3 મિનિટ પેહલા
- કૉપી લિંક
બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું- કૈસરગંજમાં ટિકિટ માટે પ્રબળ દાવેદાર, હું 99.9 ટકા ચૂંટણી લડીશ
WFIના પૂર્વ અધ્યક્ષ બીજેપી સાંસદ બ્રિજ ભૂષણે કૈસરગંજથી ફરીથી ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તેમણે બુધવારે કહ્યું કે તેઓ ટિકિટ માટે પ્રબળ દાવેદાર છે અને 99.9 ટકા સંભાવના છે કે તેઓ કૈસરગંજ બેઠક પરથી ચૂંટણી લડે.
બ્રિજ ભૂષણે વધુમાં કહ્યું કે કૈસરગંજ લોકસભા સીટ પર ભાજપ સામે કોઈ મુકાબલો કરી શકે તેમ નથી. ગત વખતે 2 લાખથી વધુ મતોથી વિજય થયો હતો. આ વખતે કાર્યકરોએ 5 લાખ મતનો નારો આપ્યો છે.
કૈસરગંજ સીટ પર લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે. 2019ની ચૂંટણીમાં બ્રિજ ભૂષણને 5,81,358 વોટ મળ્યા હતા. તેમજ, BSPના ચંદ્રદેવ રામ યાદવને 3,19,757 વોટ મળ્યા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર વિનય કુમાર પાંડેને 3,7132 વોટ મળ્યા.
ગયા વર્ષે, એક સગીર સહિત 7 મહિલા રેસલર્સે તત્કાલિન WFI પ્રમુખ બ્રિજ ભૂષણ પર યૌન શોષણના ગંભીર આરોપો લગાવ્યા હતા. બાદમાં એક સગીર કુસ્તીબાજે તેના આરોપો પાછા ખેંચી લીધા હતા. આ મામલામાં સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ જેવા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું હતું.