નવી દિલ્હી12 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં એક ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. (ફાઈલ)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર કોંગ્રેસ પર SC-ST અને OBC માટે અનામત ખતમ કરવાના આરોપ લગાવ્યા છે. સોમવારે (30 એપ્રિલ) એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મોદીએ કહ્યું- કોંગ્રેસ SC-ST અનામત પર તલવાર લટકાવી રહી છે. કોંગ્રેસ OBCનું જીવવાનું મુશ્કેલ કરી દેશે.
આ ઉપરાંત મોદીએ INDI ગઠબંધનના PM ફેસના મુદ્દા પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે જો INDI ગઠબંધનની સરકાર આવશે તો PM રોટેશન દ્વારા હશે. 5 વર્ષ સુધી માત્ર શપથ ગ્રહણ સમારોહ જ ચાલતા રહેશે. દેશ સંકટમાં ફસાયેલો રહેશે. દેશે 30 વર્ષથી અસ્થિરતા અને ગઠબંધન સરકારોનો સમય જોયો છે.
વડાપ્રધાનના 10 પ્રશ્નો અને જવાબો…
તમે કહ્યું હતું કે કોંગ્રેસ લોકોની સંપત્તિ મુસ્લિમોમાં વહેંચવા માંગે છે. શું આ ધમકી વાસ્તવિક છે?
મોદી: શું ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોના મેનિફેસ્ટો શોપીસ માટે હોય છે? ખરેખરમાં દરેક રાજકીય પક્ષના મેનિફેસ્ટોની વિગતવાર- જીણવટભરી તપાસ કરવી એ મીડિયાનું કામ છે. તેમના મેનિફેસ્ટોમાં આ વાતનો સંકેત હતો.
તેમના એક સજ્જને અમેરિકામાં ઈન્ટરવ્યુ આપ્યો અને વારસાઈ ટેક્સની વાત કરી. હું વિકાસ અને વારસાની વાત કરું છું અને તેઓ વારસાને લૂંટવાની વાત કરે છે. વેલ્થ રિડિસ્ટ્રિબ્યુશનની વાતો કરે છે. મારી જવાબદારી છે કે દેશવાસીઓને જણાવું કે તેઓ દેશને આ દિશામાં લઈ જઈ રહ્યા છે.
જો ભાજપ ફરી સત્તામાં આવશે તો શું વારસાગત ટેક્સ ક્યારેય લાગુ નહીં થાય?
મોદીઃ બીજેપી શું કરશે અને શું નહીં તે અમારા મેનિફેસ્ટોમાં લખેલું છે. આ સવાલ તમારા મનમાં કેવી રીતે આવ્યો? અમારી વિચારધારા સ્પષ્ટ છે. અમે અમારી વિચારધારાના આધારે દેશ સમક્ષ મેનિફેસ્ટો રજૂ કરીએ છીએ. મહેરબાની કરીને આવા સજ્જનોના વિચારો અમારા પર લાદશો નહીં.
કોંગ્રેસનું કહેવું છે કે તેઓ સામાજિક-આર્થિક સર્વેક્ષણના આધારે સિસ્ટમને રિડિસ્ટ્રિબ્યુશન કરશે. આ અંગે તમારો શું અભિપ્રાય છે? મોદીઃ સર્વેનો અર્થ શું છે? સર્વે એટલે દરેક પરિવારના ઘરે દરોડા પાડવાનો છે. જો કોઈ મહિલાએ અનાજના ડબ્બામાં જ્વેલરી છુપાવી હશે તો તેનો સર્વે કરવામાં આવશે. જમીનનો હિસાબ કરવામાં આવશે અને પછી તેનું રિડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવશે. માઓવાદી વિચાર સાથે દુનિયા આ પહેલા કરી ચૂકી છે. આ સંપૂર્ણપણે અર્બન નક્સલી વિચારસરણી છે.
