ટાઇપ-2 ડાયાબિટીસ છે, પરંતુ તેઓ જેલમાં બટેટા પુરી, કેરી અને મીઠાઈઓ ખાઈ રહ્યા છે. કેજરીવાલ લિકર પોલિસી કેસમાં 18 દિવસથી તિહાર જેલમાં બંધ છે અને તેમને ઘરનું ભોજન ખાવાની મંજૂરી મળી છે.
આ આરોપો બાદ કોર્ટે તિહાર જેલ પ્રશાસન પાસેથી કેજરીવાલના ખાવા-પીવા અંગેનો રિપોર્ટ માગ્યો હતો. જેના પર આજે શુક્રવારે (19 એપ્રિલ) પણ સુનાવણી હાથ ધરવામાં આવશે.
કેજરીવાલને આ નાસ્તો, લંચ અને ડિનર 3જીથી 17મી એપ્રિલ સુધી આપવામાં આવ્યું હતું
કેજરીવાલના વકીલે અરજી પાછી ખેંચી લીધી હતી
સીએમ કેજરીવાલ વતી હાજર રહેલા એડવોકેટ વિવેક જૈને EDની દલીલો સામે વાંધો ઉઠાવ્યો હતો. જૈને એમ પણ કહ્યું કે તપાસ એજન્સી આ આરોપો માત્ર મીડિયા માટે કરી રહી છે. જૈને હાલની અરજી પાછી ખેંચી લીધી અને ઉમેર્યું કે તેઓ બીજી અરજી દાખલ કરશે.
AAPનો દાવોઃ એજન્સી ઘરની રસોઈ રોકવા માગે છે
કેજરીવાલ પર EDના આરોપો પછી, ગુરુવારે (18 એપ્રિલ) દિલ્હીના મંત્રી આતિશીએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ દરરોજ 54 યુનિટ ઇન્સ્યુલિન લે છે. તેમને ગંભીર ડાયાબિટીસ છે. ED કેજરીવાલના ઘરની રસોઈ રોકવા માગે છે.
આતિશીએ કહ્યું- ડાયાબિટીસના દર્દી શું ખાશે, શું કસરત કરશે, તે નક્કી છે. આ કારણથી કોર્ટે તેમને ઘરે ખાવાની પરવાનગી આપી હતી. ED કેજરીવાલની તબિયત બગાડવા માંગે છે અને તેમને ઘરનું ખાવાનું ખાવાથી રોકવા માંગે છે. EDના આ આરોપો સંપૂર્ણપણે ખોટા છે.