2006નો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં મનમોહન સિંહે કહ્યું હતું કે ગરીબ મુસ્લિમોનો પ્રથમ અધિકાર સંસાધન પર છે. તમે આ અંગે શું કહેવા માંગો છો?
મોદીઃ કોંગ્રેસ અને મનમોહન સિંહે 90ના દાયકામાં પહેલું પાપ કર્યું હતું. કર્ણાટકમાં તેમણે ધર્મના આધારે મુસ્લિમોને ઓબીસી જાહેર કર્યા હતા. એટલે કે દેશના ઓબીસીને નકારવાના. તેમની યોજના 2004 સુધી અટવાયેલી રહી. 2004માં તેમણે આંધ્રપ્રદેશમાં મુસ્લિમોને OBC ક્વોટા આપવાનો નિર્ણય કર્યો. મામલો કોર્ટમાં અટવાઈ ગયો.
જો કે, હાલમાં, તેઓએ ઓબીસીને 27 ટકા આપવામાં આવેલ છે, તેમાં ગાબડું પાડવાની તૈયારી કરી છે. તેઓ તેને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા છે.
2006માં નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકમાં મનમોહનજીના નિવેદનને લઈને હોબાળો થયો હતો. આ પછી કોંગ્રેસ બે વર્ષ સુધી સાવ ચૂપ રહી. તેણે 2009ના મેનિફેસ્ટોમાં ફરી આનો ઉલ્લેખ કર્યો હતો. તેણે 2012ની યુપી ચૂંટણીમાં પણ આનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તેને 2012માં આંધ્ર હાઈકોર્ટે રદ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. ત્યાં પણ તેમને રાહત ન મળી.
2024ની ચૂંટણી માટેનો તેમનો મેનિફેસ્ટો સંપૂર્ણપણે મુસ્લિમ લીગની છાપ ધરાવે છે. તેઓ બંધારણનો ભંગ કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. તેનાથી ઓબીસીનું જીવવાનું મુશ્કેલ બની જશે.
કોંગ્રેસનું કહેવું છે કે સંસ્થામાં જજો OBC નથી. મીડિયામાં પણ OBCનું રિપ્રેઝન્ટેશન ઓછું છે. તમે આ કેવી રીતે જુઓ છો?
મોદીઃ શું આપણે 2014માં એવી કોઈ નીતિ બનાવી છે, જેના કારણે સમાજનો કોઈ વર્ગ અટકી જાય? આ કોંગ્રેસનું પાપ છે, તેમના પાપોનું પરિણામ દેશ ભોગવી રહ્યો છે. જો તેમણે સાચા અર્થમાં બિનસાંપ્રદાયિકતા કરી હોત, સાચા અર્થમાં સામાજિક ન્યાય કર્યો હોત અને વોટબેંકનું રાજકારણ ન કર્યું હોત તો તેમને ખોટા કાગળો લઈને ફરવું પડ્યું ન હોત.
આજે તે દેશના પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ કેવી રીતે બન્યા? અમારી વિચારસરણીથી બન્યા છે. રાષ્ટ્રપતિ બનવાની તક ત્રણ વખત આવી. એકવાર અટલજીના સમયમાં, બે વાર મારા સમયમાં. અમે પ્રથમ વખત કોને બનાવ્યા? માઈનોરિટીમાંથી અબ્દુલ કલામ જીને બનાવ્યા હતા. જ્યારે મને તક મળી ત્યારે મેં પહેલા દલિત અને પછી આદિવાસી મહિલાને બનાવ્યા.
તમે કહ્યું હતું કે જો કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવે છે તો પીએમ રોટેશન દ્વારા જ હશે. તમે શું વિચારો છો, શું આ સમયે ગઠબંધન સરકાર સારી રીતે કામ કરશે અથવા સ્થિર સરકાર વધુ અસરકારક રહેશે?
મોદીઃ જો તેમનું ઈન્ડી ગઠબંધન જીતશે તો એક વર્ષ માટે એક જ PM રહેશે. પછી બીજા નવા PM આવશે, સંપૂર્ણ નવી સરકાર ફરીથી બનશે. નવી કેબિનેટની રચના થશે તો શપથ સમારોહ ચાલતો રહેશે. હજુ પાંચ વર્ષમાં શું થશે? દેશ સંકટમાં ફસતો રહેશે અને તેઓ શપથ સમારોહમાં ફસાયેલા રહેશે.
હવે કોઈપણ દેશ આ રીતે ચાલી શકે છે. આટલો મોટો દેશ છે. દેશમાં 30 વર્ષથી અસ્થિરતા જોવા મળી રહી છે. અમે ગઠબંધન સરકારોનો યુગ જોયો છે. અમારી સરકાર પાસે આદેશ છે. ગઠબંધન સરકાર પર કોઈને વિશ્વાસ નથી. આટલો મોટો દેશ આ રીતે ન ચાલી શકે.
કોંગ્રેસ કહે છે કે મોદી મેચ ફિક્સિંગ કરી રહ્યા છે. ED, CBI અને EVM વગર તમે ચૂંટણી જીતી શકતા નથી. તમે આના પર શું કહેશો?
મોદીઃ દેશની સુપ્રીમ કોર્ટે તેમના EVM ના સવાલનો જવાબ આપી દીધો છે. 2014 પહેલા તેમની પાસે ED, CBI હતી. તો પછી તેઓ ચૂંટણી કેમ હારી ગયા? મારા ગૃહમંત્રીને પણ જેલમાં ધકેલી દેવાયા, તો પછી તેઓ ચૂંટણી કેમ હારી ગયા? જો ઈડી-સીબીઆઈની મદદથી ચૂંટણી જીતી હોત તો કોંગ્રેસ ચૂંટણી ન હારી હોત.
આટલો મોટો દેશ છે. મ્યુનિસિપાલિટી ચુંટણી ફિક્સ કરી શકતા નથી? આ લોકો દુનિયાને મૂર્ખ બનાવી રહ્યા છે. મીડિયાવાળાઓએ તેમને પૂછવું જોઈએ, અમને નહીં.
શું તમે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિને જોઈ રહ્યા છો?
મોદીઃ શિવસેના-એનસીપીમાં જે વાવાઝોડું ઊભું થયું છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે જ્યારે તમે તમારા પરિવારના સભ્યોને જ પ્રાથમિકતા આપો છો અને અન્યને નહીં આપો, તો વહેલા અથવા મોડા મુશ્કેલીઓ ઊભી થશે. શરદ પવારના ઘરમાં મુશ્કેલી છે. ભત્રીજો સંભાળે કે પુત્રી સંભાળે? આ તેમનો પારિવારિક ઝઘડો છે.
શિવસેનામાં પણ આવો જ વિવાદ છે. મને લાગે છે કે આપણો દેશ આ પારિવારિક ઝઘડાઓને ધિક્કારે છે. સહાનુભૂતિ દાખવતો નથી.
આ વખતે અખિલેશ અને રાહુલ ઉત્તર પ્રદેશમાં સાથે ચૂંટણી લડી રહ્યા છે. તેમણે પોતાના આખા પરિવારને ચૂંટણીમાં ઉતાર્યા છે. સંભવ છે કે ગાંધી પરિવાર અમેઠી અને રાયબરેલીથી પણ ચૂંટણી લડે. આ અંગે તમારો શું અભિપ્રાય છે?
મોદીઃ તેમની મજબૂરી છે કે પરિવારના સભ્યોને બહાર કાઢવા પડ્યા છે. આ લોકો પહેલા પણ સાથે આવી ચુક્યા છે. પરંતુ શું ઉત્તર પ્રદેશના લોકોને ખબર છે કે તેમનું ભવિષ્ય ક્યાં છે? તેથી જ મેં સંસદમાં કહ્યું હતું કે આજે ઉત્તર પ્રદેશ અને દેશની હાલત એવી છે કે મોટા નેતાઓ લોકસભાના મેદાનમાંથી ભાગી રહ્યા છે.
વિપક્ષ કહે છે કે તમારા મોટા નિર્ણયો રદ કરવામાં આવશે. મમતા બેનર્જી કહી રહી છે કે તેઓ CAA લાગુ થવા દેશે નહીં. તમે આ કેવી રીતે જુઓ છો?
મોદીઃ બંધારણ મુજબ રાજ્યના મુખ્યમંત્રી આવું કરી શકશે નહીે. ભારત સરકારનો જે પણ વિષય છે, તે ભારત સરકાર જ કરશે. જે રાજ્ય સરકારના વિષય છે, તે રાજ્ય સરકાર દ્વારા જ કરવામાં આવશે. પરંતુ જનતાને મૂર્ખ બનાવવાની ફેશન ચાલી રહી છે. હું પડકાર આપું છું કે કોંગ્રેસ આવતીકાલે એક કોન્ફરન્સ કરે અને જણાવે કે તેઓ કલમ 370 પરત લગાવશે. પ્રથમ વખત દલિતોને ત્યાં બંધારણ હેઠળ અનામત મળી રહી છે. વાલ્મિકી સમાજ ત્યાં વસે છે, તેને પહેલીવાર અનામત મળી રહી છે. શું તેમની પાસે પ્રેસ કોન્ફરન્સ કરીને કલમ 370 હટાવવાની વાત કરવાની હિંમત છે.
આ સમાચાર પણ વાંચો…
મોદીએ કહ્યું- ભારત-ચીન સરહદ વિવાદ પર તાત્કાલિક ચર્ચા જરૂરીઃ અમેરિકન મેગેઝિનને કહ્યું- રાજદ્વારી-સૈન્ય સ્તરે વાત કરીને શાંતિ સ્થાપિત કરી શકાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ચીન સાથેના સંબંધો ભારત માટે મહત્વપૂર્ણ છે. બંને દેશો વચ્ચે સ્થિર અને શાંતિપૂર્ણ સંબંધો માત્ર ભારત અને ચીન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું- બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા સીમા વિવાદ પર વાત કરવાની તાતી જરૂર છે. બંને દેશો રાજદ્વારી અને સૈન્ય સ્તરે સકારાત્મક વાતચીત દ્વારા શાંતિ અને સ્થિરતા જાળવી શકે છે.
મોદીએ કહ્યું- કોંગ્રેસે પૂર્વોત્તર સાથે સાવકું વર્તન કર્યું: અમે ધારણા બદલી નાખી, હવે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે, ન દિલથી દૂર
આઝાદી પછી, ઉત્તર-પૂર્વના રાજ્યો દાયકાઓ સુધી હાંસિયામાં ધકેલાઈ ગયા. કોંગ્રેસની સરકારોએ અહીંના લોકો સાથે સાવકાપણા જેવું વર્તન કર્યું. અમે એ ખ્યાલ બદલી નાખ્યો કે ઉત્તરપૂર્વ દૂર છે. આજે ઉત્તર-પૂર્વ ન તો દિલ્હીથી દૂર છે અને ન તો દિલથી દૂર છે. પુર્વોત્તરે દુનિયાને બતાવી ચુક્યું છે કે જ્યારે ઈરાદા સાચા હોય છે તો પરિણામો પણ સાચા હોય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ધ આસામ ટ્રિબ્યુન’ને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી. તેમણે ઉત્તર-પૂર્વના પડકારો અને તેનો સામનો કરવા માટે કેન્દ્રની પહેલોની ચર્ચા કરી. તેમણે આસામમાં વિદ્રોહ, અરુણાચલ પ્રદેશ પર ચીનના દાવા, મણિપુર હિંસા, નાગાલેન્ડમાં રાજકીય સંઘર્ષ અને મિઝોરમમાં ઘૂસણખોરીની સમસ્યા વિશે વાત કરી હતી.